અમેરિકા પાસેથી જાપાન ૧૦૫ એફ-૩૫ પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને ૨૩ અબજ ડોલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને તેના માટે આ સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે. દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ આજે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો ૯૦ ટકા હિસ્સો પોતાનો હોવાનો ચીન દાવો કરી રહ્યું છે. આ દાવો ખોટો હોવાથી અમેરિકા સહિતના દેશો તેનો વિરોધ કરે છે. માઈક પોમ્પેઓએ કહ્યું હતું કે ચીન આખો દક્ષિણ ચીન સમુદ્ર પોતાનો હોય એવુ વર્તન કરે છે અને તેની…
કવિ: Karan Parmar
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તરફથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીને તાજેતરમાં બે મોડેલોમાં તકનીકી ખામી સંબંધિત ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે. હવે મારુતિએ આ બે બેસ્ટ સેલિંગ ગાડીઓ પાછી મગાવી છે. આ ફરીથી તકનીકી ખામી દુર કરવામાં આવશે અને મોકલવામાં આવશે. Wagon R અને Balenoમાં મળી તકનીકી ખામી મારુતિ સુઝુકીએ કહ્યું છે કે, તેમની સૌથી વધુ વેચાયેલી કાર વેગન આર અને બલેનોમાં ખરાબ ફ્યુઅલ પમ્પ હોવાની ફરિયાદો આવી છે. કંપનીએ કહ્યું છે કે તેણે ખામીયુક્ત ઇંધણ પંપને તપાસવા અને તેને બદલવા માટે 1,34,885 અને મોડેલ કારને પાછી મગાવી છે. એમએસઆઈએ શેર બજારોને મોકલવામાં આવેલી નિયમનકારી…
સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. જેમાં યુએસની ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન કલાસિસનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમના વીઝા પાછા લઈ લેવામાં આવશે. અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને લઇને ટ્રમ્પ સરકારે વિવાદિત નિર્ણય લીધો હતો. જેના કારણે અમેરિકામાં ભણતા ભારતિય સહિત વિદેશી વિદ્યાર્થીઓ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓએ સરકાર વિરુદ્ઘ કાનૂનનો સહારો લીધો હતો. અને US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સે ૬ જુલાઈએ લીધેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓએ કહ્યું કે આ પ્રકારનો…
રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશંકા હેઠળ ગવર્નરની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પુતિને દસ દિવસ પહેલાં રશિયાના બંધારણમાં ફેરફાર કરાવીને તે ૨૦૩૬ સુધી એટલે કે લાંબી મુદ્દ?ત સુધી પ્રમુખ બની રહે તે માટેબંધારણમાં વિવાદાસ્પદ ફેરફાર કરાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન ચીન પાસેની સરહદી વિસ્તાર ખબરોવ્સ્ક અને…
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. જુલાઈ માસમાં નોંધાયેલા કુલ કેસના ૬૪ ટકા કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે પશ્ચિમમાં મે માસની સરખામણીએ કુલ કેસમાં લગભગ ૩૦૦ ટકાનો વધારો થયો છે. રાજય સરકારે લોકડાઉન-ચાર દરમ્યાન આપેલી છુટછાટ બાદ પણ…
ગુજરાતમાં જ્યારે નર્મદા યોજના બની રહી હતી ત્યારે રાજકારણીઓએ પોતાના પક્ષના મત ખંખેરવા માટે અનેક પોપલીલા કરીને ખેડૂતોને ભ્રમમાં નાંખ્યા હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે. નર્મદા નહેરોમાં 18.50 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈએ તેના 20 ટકા માંડ થઈ રહી છે. નહેરો બનાવવામાં ભાજપ સરકાર સદંતન અણઆવડત ધરાવતી સાબિત થઈ છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં આ થયું છે. તેઓ ગુજરાત મોડેલ કહે છે પણ નર્મદા યોજના પૂરી કરવામાં તેઓ નિષ્ફળ જવાના કારણે ખેડૂતો કૂવા આધારિત સિંચાઈ તરફ વળ્યા છે. ખેડૂતોના ખેતર સુધી નહેરો ન પહોંચવાના કારણે ખેડૂતોએ કુવા કે બોરવેલો બનાવવા પડ્યા છે. સરકારના છેલ્લાં કૃષિ અહેવાલમાં…
ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસંધાને ઓટો રીક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી.…
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ કરવાના છે. છત્તરની આ જી.આઇ.ડી.સી.નું ૨૪ હેકટરમાં નિર્માણનું આયોજન છે. તેમાં એમ. એસ.એમ.ઇ. એકમોને ૫૦૦ થી ૩૦૦૦ ચો. મીટરના ૧૨૭ પ્લોટ અને જનરલ કેટેગરીમાં ૩૦૦૦ થી ૭૦૦૦ ચો. મીટરના ૧૧ પ્લોટ ફાળવવામાં આવશે રાજ્યમાં હાલ ૨૧૨ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૬૩ હજાર થી વધુ ઉદ્યોગો ૧૭ લાખ ઉપરાંત લોકોને રોજગાર અવસરો પુરા પાડી રહ્યા છે.…
કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હોય છે જેથી આ વિસ્તારના રસ્તાઓ પણ બગાડી નાખ્યા છે. અભ્યારણ હોવાથી વન્યપ્રાણીઓને પણ તકલીફ ભોગવવી પડી રહી છે. મીઠાના પ્લોટમાં જવા માટે સરકારી જમીનમાં મંજુરી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ પણ બનાવેલ છે. રસ્તા બનાવવા આજુબાજુની જમીનમાંથી માટી ઉપાડી મોટા ખાડાનો કર્યા છે જે ઢોળાવાળા પણ નથી. હાલમાં જ એક…
ગુજરાતમાં ચંદન વૃક્ષની ખેતી કરનારા ખેડૂતો વધી રહ્યાં છે. જેમને દર વર્ષે ખેતી કરવી નથી અને પડતર કે ઓછી ફળદ્રુપ જમીન છે ત્યાં ચંદનની ખેતી વધી રહી છે. 15 વર્ષ પછી ઉપજ આપે છે. ત્યાં સુધી રોકાણ કરવું પડે છે. પણ શેઢા, ગમાણ કે કુવાની આસપાસ છૂટક ચંદન ઉગાડવામાં આવે તો તે સારૂં વળતર આપે છે. ચંદનની ખેતી જેટલી નફાકારક બતાવવામાં આવે છે એટલી નથી. તેથી ખેડૂતોએ સાવધાનીથી તેમાં પડવું જોઈએ. ચંદન લાલ, સફેદ અને પીળા રંગોમાં ઉપલબ્ધ છે. અલ્કેશ પટેલ ગુજરાતમાં સફેદ ચંદનની માંગ સારીએવી છે. ચંદનનું 30 ટકા ઉત્પાદન થાય છે. ભરૂચ જિલ્લાના હાંસોટના કાંટાસાયણ ગામમાં 10 વર્ષ…