ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા એટલી કરી હોઈ શકે છે. પણ તેમની પસંદગીનું ખરું કારણ તો સી આર પાટીલ સારા મેનેજર છે. તે દરેક ચીજને સારી રીતે મેનેજ કરી શકે છે. ભાજપને આજે મત અપાવનાર કરતાં મતને મેનેજ કરી શકે એવી માણસની જરૂર છે. મત તો મોદીના નામે મળે…
કવિ: Karan Parmar
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧ ઈંચથી ૧૧ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ ૨૭૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ જયારે સુરતના માંડવી તાલુકામાં ૨૫૨ મી.મી. એટલે કે ૧૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વ્યારામાં ૧૮૫ મી.મી., તલાલામાં ૧૮૦ મી.મી., વાલોડમાં ૧૭૮ મી.મી., વાંસદામાં ૧૫૭ મી.મી. અને સુરતના મહુવામાં ૧૫૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વઘઈમાં ૧૪૧…
રાજ્યના મહાનગરોને વિશ્વ કક્ષાના સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલ 23 માળ સુધી માળના ઊંચા મકાનો કાયદા મુજબ બની શકે છે. હવે 70 માળની ઇમારતો, આઇકોનિક સ્ટ્રકચર્સ બની શકશે. 4 વર્ષમાં ટી.પી., ડી.પી.ની મંજૂરીના બેવડા શતક અંતર્ગત 200 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલી છે. રાજ્યમાં હાલ અમલી સીજીડીસીઆર-2017માં ટોલ બિલ્ડીંગ્સ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ ઉમેરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે. સર્વિસ…
અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગળો નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગળોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે ગળો આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે…
સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તરફથી મોં ફેરવી લીધું છે. તેનું કારણ શું છે ? આણંદ કૃષિ યુનિવર્સિટીના બીડી તમાકુ સંશોધન કેન્દ્ર દ્વારા તમાકુની ખેતીના અર્થતંત્ર પર ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં મહત્વના કેટલાંક કારણો ઉડીને આંખે વળગે એવા છે. ગુજરાત સરકારે તમાકુ મુક્ત ગુજરાત કરવાની જાહેરાત કરીને…
વડોદરામાં વધતા જતા પ્રદૂષણને લીધે સ્થાનિક આરોગ્ય અને કૃષિ ક્ષેત્રો બગડ્યા છે, જ્યાં વધુને વધુ શબ્જી પેદા કરવામાં આવે છે. સ્થાનિક રીતે રોહિત પ્રજાપતિએ આજે ગુજરાત પ્રદૂષણ નિવારણ મંડળને માહિતી આપી હતી કે ભારે પ્રદૂષણને કારણે લોકોની તબિયત લથડી રહી છે. કેમીકલ પ્રદૂષણ દૂર કરવા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે પણ તે દૂર થયું નથી. 15મી ઓગસ્ટ 2020ના દિવસે ગુજરાતના લોકોને પ્રદુષણથી આઝાદી અપાવો. ગુજરાતના લોકેએ 74 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી છે, 15 ઓગસ્ટ 2020, ગુજરાતના બરોડામાં મોટા પ્રમાણમાં પાણી સાથે. 13, 14 અને 15 ઓગસ્ટ 202 ના રોજ બરોડામાં સરોદ, સમોજ, નોંધાણા, પીલુડા, દૂધવાડા ખાતે પ્રદૂષિત ચેનલ…
ગુજરાતના ખેડૂતો માંગ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરતાં હોય છે. જે વસ્તુની માંગ ઓછી થઈને ભાવ નીચે જતાં રહે તે વસ્તુ ઓછી ઉગાડે છે. આવું અનાજમાં થઈ રહ્યું છે. અનાજની સામે લીલા શાકભાજી અને ફળની ભારે માંગ ઊભી થતાં હવે તેનું વાવેતર અને ઉત્પાદન વધારી રહ્યાં છે. ખેતીનો ટ્રેન્ડ બતાવે છે કે લોકો અનાજ જેવા સુકા પદાર્થો ખાવાના બદલે લીલા, લચીલા, રસદાર, ફળ અને શાકભાજી ખાવા તરફ વળી ગયા છે. શાકાહારી એટલે કે માત્ર વનસ્પતિઓમાંથી મળતાં પાન, ફળ, ફુલ કે મૂળ માંથી પોતાનો રાંધ્યા વગરનો કાચો ખોરાક તરીકે ઉપયોગ કરે. શાકાહાર ભોજન ભોજનને જલ્દી પચવામાં મદદ કરે છે. સાથે તે મગજને…
બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે, કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલી જગ્યાએ હોસ્પિટલ બનાવી છે. જેમાં ખરેખર હોસ્પિટલ તરીકે સવલતો પણ નથી. ભાજપના નેતાની મુન્નાભાઈ હોસ્પિટલ અમરનાથ કોર્પોરેશનની જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે વ્યવસ્થા નથી. એક જ સીડી છે. શ્રેય હોસ્પિટલની જેમ કોરોનાના દર્દીઓ માટે જોખમ છે. સોશિયલ મિડિયાથી કલેક્ટરને જાણ કરવામાં આવી…
ગળો ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગળોમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગળો આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણને ઉત્પન થવાથી રોકવામાં ખૂબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલું છે. જો મેલેરિયાની સારવાર માટે ગળોનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખૂબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખૂબ મદદ મળે છે. પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત ગળો ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા…
અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ના નામે રૂ.10000 કરોડનું કૌભાંડ થયું છે. 2001માં આજના પી.એમ. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના નવા સી. એમ. બનેલા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આવો કાળો કાયદો આવ્યો કે દબાણ કરો, જમીન પચાવી પાડો, ગેરકાયદેસર બાંધકામ કરો, પછી તેને કાયદાથી કાયદેસર કરી આપો. ભાજપમાં ગેરકાયદેસર બાંધકામની કિંમતના 10% પાર્ટી ફંડ આપો અને 5% ઈમ્પેક્ટ ફી ભરો એટલે ગેરકાયદે બધું કાયદે થઈ જાય છે. તો પણ 85% તો બિલ્ડર ને ફાયદો જ છે. યુનો એવૉર્ડ વિજેતા ડૉ. કલ્યાણસિંહ ચંપાવતે આ આરોપો મુક્યા છે. માત્ર અમદાવાદમાં 720000 ગેરકાયદેસર બાંધકામની અરજીઓ આવી હતી. 3 લાખથી વધુ બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર…