કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે ખુલશે એ નક્કી નથી કરાયું. જેને લીધે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ સાથે જાેડાયેલી વિવિધ હોટેલને લાખો રૂપિયાની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રોજની લાખો રૂપિયાની અને એની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જાેડાયેલું ટેન્ટ સિટી ૧-૨ અને નજીકની હોટેલોને પણ લાખોની ખોટ સહન કરવી પડે છે. લોકડાઉનમાં એક તરફ તમામ કર્મચારીઓને આવક વગર પણ પગાર ચૂકવાઈ રહ્યો છે. ત્યારે હવે ટેન્ટ સિટી અને રમાડા હોટેલની…
કવિ: Karan Parmar
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુંબઈની અને વિશ્વની સૌથી મોટી ધારાવી ઝુંપડપટ્ટીમાં કોરોનાના કેસો નોંધાયા બાદ સક્રિય રીતે કામગીરી કરવામાં આવતા આજે આ ઝુપડપટ્ટીને કોરોના મુકત જાહેર કરી દેવામાં આવી છે. વિશ્વભરમાં કોરનાના કેસની સંખ્યા ૧ કરોડને પાર પહોંચી છે. યોગ્ય પગલાં લઈને સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે, તેવું (વર્લ્ડ હેલ્થ ઓગેનાઈઝેનશ)ના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસનું કહેવું છે. ટેડ્રોસ મુજબ, કોરોનાવાઈરસને કન્ટ્રોલ કરવો પણ સંભવ છે. તેમણે ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મુંબઈના ધારાવીનું ઉદાહરણ આપી કહ્યું કે, આ તમામ સ્થળે સ્થિતિ ખૂબ ખરાબ…
અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમાં સુરતમાંથી હિજરત શરૂ થતાં અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ સુરતથી આવતા તમામ નાગરિકોનું ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે બીજીબાજુ અમદાવાદથી સુરત જતી એસ.ટી. બસોને બંધ કરી દેવામાં આવી છે અને ખાનગી લકઝરી બસો ઉપર પણ પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી છે. સમગ્ર દેશમાં…
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ થઈ રહ્યા હોવાથી એકજ પરિવાર કે સોસાયટીના સભ્યો પોઝિટિવ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગત સોમવારે ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જયારે શુક્રવારે લાંભા વોર્ડમાં પણ એક જ…
કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૮૩,૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે. અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે. વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં ૩૩ લાખની નજીક પહોંચી ગઈ છે. જયારે…
ઝડપથી વધતા કોરોના કેસોએ વિવિધ રાજયોની ચિંતા વધારી દીધી છે. સંક્રમણને રોકવા હવે સરકારે નાના લોકડાઉન લગાવી રહી છે. યુપી, બિહાર, પ.બંગાળ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પૂણે અને પિપરી, ચિંચવાડામાં લોકબંધી જાહેર કરી છે બંને જીલ્લામાં ૧૩ થી ૨૩ સુધી બધુ બંધ રહેશે. થાણેમાં પણ ૧૯મી સુધી બધુ બંધ રહેશે. મધ્યપ્રદેશ સરકારે દર રવિવારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. કેરળ સરકારે રવિવાર રાતથી તીરૂવન્તપુરમમાં પ્રતિબંધો લાગુ કરવા નિર્ણય લીધો છે સોમવાર સવારે ૬ થી લાગુ થશે જે ૧ સપ્તાહ ચાલશે. તામિલનાડુના મદુરાઇ અને આસપાસ ૧ સપ્તાહનું લોકડાઉન જારી થયું છે. પ.બંગાળ સરકારે રાજયના કન્ટેન્મેન્ટ ઝોનમાં આજે જેથી ૭ દિ’ માટે…
ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળી ગુજરાત રાજ્યના મંદીમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના રૂ.14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ સરકારે જાહેર કર્યુ છે. ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રોજગારી આપે છે. જે માંડ 4 ટકા જ સહાય ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર આપી શકી છે. આ મોટી નિષ્ફળતા છે. જો તમામને સહાય આપવી હોય તો એક વર્ષમાં માંડ આપી શકાશે. 1.30 લાખ MSME એકમોની લોન-સહાય એપ્લીકેશન મંજૂર કરીને બે જ સપ્તાહમાં રૂ. 8200 કરોડની સહાય મંજૂર કરીને દેશભરમાં…
સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. જેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે. શહેરી ક્ષેત્રમાં 15થી 59 વર્ષનીઆ સર્વે ભારત સરકારના વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત 4.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું. એવો દાવો સર્વેમાં કરવામાં આવ્યો છે. પણ…
અમદાવાદ, 26 જૂન 2020 પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે. પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ 2018થી જુલાઈ 2019 સમયાગાળાના સમગ્રદેશમાં 1,01,579 ઘરમાં 420 હજાર નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના 55812 હાઉસ હોલ્ડના 2.40 લાખ નાગરિકો જ્યારે 45767 હાઉસહોલ્ડના 1.81 લાખ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર દેશના 135 કરોડ નાગરિકોમાંથી માત્ર 420 હજાર નાગરિકોની સેમ્પલ સાઈજ જે માત્ર શ્રમિકો માટેની પસંદ કરી છે. છતાં…
દરિયાઈ વનસ્પતિ શેવાળમાંથી ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટેના જૈવિક પ્રવાહી ગુજરાતના દરિયા કિનારે આવેલા ગામોમાં ઉપયોગ શરૂ થયો છે. બહુજ ઓછા સાહસે નાના ગૃહઉધોગ તરીકે આજીવિકા મેળવવા શેવાળનો ઉપયોગ ગુજરાતના દરિયા કાંઠે કરવામાં આવી રહ્યો છે. ભરતી ઓટમાં દરિયામાંથી સરગાસમ વનસ્પતિ એકઠી કરવામાં આવે છે. જેનું પાક વૃદ્ધિ વર્ધકપ્રવાહી તૈયાર કરવામાં આવે છે. શાકભાજીના પાકમાં છાંટવાથી ઉત્પાદન અને ગુણવતામાં સુધારો જોવા મળે છે. અનેક ખેડૂતોના આવા અનુભવો છે. કેટલાંક ખેડૂતોએ પ્રયોગ કર્યા બાદ આવું પ્રવાહી આજુબાજુના ખેડૂતો અને આસપાસના ગામોમાં ખેડૂતો શીખવી રહ્યાં છે. જેણે પણ આવું ખાતર વાપરેલું છે તેમને ઉત્પાદનમાં 2થી 3 ગણો વધારો થયો છે. જૂનાગઢ…