કવિ: Karan Parmar

દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.’ ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમાણ ઘટે એ વિકાસ માટે અત્યંત આવશ્યક છે. રાષ્ટ્રમાંથી જ્યારે માંગનો ઘટાડો થાય ત્યારે સમજવું કે પ્રજા સંતુષ્ટ છે અને જ્યારે માંગ કે વિના કારણની માંગનું પ્રમાણ વધી જાય ત્યારે માનવું કે પ્રજાને અંસતુષ્ટ કરવામાં…

Read More

04.08.2020 Text Box: • ભારતમાં હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં બમણી થઇ ગઇ. • કુલ સાજા થયેલાનો આંકડો 12.3 લાખ કરતાં વધારે; સાજા થવાનો દર વધીને 66.31% થયો. • ભારતમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% નોંધાયો. • છેલ્લા 24 કલાકમાં 6.6 લાખથી વધુ સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું. • 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો. ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં સક્રિય કેસો કરતા બમણી થઇ; હાલમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 12.3 લાખ કરતા વધુ થયો; સાજા થવાનો દર વધીને 66.31% થયો; દેશમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% સુધી પહોંચ્યો ભારતમાં કોવિડ-19માંથી 12,30,509…

Read More

ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે. તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ પ્રેસ સાથેના લાઈવ સ્ટ્રીમ ઇન્ટરવ્યુ દરમિયાન ડો. લી મેંગ યાને કહ્યું કે, જ્યારે રોગચાળો ફેલાવવાનું શરૂ થયું, ત્યારે મેં સ્પષ્ટ આંકલન કર્યું હતું કે આ વાયરસ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લશ્કરી પ્રયોગશાળામાંથી આવ્યો છે. તેને છુપાવવા માટે વુહાન વેટ માર્કેટની કહાની બનાવવામાં આવી છે. ડાૅ. લી મેંગ…

Read More

ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે. https://twitter.com/pid_gov/status/1290633783386034176 ઈમરાન ખાને કેબિનેટની બેઠક બાદ દેશનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં સિયાચીનને પાકિસ્તાનનો એક ભાગ ગણાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે અહીં ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. આટલું જ નહીં, એમ માનીને કે સર ક્રીકમાં તેનો ભારત સાથે વિવાદ છે, પાકિસ્તાને સ્પષ્ટપણે કહ્યું છે…

Read More

એનસીડીસી 18 જુદા જુદા રાજ્યો માટે ‘સહકારી મંડળીઓની રચના અને નોંધણી’ પર માર્ગદર્શિકા વિડિઓઝ પણ રજૂ કરે છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) ની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી. એનસીડીસીએ તેની ચેનલને એક સ્ટોપ ચેનલ તરીકે શરૂ કરી છે, જે શરૂઆતમાં હિન્દી અને 18 રાજ્યોની પ્રાદેશિક ભાષાઓમાં હશે. રાજ્યો માટે ‘સહકારી મંડળીઓની રચના અને નોંધણી’ સંબંધિત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. સહકાર એ આપણી સંસ્કૃતિનો આત્મા છે. સહકાર દ્વારા જૂથમાં કામ કરવું ચોક્કસપણે પ્રગતિ તરફ દોરી જાય છે. એપેક્સ વૈધાનિક સંસ્થા તરીકે, તેણે સહકારી મંડળીઓને અત્યાર સુધીમાં 1,54,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપી છે અને એકલા છેલ્લા 6 વર્ષમાં…

Read More

ભારતીય દ્વારા બનાવેલી એક અનોખી શોધ એક સાયકલ જે રેલવે ટ્રેક ઉપર ચાલી શકે છે, તે મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર શેર કરી છે. પંકજ સોઇન નામના રેલ્વે સિવિલ એન્જિનિયર દ્વારા ડીઆઈવાય સાયકલની શોધ કરવામાં આવી હતી. પંકજ સોઈને આ લાઇટવેઇટ સાયકલને રેલ્વે ટ્રેકની જાળવણીમાં ટ્રેકમેનના કંટાળાજનક કાર્યને ઘટાડવાના હેતુથી ડિઝાઇન કરી હતી. ફક્ત 20 કિલો વજનની આ સાયકલ જાતે જ ઉપાડી શકાય છે અને તેને પાટા પર મૂકી શકાય છે જેથી તેને સરળતાથી ચલાવી શકાય અને સમારકામની જગ્યાએ પહોંચી શકાય. આ સાયકલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને બે લોકો તેને લઈ જઇ શકે…

Read More

બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. હૈદ્રાબાદ એક એવુ શહેર ગણાવવામાં આવ્યુ કે જેની વસ્તી એક કરોડથી વધુની છે. તેમ છતા સુરક્ષાની બાબતમાં શાબાશી મેળવી જાય છે. હૈદ્રાબાદ પોલીસ આયુકત અંજની કુમારે જણાવેલ કે આ અમારી અને એ લોકોની સહયારી સફળતા છે. જેમણે નેનોસાયન્સદ્વારા ત્રણ લાખ કેમેરા લગાવ્યા. હજુ આગામી ચાર વર્ષમાં હૈદ્રાબાદમાં વધુ…

Read More

રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે. ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. CMના આદેશ છે કે 20 ઓગસ્ટથી આ યોજના શરૂ કરવામાં આવે. રાજયના તમામ 213 શહેરોમાં એકસાથે ઈન્દિરા રસોઈ યોજનાની શરૂઆત કરવામાં આવશે. 20 ઓગસ્ટે આ યોજના શરૂ થશે. તેમાં રસોઈના સ્થાન, NGOની પસંદગી, રસોઈની સ્થાપના, સંચાલનથી લઈને તમામ જવાબદારી જિલ્લા કલેકટરની…

Read More

શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની કામગીરી ઉપરાંત ફાયર વિભાગ દ્વારા પોતાની મૂળ કામગીરીમાં પણ કોઇ જ ઘટાડો થયો નથી. રાઉન્ડ ધ ક્લોક કોવિડ દરદીઓ, જાહેર મિલકતો, કોવિડ દરદીઓ સાથે સંકળાયેલ મિલકતોનું સેનિટાઇઝ અને હવે કોવિડના દરદીઓની મૃત્યું બાદ અંતિમ સંસ્કારની કામગીરીમાં પણ જાતરાયેલ ફાયર વિભાગના કુલ સ્ટાફ પૈકી અત્યાર સુધી 24 અધિકારી/કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી…

Read More

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના ચિલબીલા ગામમાં નાગ પંચમીના દિવસે નાગની હત્યા કરી દેવાઈ હતી. આ વાતનો બદલો લેવા માટે નાગણ વિફરી હતી. 2 દિવસમાં, નાગણે 26 લોકોને ડંખ માર્યા છે. જેમાં ઝેરના કારણે એકનું મોત નીપજ્યું છે. સર્પના આ આતંકથી ગામમાં હંગામો મચી ગયો છે. ભારતમાં ચાલી આવતી માન્યતાને અહીં પૂસ્ટી મળી છે કે, નાગણ વેર લે છે. ગ્રામજનોએ જણાવ્યું કે નાગને પંચગમીના દિવસે ગામના મંદિરમાં રહેતા સાપના દંપતીમાંથી ગામના લોકોએ મારી નાંખ્યો હતો. ત્યારથી સર્પ ગામમાં આતંક મચાવ્યો છે. રૂપઈડીહા પોલીસ મથકના બાબાગંજ વિસ્તારમાં ભારે વરસાદથી સતત ઝેરના સાપ પાણીની બહાર આવે છે. ખેતરોમાં સાપ વધી જતાં લોકો બહાર…

Read More