કોરોના સમય વડોદરા કા ફર્મા ઉદ્યોગ ચાલુ રહે છે. દેશમાં સૌથી વધુ વિટામિન-સી અને પેરાસિટામોલ દવાની કા ઉત્પાદન. ઉપરાંત પગથિયાની એક ફર્મા કંપનીએ હાઈડ્રોસિક્લોરોક્વાઇન બનાવવા માટે સ્વદેશી કે.એસ.એમ. યાની એંટડીયા અને 4,7, ડીસીક્યુ બનાવ્યું હતું. પહેલાં આ સામગ્રી માટે ચાઇના પર નિર્ભર રહેવું પડતું હતું. ચાઇના માંથી આયાત થાતી હતી. તે સ્થાનિય વિકલ્પ ઉપલબ્ધ થાયો છે. ફર્મા સેક્ટર ઇકાઇસર્સ ક્લેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા દવાના ઉદ્યોગોને ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી હતી. વડોદરાથી નિર્ધારિત વિટામિન-સી પેરાસિટામોલ સહિતના દવાનો નિકાસ કરવામાં આવે છે ગયા વર્ષ એપ્રિલ-મેની સરખામણીમાં, વડોદ્રામાં ફર્મા ક્ષેત્રમાં આ વર્ષના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વડોદરા સમગ્ર દેશમાં ફર્મા ઉદ્યોગો…
કવિ: Karan Parmar
આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેત મજૂરોની જરૂરીયાત પડે છે. હાલના સમયમાં કોરોના મહામારી ના કારણે ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો મળવા મુશ્કેલ છે ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મનીષભાઈ આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના ખેતરમાં…
મહેસાણા, રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓઝા, GMRES હોસ્પિટલના ડીન ડો.સુભાષ પાલેકર, RMO ડો.સુરેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
લુણાવાડા, કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ન જવું, વગેરે. સાથે-સાથે માર્કશીટ આપતી વેળાએ વિદ્યાર્થીઓને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
નવસારી, કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કરવામાં આવી છે. તા.22 જુનના રોજ જિલ્લામાં 06 વાહનો ડીટેઇન કરાયા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ. 31,700/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં…
રાજકોટ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં 20 હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ 4 હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકોના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ.30,000/- ના ખેતી ખર્ચને ધ્યાને લઇ 50% મુજબ પ્રતિ હેકટરે રૂ.22,500/- ની મર્યાદામાં ત્રણ હપ્તે 60:20:20 પ્રમાણે પ્રથમ વર્ષે 100…
અમદાવાદ, અમદાવાદની રથયાત્રા ન થવા અંગે અવલોકન કરવામાં આવી રહ્યાં છે. તે અંગેની અનેક વિગતો બહાર આવી છે. જેનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે જગન્નાથની જેમ અમદાવાદની રથયાત્રા પહેલા ન કાઢવાના મતમાં કેન્દ્ર સરકાર હતી. પછી દેશના હિન્દુ સંગઠનો એક થવા લાગતાં સરકાર પર દબાણ વધ્યું અને રથયાત્રા કાઢવા તૈયારી કરવી પડી. તેની સાથે અમદાવાદની રથયાત્રા પણ કાઢવાનું નક્કી હતું પણ દિલ્હીના બે રાજનેતાઓની આંતરિક લડાઈના કારણે અમદાવાદમાં કરફ્યું વચ્ચે ટ્રેક્ટરથી ખેંચીને 3 દલાકમાં રથયાત્રા કાઢવાની હતી. તે નિકળી શકી નહીં. જાણો આખો ઘટનાક્રમ અને તેનું અવલોકન. ગુજરાતની વડી અદાલતમાં એટવોકેટ દ્વારા સવારે 11 વાગ્યે જાહેર કરી દાવાયું હતું…
રાજકોટ, હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓએ આગળ કયો કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ કરવો અને તેને સંલગ્ન કઈ કોલેજમાં પ્રવેશ લેવો અથવા રસ-રુચિ અનુસાર તાલીમ માટેના ક્યાં કોર્ષ કરવા તે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અતિ ગંભીર પ્રશ્ન રહેતો હોય છે. આ માટે રાજકોટની રોજગાર કચેરીએ ખાસ સોફ્ટવેર બનાવ્યો છે. જેમા 1800 થી વધુ કોર્સની માહિતી યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ પ્રયાસ છે. કોરોના સમય દરમ્યાન કચેરીના સ્ટાફ દ્વારા માહિતીનો ઉપયોગ કરી એક્સલમાં ખાસ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં ધો. ૧૦…
લોકડાઉન અને કોરોનાને લીધે પહેલાથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે, આ સમાચાર આંચકાથી ઓછા નથી. 1 જુલાઈથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનાથી તમારા ખિસ્સા પરનો ભાર વધશે. એટીએમ કેસ ઉપાડ તમારા માટે 1 જુલાઈથી મોંઘા થશે. હા, કોરોના સંકટની વચ્ચે નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ વ્યવહાર ચાર્જ પાછા ખેંચી લીધા હતા. એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે સરકારે કોરોના સંકટ વચ્ચે લોકોને મોટી રાહત આપી હતી. આ છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી, જે 30 જૂન 2020 ના રોજ સમાપ્ત થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે નાણામંત્રીએ ત્રણ…
જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢવી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પીડિત મહિલાની મદદે પંહોચતા જાણવા મળ્યું હતું કે, પીડિત મહિલાની દીકરીના ફ્રેન્ડનો બર્થ ડે હોય બન્ને મમ્મી દીકરી બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. રાતે પાર્ટીમાંથી પરત આવ્યા બાદ બર્થ-ડે પાર્ટીમાં શા માટે ગયેલા તે બાબતમાંથી માથાકૂટ કરી, ઝઘડો કરી અને મહિલાના પતિએ…