મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે. ગાંધીનગર, 19 જૂન 2020 નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છે. 18.55 લાખ હેક્ટરમાં સિંચાઇ થઈ શકે એટલું પુષ્કળ પાણી હોવા છતાં શા માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી એ પ્રશ્ન ગુજરાતના દરેક ખેડૂતોને થઈ રહ્યો છે. મુખ્ય બંધનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જળાશયોનું વિસર્જન એફ.આર.એલ. સુધી શરૂ…
કવિ: Karan Parmar
અમદાવાદ, 19 જૂન 2020 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નહીં કરવાનો ગુજરાત કોંગ્રસ પક્ષે નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંકટ તથા ભારત ચીન સરહદે દેશના બહાદુર વીર સપૂત જવાનો શહીદ થવાની ઘટનાથી આખો દેશ ખુબજ દુઃખી, ચિંતાતુર અને શોકમાં ઘેરાયેલો છે. રાહુલ ગાંધી 19 જૂન 2020ના રોજ તેમના જન્મદિવસ પર તેઓ ઉજવણી નહીં કરે તેમજ તેમણે સૌને અપીલ કરી છે કે આ દિવસે ઉજવણીના કોઈ જ કાર્યક્રમના કરી તકલીફો, સમસ્યાઓનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકો માટે મદદ અને રાહતકાર્ય કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધી એ અપીલ કરી છે કે આ દિવસે આપણા બહાદુર…
ભારતની ગુપ્તચર એજન્સીએ, કેન્દ્ર સરકારને, ટીકટોક સહિતની વિવિધ 52 મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે. મિડીયા રિપોર્ટ મુજબ મુખ્યત્વે ચીન દ્વારા નિર્મિત વિવિધ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ, જે મોબાઈલ એપ્લિકેશનના વપરાશ ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે તેમાં મુખ્યત્વે વિડીયો કોન્ફરન્સ માટે ઉપયોગમાં લેવાતી ઝુમ, ટીકટોક, યુસી બ્રાઉઝર, જેન્ડર, શેર ઈટ અને ક્લિન માસ્ટરનો સમાવેશ થાય છે. મિડીયા રિપોર્ટ મુજબ, નેશનલ સિકયોરિટી કાઉન્સીલ દ્વારા ચાઈનીઝ કંપનીઓ દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનનો વપરાશ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાનુ…
https://twitter.com/FloraLee_hkers/status/1273128059181424640 લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર & Lihkg.com પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે આ લોકો ચીનના અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે. તાઈવાનને ચીન પોતાનો હિસ્સો માને છે પરંતુ તાઈવાન પોતાને ચીનનો હિસ્સો ગણતું નથી. તાઈવાનને ચીનમાં ભેળવી દેવા માટે…
ગાંધીનગર, 18 મે 2020 ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા માટે શક્તિસિંહ નામના ઉંટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી કોંગ્રેસનો મામલો વધારે સ્ફોટક બની રહ્યો છે. સ્થિતી એવી છે કે અહેમદ પટેલના કારણે ગુજરાત કોંગ્રેસના બે ભાગલા થઈ શકે છે. તે માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. શક્તિસિંહ ગોહીલનો ઊંટ…
કોવિડ-19ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં 2.33 લાખ લોકોનો 14 દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ 2900 જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા છે 6169 છે જેમાંથી 6039 જેટલા લોકોને રજા આપી દેવાઈ છે અને હાલમાં દાખલ કરેલાની સંખ્યા 130 છે. 17 જૂન સુધી કોવિડ-19ના શંકાસ્પદ 415 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 381 ના નેગેટિવ રિપોર્ટ્સ આવ્યા છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના છઠ્ઠા રાઉન્ડમાં આશરે 3,000થી વધુ ઘરના કુલ…
હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે. હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી એમને ડિસ્ટર્બ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘુડખર અભ્યારણમાં આશરે 6,000 જેટલા ઘુડખરો છે. તેથી, ઘુડખર અભ્યારણની મુલાકાતે આવતા ફોરેનરોની સંખ્યા વધુ હોય છે. ઉપરાંત, સ્થાનિક લોકો તથા અન્ય વિસ્તારોમાંથી પણ…
દાહોદ દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કરી રહ્યા હતા. આ ખાતરના જથ્થામાં 10 બેગ નાઇટ્રો ફોરેસ્ટ 50 કિ.ગ્રા. અને હિન્ડાલકો લિ. ની ખાતરની 2 બેગ ડીએપી જેટલી થાય છે તે જપ્ત કરવામાં આવી છે. દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ ખેડૂતોને ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવા માટે જણાવ્યું છે.
બીજા વિશ્વયુદ્ધમાં 75 મી વર્ષગાંઠની જીત નિમિત્તે, રશિયા અને અન્ય મૈત્રીપૂર્ણ લોકો દ્વારા વીરતા અને બલિદાનને માન આપવા માટે મોસ્કોમાં લશ્કરી પરેડ યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાને 24 જૂન 2020 ના રોજ મોસ્કોમાં યોજાનારા વિજય દિવસ પરેડમાં ભાગ લેવા ભારતીય ટુકડીને આમંત્રણ આપ્યું છે. સંરક્ષણ પ્રધાન પરેડમાં ભાગ લેવા માટે 75 સભ્યોની ટીમને મોકલવા સંમત થયા છે, જ્યાં અન્ય દેશોની સૈન્ય ટીમો પણ ભાગ લે તેવી સંભાવના છે. ભારતીય ટુકડીમાં ત્રણ સેનાના સૈન્ય કર્મચારીઓ હોય છે.
અમદાવાદ, 18 જૂન 2020 અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર બહેનોને થર્મલ ચેકીંગનું ઈન્સ્ટ્રુમેન્ટ તથા પલ્સ ઓક્સિમીટર અપાયા છે. એટલે જ 600 થી 1000 જેટલા ટેસ્ટ પૈકી માત્ર 20 થી 25 કેસ પોઝીટીવ જણાય છે. સાથે સાથે જિલ્લામાં નાના બાળકો, સગર્ભા માતાઓ અને વયો વૃધ્ધ લોકોને રિવર્સ ક્વોરન્ટાઈન કરાયા હોવાથી કેસનું પોઝીટીવ પ્રમાણ ઘણું ઘટાડી શકાયું છે. જિલ્લામાં વધુ કેસ ધરાવતા તાલુકાઓમાં 6 સ્થળોએ સેમ્પલ કલેક્શન બુથ કાર્યરત કરાયા છે. ઓક્સિમીટરમાં 93થી નીચે પ્રમાણ જણાય તેવા કિસ્સામાં લોકોને નજીકના પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરાય છે. લક્ષણો જણાય તેવા લોકોનો કોવિડ ટેસ્ટ કરીને વાયરલ લોડ પ્રમાણે કોવિડ કેર સેન્ટર, ક્રિટિકલ…