ગુજરાતની ૨૬ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ધોરણ-૧૦માં ૧૦ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૭૨.૦૯% પરિણામ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને સરેરાશ ૮૯.૫૯% પરિણામ આવ્યું છે. માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના જાહેર થયેલા રાજ્યના એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૦.૬૪% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધોરણ-૧૦ની ૧૦ શાળાઓમાં ૮૦% થી વધુ અને ૨૬ આદર્શ નિવાસી શાળાઓનું સરેરાશ પરિણામ ૭ર.૦૯% આવ્યું છે તેમજ માર્ચ-૨૦૨૦ની ધોરણ-૧૨ની પરીક્ષાના સામાન્ય પ્રવાહના જાહેર થયેલા રાજ્યના એચ.એસ.સી. બોર્ડના સરેરાશ ૭૬.૨૯% પરિણામ સામે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે કાર્યરત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ૦૭ આદર્શ નિવાસી શાળાઓ પૈકી ૦૬ શાળાઓનું ૮૦% થી વધુ અને…
કવિ: Karan Parmar
ચીની સેનાએ કાયરતાપૂર્ણ હરકત કરીને ધાત લગાવી ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો આ તબક્કે ચીન અને ભારતના જવાનો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો આ સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા. ચીનના આ પગલા સામે દેશભરમાં આક્રોશ છે તો બીજી તરફ 20 શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપવા દેશભરમાં ઠેરઠેર કાર્યક્રમો યોજાઈ રહયા છે. લોકો ભારતીય સેના પર ગર્વ કરી રહયા છે આપણા દેશના બહાદુર જવાનોએ ચીનના 500 થી 600 જવાનો સામે ટક્કર ઝીલી હતી અમદાવાદ શહેરમાં પણ ચીની સૈનિકોની હરકતના વિરોધમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે શહેરમાં ઠેરઠેર ચીનના પ્રમુખની તસ્વીરોને બાળવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતના શહિદ જવાનોને…
પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા બાદ પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચેની કથળતી પરિસ્થિતિઓનું ‘નજીકથી નિરીક્ષણ’ કરી રહ્યું છે. પાકિસ્તાનનાં જીઓ ન્યૂઝનાં કાર્યક્રમ ‘શહાજેબ ખાનઝાદા સાથે’ પર બોલતા કુરૈશીએ કહ્યું હતું કે, ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની બાજુમાં વિવાદિત લદ્દાખ ક્ષેત્રને વધારવા માટે ભારત જવાબદાર છે – તેથી ભારતમાં રસ્તો ત્યાં બનાવવો જોઈએ કુરૈશીએ કહ્યું કે, બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ અને 1962 માં એક યુધ્ધ જોવા મળ્યું છે. વળી ભારતે આજે ફરી અતિક્રમણ કર્યું. સંવાદ અને વ્યૂહરચના દ્વારા પરિસ્થિતિને હલ…
ચીન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાને મજબુતી મળી છે. બ્રહ્મોસ મિસાઇલને હાલમાં જ કોમ્બેટ કલીયરન્સ મળતા જરૂર પડયે તૈનાત કરી શકાશે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ અને સુખોઇ-30નું ખતરનાક કોમ્બીનેશન સામે આવ્યું હતું. બ્રહ્મોસને ફલીટ રીલીઝ કલીયરન્સ મળતા મિસાઇલ ગમે તે મિશનમાં ઉપયોગમાં લઇ શકાશે. ફલીટ રીલીઝ એ કોઇપણ મિસાઇલ કે હથીયારનું અંતિમ પગથીયુ છે, જે મંજુરી મળ્યા બાદ યુધ્ધ માટે પુરી રીતે તૈયાર હોવાનું ગણવામાં આવે છે. બ્રહ્મોસ એ સુપર સોનીક લેન્ડઅંટેક ક્રુઝ મિસાઇલ છે. જે 3000 કિ.મી.ની રેન્જમાં દુશ્મનને ભેદી શકે છે. સુખોઇ-30 સાથે જાન્યુઆરીમાં જ પરિક્ષણ કરાયેલ. ચીને ભારત સાથેના તનાવ બાદ સરહદે સૈન્ય સંખ્યા વધારવાની…
કોવિડ-19 અને લોકડાઉનની સીધી અસર GST કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોની નાણાકીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે. આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાની વધારાની વસુલાત થઇ શકશે. આના માટે રાજ્યો સાથે વાતચીત શરૂ થઇ ચુકી છે. સહમતિ બન્યા પછી જુલાઇમાં થનારી GST કાઉન્સીલની મીટીંગમાં તેના પર કંઇક જાહેરાત થઇ શકે છે. એક અધિકારી અનુસાર, કોવિડ સંકટના લીધે રાજ્યોને દર મહિને GST વળતર ચુકવવું કેન્દ્ર…
પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે, બે અઠવાડિયામાં કોરોનાની દવા તૈયાર થઈ જશે અને બજારમાં ઉપલબ્ધ પણ થઈ જશે. એમનું કહેવું છે કે, આયુર્વેદિક દવાઓના એક ખાસ પ્રકારના મિશ્રણથી કોરોના વાયરસની સારવાર કરવી શકય છે અને આ દવાઓનું મિશ્રણ રસી તરીકે પણ સારું કામ કરે છે. આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ વિશે સંશોધન ચાલી રહ્યું હતું અને ઉંદરો પર અનેક પરીક્ષણ કરવામાં આવ્યા, જેમાં સફળતા મળી છે. એમના કહેવા પ્રમાણે જરૂરી કિલનિકલ કેસ સ્ટડી પણ થઈ ચુકી છે, તેમજ કિલનિકલ ટ્રાયલ છેલ્લાં તબક્કામાં છે. ટૂંક સમયમાં એનો ડેટા મળી જશે, અને તેનું ફાઇનલ એનાલિસિસ કરીને…
નવી દિલ્હી, લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ 83 દિવસ પછી 7 જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.80 રુપિયા મોંદ્યુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેકસ ત્રણ ગણા (275%) થઇ ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલ રાજય અને કેન્દ્રને ચૂકવવા પડતા ટેકસ લગભગ 107 ટકા હતા, જે હવે વધીને 275 ટકાની નજીક આવી પહોંચ્યા છે. પેટ્રોલની બેઝિક પ્રાઇસ 18 રુપિયાના આસપાસ રહે છે. જેની પર 50 રુપિયા સુધીનો ટેકસ લાગે છે,…
દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે આની પાછળ હાલના દિવસોમાં ક્રૂડ પર કેન્દ્ર દ્વારા વધારવામાં આવેલ એકસાઈઝ ડયુટી અને રાજ્યો દ્વારા વેટમાં કરવામાં આવેલ વધારો છે. ક્રૂડનો ભાવ 70 ટકા સુધી ઘટી જતા…
કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે. છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી રહ્યાં છે. રવિવારે પેટ્રોલમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો હતો. એ જ રીતે શનિવારે પણ ક્રમશ 59 પૈસા અને 58 પૈસા વધ્યા હતાં. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં લોકોને હવે પેટ્રોલ પ્રતિ લીટર 76.26 રૂપિયે પડશે અને…
કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે. કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મગન બારીયાનું ગતરોજ રોજ કોરોનામાં મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ જવા પામી છે. ASIના મોતને પગલે શહેર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલિ આપી હતી. જયારે પરિવારના મોભીના અકાળે થયેલા મોતને પગલે પરિજનોએ ભારે કલ્પાંત કરી મૂક્યુ હતું. હાલમાં મહિધરપુરા પોલીસ મથકમાં કોરોના યોદ્ધા ડ્યુટીમાં ફરજ…