કવિ: Karan Parmar

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા કોન્વીરવાયરસના નવા કેસોમાં છેલ્લાં 24 કલાકમાં 49,310 નો વધારો થયો છે, જે કુલ COVID-19 ને વધારીને 13 લાખની નજીક પહોંચી ગયો છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, વસૂલાતની કુલ સંખ્યા 8.17 લાખને વટાવી ગઈ છે. આ રોગને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 30,601 થઈ છે, જે એક જ દિવસમાં 740 મોત થયા છે. આજે અપડેટ કરવામાં આવેલા ડેટાએ બતાવ્યું કે COVID-19 કેસની કુલ સંખ્યા 12,87,945 છે. દેશમાં 4,40,135 સક્રિય કેસ છે, જ્યારે 8,17,208 લોકો સ્વસ્થ થયા છે અને એક વ્યક્તિ સ્થળાંતર થયેલ છે. છેલ્લા 24 કલાકમાં, રેકોર્ડ 34,602 દર્દીઓ સાજા થયાની…

Read More

DGGI (Directorate General of Goods and Service Tax Intelligence)એ સિગારેટના ગેરકાયદે દાણચોરીમાં 72 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનું જાહેર કર્યું છે વિશિષ્ટ બાતમી પર કડક કાર્યવાહી કરતાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ, હેડક્વાર્ટર (DGGI, હેડક્વાર્ટર) એ કોટામાં એક ફેક્ટરી દ્વારા સિગારેટની ગુપ્ત મંજૂરીના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. 17 જુલાઇ, 2020 ના રોજ, કોટા અને નાગૌરમાં ફેક્ટરીઓ, ટ્રેડિંગ કંપનીઓ, વખારો, ગુપ્ત કચેરીઓ અને લાભાર્થીઓની રહેવાસી સહિત વિવિધ સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન કારખાનાના કામદારો અને ફરજોની ચૂકવણી કર્યા વિના સિગરેટના પુરવઠા સંબંધિત વાંધાજનક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસમાં અત્યાર…

Read More

ઈરાને ચાબહાર રેલ પરિયોજના થી ભારતને બહાર કરવાનો કે પછી ચીનની સાથે ડિલ થવા બાદ ભારત સાથે છેડો ફાડ્યો હોવાના તમામ અહેવાલોને અફવા અને કાવતરું ગણાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભારત સૌથી નિકટતમ સહયોગી પૈકીનું એક છે અને તે હંમેશા ચાબહાર પરિયોજનાનો હિસ્સો રહેશે. ઈરાને કહ્યું કે એક ભારતીય અખબારે ચાબહાર ડીલની શરતોને વાંચ્યા વગર અહેવાલ પ્રકાશિત કર્યો, જેનાથી આ અસમંજસની સ્થિતિ ઊભી થઈ. ચાબહાર રેલ પરિયોજનામાં ભારતની જે ભૂમિકા હતી, તે પહેલાની જેમ જ બરકરાર છે. ઈરાનના પોર્ટ એન્ડ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનના ફરહદ મોંતાજિરે કહ્યું કે, આ દાવો સમગ્રપણે ખોટો છે. તેઓએ જણાવ્યું કે, ચાબહારમાં રોકાણ માટે ઈરાને…

Read More

રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટના ત્યારના મહારાજા રાજા માન સિંહની 1985માં કરાયેલી હત્યામાં 11 પોલીસકર્મીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની એક કોર્ટમાં આ કેસ બે દાયકાથી ચાલી રહ્યો હતો. આ કોર્ટમાં આવતીકાલે સજાની જાહેરાત થશે. આ કેસમાં 1,700 સુનાવણી થઇ છે અને 35 વર્ષનો સમય લાગ્યો છે. 21 ફેબ્રુઆરી, 1985ના રોજે આ હત્યા થઇ હતી અને આના કારણે રાજસ્થાનમાં રાજકીય આંધી સર્જાઇ હતી અને તેને પગલે ઘટનાના બે દિવસ બાદ જ કોંગ્રસના મુખ્યમંત્રી શિવ ચરણ માથુરને રાજીનામું આપી દેવું પડ્યું હતું. એક નિવેદનમાં રાજા માન સિંહના પ્રપૌત્ર દુષ્યંત સિંહે આ હત્યા અને તે પછીની ઘટના અંગે જાણ કરી હતી. તેમણે કહ્યું…

Read More

કોરોનાની મહામારીમાં સામાન્ય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે. ઉપરથી મોંઘવારી ફાટી નીકળતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે રાંધણગેસની સબસીડી બંધ કરવા મામલે કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢી હતી. ભાજપ સરકારની જન વિરોધી નિતી પર કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી સરકારને આડે હાથે લેતાં જણાવ્યું કે, મોંઘવારી, કાળાબજાર, સંગ્રહખોરી રોકવામાં ભાજપ સરકાર સદંતરે નિષ્ફળ નીવડી છે. ગરીબ અને મધ્યમવર્ગના મતોથી ચૂંટાયેલી સરકાર તેઓને જ ભૂલી ગઈ છે. સરકારમાં આવ્યા બાદ ભાજપે ગરીબ અને મધ્યમવર્ગ પર મોંઘવારી થોપી દેતા જનતાનો મરો થઈ રહ્યો છે. જાે કે, કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી સરકારે ગેસની સબસીડી બંધ કરી દીધી છે,…

Read More

શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે. એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મચ્છુ કરશન ભીમાણી (રહે. સીંધી કોલોની, સરદારનગર)એ ફરીયાદ નોંધાવી હતી કે થોડા દિવસો અગાઉ તે પોતાના ઘરે હતો ત્યારે બે અલગ નંબર પરથી તેને ફોન આવ્યા હતા અને પોતે કમલ સાબરમતી બોલતા હોવાનું કહીને તું રાજુ ગેન્ડીનો માલ કેમ વેચે છે ? તુ…

Read More

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે આરોપીઓ અન્ય સ્થળે હત્યા કરી તેને અહી ફેંકી ગયા હોવાનું પણ મનાઈ રહયું છે. જાેકે હાલ સરખેજ પોલીસ આ અંગે ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે અને સૌ પ્રથમ મૃતક આધેડની ઓળખવિધિ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા…

Read More

અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ એક હજાર કરતા વધારે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના તમામ વિસ્તારોની સોસાયટી- ચાલીઓમાં જઈને ટેસ્ટ થઈ રહયા છે તથા કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે. જેના કારણે જુલાઈ મહીનામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. અનલોક-1 માં નોકરી-ધંધા માટે છુટછાટ આપવામાં આવ્યા બાદ પણ મોટા માર્કેટ ખોલવામાં આવ્યા ન હતા. શહેરની મધ્યમાં આવેલ કાપડ અને સોના-ચાંદીના બજારો ધીમે ધીમે ખુલી રહયા છે પરંતુ વેપારીઓ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે તમામ મોટા માર્કેટમાં મનપાની ટીમ દ્વારા એન્ટીજન ટેસ્ટ…

Read More

અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી તેઓ આવ્યા નથી કે આવવા દેવાયા નથી. વળી, અમદાવાદની રથયાત્રામાં અમિત શાહ હાજરી આપવા આવવાના હતા અને લાખો લોકો સુધી તેનો જશ તેમને મળવાનો હતો. પહેલા હાઈકોર્ટથી એકવોકેટે જાહેરાત કરીને રથયાત્રા નિકાળવા માટે તૈયારી થઈ ગઈ છે. પણ…

Read More

લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપવાનું નક્કી કરી લીધું છે આડકતરી રીતે તેના નામની જાહેરાત પક્ષના પૂર્વ નેતાએ કરી દીધી હતી. કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ જો કોળી શિવાય ઈતરને ટિકિટ આપે તો અને ભાજપ કોળી સમાજને ટિકિટ નહીં આપે તો સમાજ વતી અપક્ષ ઊભા રાખશે. એવું કોળી સમાજે જીતાડવાનું નક્કી…

Read More