ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજી અટક્યો નથી ત્યારે હવે જાપાન દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સરકાર ચીનમાં રહેલી તમામ જાપાની કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન પોતાની 57 કંપનીઓને ચીનથી ફરી પરત બોલાવી શકે છે. એટલું જ નહીં, અન્ય 30 કંપનીઓને વિયેતનામ, મ્યાનમાર, થાઇલેન્ડ, અને દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રો પોતાના યૂનિટ પરત જાપાન પરત આવવા માટે પૈસા આપી રહી છે, નિક્કેઇ સમાચારના રિપોર્ટ પ્રમાણે સરકાર તેના માટે આશરે 70 અરબ યેન ખર્ચ કરશે
કવિ: Karan Parmar
એકિસસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બેંક, આરબીએલ સહિતની દેશની અમુક બેંક પહેલી ઓગસ્ટથી બેંકના વ્યવહાર અંગેના નિયમો બદલશે. આ બેંકો ટ્રાન્ઝેકશન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે. આ બેંકોમાંથી અમુક બેંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બેંકો મીનીમમ બેલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે. મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બેંક ઓફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બેલેન્સ રાખવું પડશે. બેંક ઓફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બેલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ.૧૫૦૦ હતું. મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બેલેન્સ ન…
ગ્રાહકોના અધિકારોને નવી ઉંચાઇએ લઇ જનારા ઉપભોકત સંરક્ષણ કાનુન 2019ની જોગવાઇઓ આજથી લાગુ થઇ ગઇ છે. નવા કાનુન હેઠળ ગ્રાહક કોઇ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધાવી શકશે. ભ્રામક વિજ્ઞાપનો પર દંડ અને જેલ જેવી જોગવાઇઓ પણ તેમાં છે. પહેલીવાર ઓનલાઇન વેપારને પણ તેના દાયરામાં લાવવામાં આવેલ છે. જે ફેરફાર થયા છે તે અંતર્ગત હલ્કી ગુણવત્તાવાળો માલ વેચનારા, ગુમરાહ કરતી જાહેરાત આપતા લોકોને જેલની હવા ખાવી પડશે. હલકી કે નકલી માલ વેચનારાને 6 માસની જેલ થઇ શકે છે કે 1 લાખનો દંડ પણ થશે. નવા કાનુનમાં ભ્રમિત કરતી જાહેરાતો અને તેને કરનાર સેલિબ્રિટી પર પણ શિકંજો આવશે. ભ્રમિત કરતી જાહેરાતોને કલમ…
ગાંધીનગર, 20 જૂલાઈ 2020 આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે. ખાટી છાશ 7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લિટરે 20 લિટર પાણીનાંખી ગાળી છંટકાવ કરવાથી ફઉગનાશખ, વિષાણું નાશક, પ્રતિકાર શક્તિ વધારનાર છે. સરળ અને સસ્તો ઉપાય ફુગનો સર્વનાશ કરી દે છે. ગુજરાતના રાજ્યપાલે પણ આ ફોર્મ્યુલાને માન્યતા આપી છે અને તેમણે પોતાના ખેતરમાં…
Launches campaign on social media from Junagadh to give Padma Shri award to Popular drummer Haji Ramkdun ગાંધીનગર, 20 જૂલાઈ 2020 મીર હાજી કાસમ – હાજી રમકડું એક એવા કલાકાર કે જેમણે ગુજરાતનું ઢોલક વાદન સમગ્ર વિશ્વ સમક્ષ લઈ ગયા છે. તે જ્યારે ઢોલ વગાડે ત્યારે જોનારા થંભી જાય છે. ઢોલના સંગતમાં આટલી તાકાત હાજીએ ભરી આપી છે. બીજો હાજી ન થાય. હાજીની થાપી જેવી કોઈ થાપી ન વગાડી શકે. આ હાજીને હવે પદ્મશ્રી 2021 માટે પસંદગી કરવા માટે તેમના તરફી નોમીનેશન કરવાની ઝૂંબેશ શરૂ થઈ છે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ્ પર હૅશટૅગ #Padma_Shri_for_Haji_of_Junagadh નો ટ્રેન્ડ શરૂ થયો છે. જૂનાગઢના વતની…
સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે? આ સવાલોની વચ્ચે સૌથી વધારે જોખમ ગરીબ દેશોમાં છે, જયાં જરૂરી સંસાધનોના અભાવને લીધે બાળકો સ્કૂલ છોડી રહ્યા છે. લોકડાઉનના કારણે દુનિયાભરમાં ૧૫૦ કરોડ બાળકોએ સ્કૂલે જવાનું બંધ કર્યું છે.…
દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ ૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને ‘ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર’ પ્રદાન કરે છે. અદાલતે કહ્યું છે કે, કલમ ૬૬એ અભિવ્યકિતની આઝાદીના મૂળ અધિકારનો ભંગ છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે ફેસબુક, ટ્વીટર, લિંકડ ઇન વ્હોટ્સએપ જેવી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર કોઇપણ પોસ્ટ મુકવા બદલ કોઇની ધરપકડ થઇ નહિ શકે. આ પહેલા કલમ ૬૬એ હેઠળ પોલીસને એ અધિકાર હતો કે…
અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ (APMC)કમિટીએ જેતલપુર APMCમાં ૩૧ જુલાઈ સુધી ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. કમિટીએ અગાઉ ૧૫ જુલાઈથી જમાલપુર યાર્ડમાં કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેણે જમાલપુરના વેપારીઓને જેતલપુરથી જ ૩૧ જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે, જમાલપુર APMC યાર્ડમાં જૂનના છેલ્લા અઠવાડિયાથી કામ શરૂ કરવામાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ પોલીસે મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે વેપારીઓએ હડતાળની ચીમકી પણ આપી હતી. બાદમાં જુલાઈમાં વેપારીઓને જેતલપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ ૧૫ જુલાઈ સુધી વેપાર કરવાના હતા. જો કે, હાલમાં APMCએ જણાવ્યું…
સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે.અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજો સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે. જેના પગલે ફફડી ઉઠેલા ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનુ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. ચીને સાઉથ ચાઈના સીમાં એક ટાપુ પર ચાર જે-11બી પ્રકારના અને બાકીના બોમ્બર વિમાનો તૈનાત કર્યા છે.આ લડાકુ વિમાનો અમેરિકાના યુધ્ધ જહાજોને જરુર પડે તો નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.જે જગ્યાએ આ વિમાનો તૈનાત કરાયા છે તે વૂડી ટાપુ પર પહેલી વખત આટલા મોટા પાયે ચીને લશ્કરી ગતિવિધિઓ…
દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ આખી દુનિયામાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી પર અંકુશ મેળવવા માટે પણ વેક્સીનેશન પ્રોગ્રામ એકસાથે દુનિયાભરમાં ચલાવવના ભલામણ કરવામાં આવી રહી છે. એવામાં ભારત તરફ દુનિયાના તમામ દેશો આશાભરી નજરે જોઇ રહ્યા છે. કોરોના વેક્સીનની વાત કરીએ તો ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્યુમન ટ્રાયલમાં છે, વિશ્વસ્તરે જરુરિયાત અને વસતીને લીધે ભારત આશરે 3 અબજ જેટલી વેક્સીન તૈયાર…