કવિ: Karan Parmar

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. જુલાઈ માસમાં નોંધાયેલા કુલ કેસના ૬૪ ટકા કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે પશ્ચિમમાં મે માસની સરખામણીએ કુલ કેસમાં લગભગ ૩૦૦ ટકાનો વધારો થયો છે. રાજય સરકારે લોકડાઉન-ચાર દરમ્યાન આપેલી છુટછાટ બાદ પણ…

Read More

ગુજરાતમાં જ્યારે નર્મદા યોજના બની રહી હતી ત્યારે રાજકારણીઓએ પોતાના પક્ષના મત ખંખેરવા માટે અનેક પોપલીલા કરીને ખેડૂતોને ભ્રમમાં નાંખ્યા હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે. નર્મદા નહેરોમાં 18.50 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈએ તેના 20 ટકા માંડ થઈ રહી છે. નહેરો બનાવવામાં ભાજપ સરકાર સદંતન અણઆવડત ધરાવતી સાબિત થઈ છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં આ થયું છે. તેઓ ગુજરાત મોડેલ કહે છે પણ નર્મદા યોજના પૂરી કરવામાં તેઓ નિષ્ફળ જવાના કારણે ખેડૂતો કૂવા આધારિત સિંચાઈ તરફ વળ્યા છે. ખેડૂતોના ખેતર સુધી નહેરો ન પહોંચવાના કારણે ખેડૂતોએ કુવા કે બોરવેલો બનાવવા પડ્યા છે. સરકારના છેલ્લાં કૃષિ અહેવાલમાં…

Read More

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસંધાને ઓટો રીક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી.…

Read More

મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ કરવાના છે. છત્તરની આ જી.આઇ.ડી.સી.નું ૨૪ હેકટરમાં નિર્માણનું આયોજન છે. તેમાં એમ. એસ.એમ.ઇ. એકમોને ૫૦૦ થી ૩૦૦૦ ચો. મીટરના ૧૨૭ પ્લોટ અને જનરલ કેટેગરીમાં ૩૦૦૦ થી ૭૦૦૦ ચો. મીટરના ૧૧ પ્લોટ ફાળવવામાં આવશે રાજ્યમાં હાલ ૨૧૨ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૬૩ હજાર થી વધુ ઉદ્યોગો ૧૭ લાખ ઉપરાંત લોકોને રોજગાર અવસરો પુરા પાડી રહ્યા છે.…

Read More

કચ્છના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના પ્લોટો બનાવામાં આવ્યા છે. તેને તાત્કાલિક દુર કરવા માંગ કરવામાં આવી છે. ભરૂડિયાના ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, ભરૂડિયા ગામના અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદે જમીનપર કબ્જો કરી મીઠું પકવામાં આવી રહ્યું છે. તેઓ ઓવરલોડ ટ્રકોમાં મીઠાનું પરિવહન કરતા હોય છે જેથી આ વિસ્તારના રસ્તાઓ પણ બગાડી નાખ્યા છે. અભ્યારણ હોવાથી વન્યપ્રાણીઓને પણ તકલીફ ભોગવવી પડી રહી છે. મીઠાના પ્લોટમાં જવા માટે સરકારી જમીનમાં મંજુરી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ પણ બનાવેલ છે. રસ્તા બનાવવા આજુબાજુની જમીનમાંથી માટી ઉપાડી મોટા ખાડાનો કર્યા છે જે ઢોળાવાળા પણ નથી. હાલમાં જ એક…

Read More

ગુજરાતમાં ચંદન વૃક્ષની ખેતી કરનારા ખેડૂતો વધી રહ્યાં છે. જેમને દર વર્ષે ખેતી કરવી નથી અને પડતર કે ઓછી ફળદ્રુપ જમીન છે ત્યાં ચંદનની ખેતી વધી રહી છે. 15 વર્ષ પછી ઉપજ આપે છે. ત્યાં સુધી રોકાણ કરવું પડે છે. પણ શેઢા, ગમાણ કે કુવાની આસપાસ છૂટક ચંદન ઉગાડવામાં આવે તો તે સારૂં વળતર આપે છે. ચંદનની ખેતી જેટલી નફાકારક બતાવવામાં આવે છે એટલી નથી. તેથી ખેડૂતોએ સાવધાનીથી તેમાં પડવું જોઈએ. ચંદન લાલ, સફેદ અને પીળા રંગોમાં ઉપલબ્ધ છે. અલ્કેશ પટેલ ગુજરાતમાં સફેદ ચંદનની માંગ સારીએવી છે. ચંદનનું 30 ટકા ઉત્પાદન થાય છે. ભરૂચ જિલ્લાના હાંસોટના કાંટાસાયણ ગામમાં 10 વર્ષ…

Read More

14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી. કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની હતી પણ હવે ભાજપના કાર્યકરોની ધરજ ખૂટી છે કે ક્યારે અપ્રિય જીતુ વાઘાણીને હાંકી કાઢો છો. પ્રદેશ પ્રમુખનું નામ તો ડિસેમ્બર 2019માં નક્કી થઈ ગયું હતું. પણ નામો જાહેર થઈ શક્યા ન હતા. હવે ફરીથી ભાજપના નવા સંગઠનની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ સંગઠન બનાવવાની…

Read More

કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમામ ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. બિહાર સરકારે આ નિર્ણય મંગળવારે મુખ્ય સચિવ દીપક કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (CJM)ની બેઠક બાદ લીધો હતો. નિર્ણય પહેલા મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ…

Read More

ગાંધીનગર, 12 જૂન 2020 રીંગણ શાકભાજીનો રાજા છે. તેની ખેતી બારે માસ થાય છે. પણ ચોમાસામાં તેનું વાવેતર વધું હોય છે. ગુજરાતમાં તેનું વાવેતર ઝડપથી વધ્યું છે તેનો મતલબ કે લોકો તેનું શાક બનાવવાનું વધું પસંદ કરે છે. તે લીલા શાક ટામેટા પછી સૌથી સસ્તું શાક છે. શાકમાં રીંગણનું વાવેતર ગુજરાતમાં વધું થાય છે. આખી દુનિયા રીંગણ ખાય છે. ભોજનમાં ભરપુર વ્યંજન બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. ખાસ બનાવટને કારણે એને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. વર્ષે રૂ.700 કરોડના રીંગણ ખેડૂતો પકવે છે અને ગ્રાહકો વર્ષે રૂ.2000 કરોડના રીંગણ ખાઈ જાય છે. વચ્ચેનો રૂ.1300 કરોડનો નફો વેપારીઓ લે છે.…

Read More

ખેડૂત અને માંડવીની જીવન રેખા ટૂંકી બની, ઉત્પાદન પર મોટો ફટકો પાડી શકે ગાંધીનગર, 12 જૂલાઈ 2020 સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીની જીવન રેખા કપાઈ રહી છે.  આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપક પણે મગફળી પીળી પડી ગઈ હતી. તેથી ખેડૂતોએ તે કાઢી નાંખવી પડી હતી. આ પ્રક્રિયાને રાતડ કે ગેરુ રોગ કે પાણી લાગવું કહે છે. ભારે વરસાદ કે વાદળો રહેવાથી આ રોગ આવે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને સૂર્યપ્રદાશ ન…

Read More