અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય. આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવતી બસ અલગ જગ્યાએ ઊભી રાખવાનું નક્કી કરાયું છે. ઉત્તર ગુજરાત ( મહેસાણા , પાલનપુર , વિભાગ ) થી સૌરાષ્ટ્ર ( રાજકોટ , જામનગર , જુનાગઢ , અમરેલી , ભાવનગર વિભાગ ) તરફ આવતી કે જતી સંચાલન થવા પામતી સર્વિસી રાણીપ , પાલડી…
કવિ: Karan Parmar
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને 60 દિવસનું કરોડો રૃપિયા આપવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની કુલ રોજ 700 બસ દોડતી હતી. જેમાં 630 બસ ખાનગી ઠેકેદારોની છે. કિલોમીટર દીઠના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના 30 ટકા રકમ આપવામાં આવશે. બે મહિનાના ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી 35 ટકા…
15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું વાવેતર વધું થતું હોય છે. આવું મગફળીમાં જોવા મળે છે. ગુજરાતમાં કોઈ પણ પાકમાં મગફળી તરફ સૌથી વધું ટ્રેન્ડ ખેડૂતોમાં આ મોસમમાં જોવા મળી રહ્યો છે. બીજા 52 પ્રકારના પાક કરતાં મગફળી આ વખતે ટોચ પર છે. જે 17 લાખ…
રાજકોટની સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે ડાયાલીસીસ વિભાગમાં રોજના 55 ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી.(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ કરી આપતું મશીન છે. ફેબ્રુઆરી માસથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ફેરેસીસની સુવિધા પણ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે. 1300 ડાયાલીસીસ થાય છે. IKDRC દ્વારા સંચાલીત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ૩૦ ડાયાલીસીસ અને બીપી મોનીટરીંગની સિસ્ટમ ધરાવતા મશીનો છે. અન્ય હોસ્પિટલોમાં અંદાજીત રૂ. ૧૦ હજારના ખર્ચે થતી ડબલ હ્યુમન કેથેટરની ડાયાલીસીસ કીટ તથા તેની પ્રોસિજર અહીં વિના મુલ્યે આપવામાં આવે…
ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ આવી રહી છે અને સ્થાનિક કંપનીઓની બનાવટની ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે નવી માર્કેટ સ્ટ્રેટેજી રચવામાં આવી રહી છે. આગામી ચાર-છ મહિનામાં તેની ભૂમિકા ઉભી કરી દેવાશે. તેના માટે રાજ્ય-કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આગળ વધશે. સ્થાનિક ઉદ્યોગપતિ ઓ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરશે. જેને કારણે ચીની બનાવટની ચીજવસ્તુઓની આયાત ઘટશે. તેના માટે ચાઈનીઝ બનાવટની આયાત થતી ચીજવસ્તુઓને વર્ગીકૃત કરાઈ રહી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ ની કેટેગરી અલગ કરાશે. સામાન્ય રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓની આયાત ચીનથી ઓછી થતી હોય છે તેમ છતાં આ મુદ્દાને ધ્યાનમાં લેવાશે. જા…
ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બીઝનેસ સેન્ટર (AC&ABC), ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHGs), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPCs), ફાર્મર જોઈન્ટ લાયબેલીટી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, PACS, ઈનપુટ રીટેલ આઉટલેટ, ઈનપુટ રીટેલર્સ અને શાળા-કોલેજોમાં નાણાકીય સહાય આપવા…
કોરોના સમય વડોદરા કા ફર્મા ઉદ્યોગ ચાલુ રહે છે. દેશમાં સૌથી વધુ વિટામિન-સી અને પેરાસિટામોલ દવાની કા ઉત્પાદન. ઉપરાંત પગથિયાની એક ફર્મા કંપનીએ હાઈડ્રોસિક્લોરોક્વાઇન બનાવવા માટે સ્વદેશી કે.એસ.એમ. યાની એંટડીયા અને 4,7, ડીસીક્યુ બનાવ્યું હતું. પહેલાં આ સામગ્રી માટે ચાઇના પર નિર્ભર રહેવું પડતું હતું. ચાઇના માંથી આયાત થાતી હતી. તે સ્થાનિય વિકલ્પ ઉપલબ્ધ થાયો છે. ફર્મા સેક્ટર ઇકાઇસર્સ ક્લેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા દવાના ઉદ્યોગોને ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી હતી. વડોદરાથી નિર્ધારિત વિટામિન-સી પેરાસિટામોલ સહિતના દવાનો નિકાસ કરવામાં આવે છે ગયા વર્ષ એપ્રિલ-મેની સરખામણીમાં, વડોદ્રામાં ફર્મા ક્ષેત્રમાં આ વર્ષના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વડોદરા સમગ્ર દેશમાં ફર્મા ઉદ્યોગો…
આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેત મજૂરોની જરૂરીયાત પડે છે. હાલના સમયમાં કોરોના મહામારી ના કારણે ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો મળવા મુશ્કેલ છે ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મનીષભાઈ આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના ખેતરમાં…
મહેસાણા, રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓઝા, GMRES હોસ્પિટલના ડીન ડો.સુભાષ પાલેકર, RMO ડો.સુરેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
લુણાવાડા, કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ન જવું, વગેરે. સાથે-સાથે માર્કશીટ આપતી વેળાએ વિદ્યાર્થીઓને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.