કવિ: Karan Parmar

નવસારી, કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કરવામાં આવી છે. તા.22 જુનના રોજ  જિલ્લામાં 06 વાહનો ડીટેઇન કરાયા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ. 31,700/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં…

Read More

રાજકોટ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં 20 હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ 4 હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકોના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ.30,000/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ 50% મુજબ પ્રતિ હેકટરે રૂ.22,500/- ની મર્યાદામાં ત્રણ હપ્‍તે 60:20:20 પ્રમાણે પ્રથમ વર્ષે 100…

Read More

અમદાવાદ, અમદાવાદની રથયાત્રા ન થવા અંગે અવલોકન કરવામાં આવી રહ્યાં છે. તે અંગેની અનેક વિગતો બહાર આવી છે. જેનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે જગન્નાથની જેમ અમદાવાદની રથયાત્રા પહેલા ન કાઢવાના મતમાં કેન્દ્ર સરકાર હતી. પછી દેશના હિન્દુ સંગઠનો એક થવા લાગતાં સરકાર પર દબાણ વધ્યું અને રથયાત્રા કાઢવા તૈયારી કરવી પડી. તેની સાથે અમદાવાદની રથયાત્રા પણ કાઢવાનું નક્કી હતું પણ દિલ્હીના બે રાજનેતાઓની આંતરિક લડાઈના કારણે અમદાવાદમાં કરફ્યું વચ્ચે ટ્રેક્ટરથી ખેંચીને 3 દલાકમાં રથયાત્રા કાઢવાની હતી. તે નિકળી શકી નહીં. જાણો આખો ઘટનાક્રમ અને તેનું અવલોકન. ગુજરાતની વડી અદાલતમાં એટવોકેટ દ્વારા સવારે 11 વાગ્યે જાહેર કરી દાવાયું હતું…

Read More

રાજકોટ, હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓએ આગળ કયો કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ કરવો અને તેને સંલગ્ન કઈ કોલેજમાં પ્રવેશ લેવો અથવા રસ-રુચિ અનુસાર તાલીમ માટેના ક્યાં કોર્ષ કરવા તે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અતિ ગંભીર પ્રશ્ન રહેતો હોય છે. આ માટે રાજકોટની રોજગાર કચેરીએ ખાસ સોફ્ટવેર બનાવ્યો છે. જેમા 1800 થી વધુ કોર્સની માહિતી યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ પ્રયાસ છે. કોરોના સમય દરમ્યાન કચેરીના સ્ટાફ દ્વારા માહિતીનો ઉપયોગ કરી એક્સલમાં ખાસ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં ધો. ૧૦…

Read More

લોકડાઉન અને કોરોનાને લીધે પહેલાથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે, આ સમાચાર આંચકાથી ઓછા નથી. 1 જુલાઈથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનાથી તમારા ખિસ્સા પરનો ભાર વધશે. એટીએમ કેસ ઉપાડ તમારા માટે 1 જુલાઈથી મોંઘા થશે. હા, કોરોના સંકટની વચ્ચે નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ વ્યવહાર ચાર્જ પાછા ખેંચી લીધા હતા. એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે સરકારે કોરોના સંકટ વચ્ચે લોકોને મોટી રાહત આપી હતી. આ છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી, જે 30 જૂન 2020 ના રોજ સમાપ્ત થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે નાણામંત્રીએ ત્રણ…

Read More

જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢવી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પીડિત મહિલાની મદદે પંહોચતા જાણવા મળ્યું હતું કે, પીડિત મહિલાની દીકરીના ફ્રેન્ડનો બર્થ ડે હોય બન્ને મમ્મી દીકરી બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. રાતે પાર્ટીમાંથી પરત આવ્યા બાદ બર્થ-ડે પાર્ટીમાં શા માટે ગયેલા તે બાબતમાંથી માથાકૂટ કરી, ઝઘડો કરી અને મહિલાના પતિએ…

Read More

આયુષ મંત્રાલયે કોવિડ -19 ની સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર (ઉત્તરાખંડ) દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે તાજેતરના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. દાવો કરાયેલા વૈજ્ઞાનિક અધ્યયનની તથ્યો અને વિગતો વિશે મંત્રાલય પાસે કોઈ માહિતી નથી. સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદકે જણાવ્યું છે કે આયુર્વેદિક દવાઓ સહિતની દવાઓની જાહેરાતો ડ્રગ્સ અને મેજિક ઉપચાર (આક્રમક જાહેરાત) અધિનિયમ, 1954 ની જોગવાઈઓ હેઠળ નિયમન કરવામાં આવે છે અને તેના નિયમો અને કોવિડ રોગચાળાના હુકમમાં કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા પ્રમાણે છે. મંત્રાલયે 21 એપ્રિલ 2020 ના રોજ આયુષ હસ્તક્ષેપ / દવાઓ સાથે કોવિડ -19 પર હાથ ધરવામાં આવનાર સંશોધન અભ્યાસની આવશ્યકતાઓ અને પદ્ધતિઓ સંદર્ભે 21…

Read More

કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવાની મંજૂરી તો અપાઈ છે પરંતુ હોટલ્સ અને રેસ્ટોરન્ટ માટે સ્થાનિક વહીવટી તંત્ર તરફથી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું હોટલ-રેસ્ટોરન્ટના માલિક અને ત્યાંની મુલાકાત લેનારા પ્રવાસીઓ પણ આ કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણ બંધ માઉન્ટ આબુમાં આજથી હોટલ્સ, રેસ્ટોરન્ટ, બજારો ખોલી દેવામાં આવ્યા…

Read More

વર્ષ 2013 માં IPL દરમિયાન થયેલી સ્પોટ ફિકિસંગ પછી ભારતીય ક્રિકેટ પર ડાઘ લાગ્યો હતો. ICCના એન્ટી કરપ્શન યુનિટને એમ કહીને BCCIની મુશ્કેલી વધારી છે કે, તે હાલમાં જે ભ્રષ્ટાચારને લગતા મામલાઓની તપાસ કરી રહી છે તેમાં મોટાભાગના કનેકશન ભારત સાથે જોડાયેલા છે અને ભારત તેનો અડ્ડો બનતો જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે IPL પછી હવે બુકીઓ દ્યરેલુ લીગને નિશાન બનાવી રહ્યા છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ એન્ટી કરપ્શન યુનિટના અધિકારી રિચાર્ડસને જણાવ્યુ કે અમે હાલમાં ભ્રષ્ટાચારથી જોડાયેલા દ્યણા કેસોની તપાસ કરી રહ્યા છીએ અને તેમાં 50 કેસ ભારત સાથે સંબંધિત છે. જો કે અત્યાર સુધી આ કેસમાં…

Read More

600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ચીનની ડિઝાઇનવાળી ટ્રેન તૈયાર થઈ ગઈ છે. ચાઇનાના સ્થાનિક રીતે વિકસિત પ્રોટોટાઇપ મેગ્નેટિક-લેવિટેશન ટ્રેનની પ્રદર્શન ચકાસણી શંઘાઇ રવિવારે શરૂ થઈ છે. https://www.youtube.com/watch?v=cuc03kxeHQs બુલેટ ટ્રેનોને વધુ ઝડપી મુસાફરી કરવા માટે ચાઇનાએ નવી વૈશ્વિક રેસમાં ફરી આગેવાની લેવાનું લક્ષ્ય રાખ્યું છે. ચુંબકીય લેવિટેશનની શક્તિનો ઉપયોગ કરીને ટ્રેક પરના 350 કિ.મી. થી કલાકથી 600 થી 1,000 કિ.મી. કલાકની ઝડપે ગતિ કરી શકશે. ચાઇના રેલ્વે ગ્રુપ લિમિટેડ માટેની ડિઝાઇન સંસ્થા દ્વારા ગુઆંગઝુથી બેઇજિંગ સુધી વિસ્તરતા નવા નેટવર્ક માટે શક્યતા અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જેના પર ટ્રેનો 600 કિલોમીટર થી કલાક અને 1,000 કિલોમીટર એક કલાકની અંતરે…

Read More