કવિ: Karan Parmar

સરકારી ખાનગી હોસ્પિટલોમાં જયારે કીડની , હૃદય , કેન્સર જેવી ગંભીર બિમારીઓ કે ઈમરજન્સીમાં કોઈ દર્દી સારવાર માટે પહોચે છે તો તેનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવો પડે છે. કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, તેવા સંજોગોમાં અન્ય બિમારીથી પીડાતા દર્દીઓના તાત્કાલિક વિનામૂલ્ય ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, માટે ખાનગી લેબની સંખ્યા પણ વધારવી જોઈએ. ઉપરાંત અન્ય બિમારીથી પીડાતા વ્યક્તિનો ટેસ્ટ કરાવવામાં આવે તેવા સંજોગોમાં જો તેનોરિપોર્ટ પોઝીટીવ આવે તો તેને કોરોના વોર્ડમાં ટ્રાન્સફર કરી દેવાય છે . તેને કોરોના સાથે અન્ય બિમારીની સારવાર પણ મળવી જોઈએ, પરંતુ તેવું…

Read More

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે . એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સારવારમાં કંઈક ખામી છે . આ ખામી શોધીને દૂર કરવી અનિવાર્ય છે . અમદાવાદમાં કોરોના સંક્રમણ કરતા પણ અન્ય બિમારીઓની સારવાર નહી મળવાને કારણે વધી રહેલા મૃત્યુદરને અંકુશમાં લેવા સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલરૂમ બનાવી પરિસ્થિતિનું સીધું નિયંત્રણ મુખ્ય પ્રધાન કરે .

Read More

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, ઉપરાંત રાજય સરકારે ત્રણ મોટી હોસ્પિટલ સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલને રુ . 8 લાખના પેકેજ લઈ કોરોના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. જે ગેરકાયદે છે . હાલની મહામારીની સ્થિતિમાં કોઈપણ ખાનગી હોસ્પિટલને મનફાવે તેવા રુપિયા લઈ કોરોનાનો ઈલાજ કરે તે ચલાવી લેવાય નહી . આથી સરકારે સાલ , સ્ટર્લિંગ , નારાયણી , એચસીજી , એપોલો અને ઝાયડસ હોસ્પિટલને હસ્તગત કરવી જોઈએ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય ગંભીર બિમારીનો ઈલાજ થાય તેનો ખર્ચ સરકારે ઉપાડવો જોઈએ . તમામ મોટી ખાનગી હોસ્પિટલમાં કોરોનાની…

Read More

કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, 15 મે 2020 સવારે 10 વાગ્યાની સ્થિતિ જોતા અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન 859 દર્દીઓના મોત નિપજયા છે . આ પૈકી એસવીપીમાં 106 , સિવિલ હોસ્પિટલમાં 306 , સોલા સિવીલમાં 22 અને અન્ય હોસ્પિટલમાં 25 દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજયા છે. આ વાસ્તવિકતા છે . કોરોનાથી મૃત્યુના આંકડાનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે શહેરની સિવિલ હોસ્પિટલમાં એસવીપીની સરખામણીમાં ત્રણ ગણા મૃત્યુ થઈ રહ્યા છે . તે ચિંતાજનક છે . એસવીપીમાં અત્યાર સુધી 106 દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે . જયારે સિવિલમાં 306…

Read More

દારૂબંધી ગેરકાયદેસર કાળા નાણાંની ગેરકાયદેસર મુક્તિ છે. ભાગીદારીમાં વહીવટી તંત્ર અને મંત્રીઓ વચ્ચે જે પૈસા ખોટી રીતે જાય છે તે સીધા સરકારની તિજોરીમાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો મફત શિક્ષણ અને મફત તબીબી મેળવી શકે છે. તેમ શંકરસિંહ વાઘેલાએ 15 મે 2020ના દિવસે જાહેરાત કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 24 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં દર વર્ષે દારૂબંધીના કારણે રૂ.20 હજાર કરોડનો વેરો ગુમાવે છે. એટલાં જ નાણાં પોલીસ તંત્ર અને મંત્રીઓ પાસે જતાં હોવાનો ગંભીર આરોપ ભાજપના ગૃહ પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર શંકરસિંહ વાઘેલાએ લગાવ્યો છે. એનસીપીના ગુજરાત પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,…

Read More

બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ વિગતો સાથેની માહિતી ડીજીટલ સ્વરૂપે સંગ્રહ કરવા મોબાઈ એપ બનાવવામાં આવી છે. આવનાર લોકો મારફતે કોરોના સંક્રમણ ફેલાય તો તેમને ટ્રેક કરવામાં સરળતા રહે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘ ગેટ વે આફ બોટાદ’’ નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન સરહદ પર આવેલી સાત ચેક પોસ્ટ પર ફરજ પરના…

Read More

કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખેડૂતોને નહીં થાય. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, “ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે. બે-અઢી મહિના (ખરેખ તો 53 દિવસ) લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના બનાવી છે. લોન પર વ્યાજ રાહત આપી છે પણ વેપારીઓને વેરામાં કોઈ રાહતો રૂપાણી સરકારે આપી નથી. વેપારીઓ વેરામાં રાહત માંગી રહ્યાં છે. ઘણાં વેપારીઓનો માલ બે મહિનામાં દુકાનમાં ખરાબ થઈ ગયો છે તેનું વળતર તેઓ માંગી રહ્યાં હતા. પણ હવે વેપારીઓ લોન લઈને તેનું થોડું વ્યાજ અને હપ્તા ભરવા પડશે. રાજ્યમાં 10 લાખથી વધુ એવા…

Read More

ચોમાસની ટુક સમયમાં શરૂઆત થશે તે માટે પ્રીમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે કરવાની માંગણી સાથે મહત્વની ગંભીર બાબત એ છે કે ગત વર્ષે 20 ઇંચ વરસાદમાં સરકારના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને આખું શહેર ડૂબી ગયું અને અને ૧૬થી વધારે નિર્દોષ નાગરિકોના મોત થયા અને નાગરિકો અને સરકારની માલ મીલ્ક્તને કરોડો-અબજો રૂપિયાનું નુકશાન થયું હતું. કોંગ્રેસ દ્વારા વડોદરા કલેકટર, વડોદરા મેયર અને મ્યુનિ ક્મીશ્નર વડોદરાને આવેદનપત્ર આપેલું હતું. મ્યુનિકાઉન્સીલર અમી રાવતના જણાવ્યા મુજબ, જો 1 જૂનથી કેરાલામાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોય છે. તેથી હવે વમપા પાસે હવે 1 મહિનો રહ્યો છે. જો ગયા વર્ષની…

Read More

શ્રમિક કોરોના ટ્રેન દ્વારા 14 મે 2020 સુધીમાં દેશના 800 શ્રમિક વિશેષ કોરોના ટ્રેન બની ગઈ છે. ટ્રેનો મારફતે 10 લાખથી વધુ મુસાફરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપૂરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે. જ્યાં કોરોના અગાઉ કરતાં વધું ફેલાયો છે. ઓડિશામાં બુધવારે નોંધાયેલા 101 નવા કોરોના કેસમાંથી 90 સ્થળાંતરકારો સાથે સંબંધિત છે. 3 મે પછી રાજ્યમાં 376 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.  300 થી વધુ કેસ ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળથી પરત આવેલા પરપ્રાંતિય…

Read More