કવિ: Karan Parmar

રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતાં હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી. ૧૦મી મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની ૭૦૪૬૪, નિબંધ સ્પર્ધાની ૩૮૦૩૭ અને કાવ્ય લેખનની ૧૫૭૩૩ મળીને કુલ ૧,૨૪,૫૩૪ કૃતિઓ મળી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની ૪૨૦૯૦ , નિબંધ…

Read More

1 લાખ કરોડ ગુજરાતના ભાગે આવી શકે છે. દરેક વ્યક્તિને રૂ.15500 મળી શકે છે. આ અંગે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કારણ કે કોરોનાના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે, કચેરીઓ ચાલતી નથી અને રોજગાર રહ્યાં નથી તથા 20 લાખ મજૂરો ગુજરાત છોડીને જતાં રહ્યાં હોવાથી ઉદ્યોગો ચાલી શકે તેમ નથી. તેથી ગુજરાત સરકારની આવકમાં રૂ.20થી 40 હજાર કરોડનો ફટકો પડી શકે છે. તેથી વેપાર અને લોકોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ગુજરાત સરકારની વર્ષે આવક રૂ.1.40 લાખ કરોડ છે. કેન્દ્ર સરકાર જે સહાય આપવાની છે તે ગુજરાત સરકારની હાલ કુલ આવક છે તેના 70 ટકા રકમ છે. આટલી જંગી…

Read More

કોરોના વાયરસ – કોવિડ-19ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે ગુજરાતે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મજૂરો અંગે ભલામણ ગુજરાત સરકારે કહ્યું છે કે, સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે, રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે. ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની ઉપલબ્ધિની વ્યવસ્થાઓ સુધારણા માટેની બાબતો પણ આ…

Read More

વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્રો પહોંચતા કર્યા છે. તેની સાથે વાલીઓને તેમના સંતાનો વર્ગખંડની પરિક્ષા જેટલી જ ગંભીરતાથી ઘરમાં જ આ પ્રશ્નપત્રો લખવાનો પ્રયત્ન કરે, તેની કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. પહેલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા શાળામાં આવતા હવે અમે પરીક્ષાને તેમના ઘેર પહોંચાડી છે. કોરોનાની મોખરાની હરોળના લડવૈયાઓ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.…

Read More

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૨૬૨ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૩ લાખ ૯૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાંથી આવી ૬૪૦ વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ૨૬૨ ટ્રેન એટલે કે ૪૧ ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે. આજે વધુ ૩૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે. મહારાષ્ટ્રમાંથી ૯૯ (૧પ ટકા), પંજાબથી ૮૧ (૧૩ ટકા), રાજસ્થાન ર૭ (૪ ટકા), કર્ણાટક ૩૬ (પ ટકા) અને તેલંગાણા…

Read More

પત્રકાર ધવલ પટેલ ના સમર્થનમાં જુનાગઢ સહિત ગુજરાતભરનાં પત્રકારો આવી ગયા છે. ધવલ પટેલને છોડી મૂકવા વિવિધ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર અપાયા છે. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરાયું છે. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે. દરેક મીડીયા માધ્યમના માલીકો ને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઈ. મેડિકલ, પોલીસ, સરસરકારી સ્ટાફની જેમ પત્રકારો પણ છે કોરોના યોધ્ધા છે ને સરકાર જેલમાં નાંખે છે. આવેદનપત્ર 13 મે 2020 શ્રીમાન મુખ્યમંત્રીશ્રી, ગાંધીનગર, ગુજરાત વિષય – અમદાવાદના પત્રકાર પર રાજદ્રોહનો કેસ સંદર્ભે ખાસ આવેદન.. શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદના સમાચાર અપલોડ કરવા બદલ…

Read More

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતમાં મોબાઇલ યુઝરની સંખ્યામાં જાન્યુઆરી, 2020માં 4.66 લાખનો વધારો થયો હતો. આ મહિનામાં જિયોના સબસ્ક્રાઇબરની સંખ્યામાં 4.93 લાખનો વધારો થયો હતો. હકીકતમાં વોડાફોન આઇડિયાએ ગુમાવેલા લગભગ તમામ ગ્રાહકો જિયોને મળ્યા છે. આ રીતે જાન્યુઆરી, 2020ના અંત સુધીમાં ગુજરાતમાં મોબાઇલના કુલ યુઝર 6.79 કરોડ હતા. કુલ વૃદ્ધિમાં જિયોએ સૌથી વધુ 4.93 લાખ યુઝરનું પ્રદાન કર્યું હતું. પછી ભારતી એરટલનાં ગ્રાહકોમાં 1.07 લાખ અને બીએસએનએલના ગ્રાહકમાં આશરે 12,300 યુઝરનો વધારો થયો હતો. એકમાત્ર વોડાફોન આઇડિયાએ 1.47 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા. જોકે, સબસ્ક્રાઇબરમાં સતત ઘટાડો થવા છતાં વોડાફોન આઇડિયાએ 2.73…

Read More

રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા રોગપ્રતિરોધક ઊકાળાના 1.79 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. સંશમની વટી 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1.5 કરોડ લોકોને મળી ગઈ છે. જોકે, મોટાભાગે તો સરકારી તંત્રના અધિકારીઓને દવા આપી દેવામાં આવી છે. પ્રજા સુધી આ દવા પહોંચી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઊકાળા-દવાઓના ઘેર-ઘેર વિતરણ કરવા કહ્યું હતું. પણ ઘરે કોઈને મળ્યા નથી એવી ફરિયાદ તમામ સ્થળેથી મળી છે. ત્યારે, રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે 7 ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત લાવવામાં આવ્યો છે. જેમાં, 2490 કિ.ગ્રા. સંશમની વટી,…

Read More

અન્ય દેશોમાં ગુજરાતના અટવાયેલા મનિલાથી 137 અને યુ.એસ.એ થી 107 મળી કુલ 244 વિધાર્થીઓ અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ 12 મે 2020એ આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેમની પસંદહગીની હોટલો પર તથા રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાના સ્થળોએ મોકલી આપવામાં આવ્યા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓને પસંદગી અપાયેલા જિલ્લાઓમાં અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ પર જ રવાના કરાયા હતા. આમ ભારતના પૈસા વિદેશ વાપરતાં વિદેશથી આવેલા લોકોને સારી સુવિધા આપવામાં આવી છે. પણ…

Read More

સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને પ્રાઇવેટ લેબ કે સરકારી હોસ્પિટલ સુધી જવાની જરૂરિયાત નહિ રહે. તેમનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ ઝડપી બનશે. આ ઉપરાંત, કોરોના વાઇરસ સંક્રમણના ભયને ટાળી શકાશે. કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે “પેશન્ટ કમ્પાર્ટમેન્ટ”, બીજું કોવિડ-૧૯ સેમ્પલ એકત્ર કરવા…

Read More