અમદાવાદ, 8 મે 2020 અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહીં ત્રણ થી ચાર કલાક સમય આપે છે. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર…
કવિ: Karan Parmar
ભારતીય નૌકાદળ દ્વારા રચાયેલ અને ઉત્પાદિત પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઇ.) ની ડીઆરડીઓની સંસ્થા આઈએનએમએસ (ઈન્સ્ટિટ્યૂટ Nફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાય્ડ સાયન્સ) દિલ્હી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પી.પી.ઇ. માટે પરીક્ષણ અને પ્રમાણપત્ર હાથ ધરે છે. ક્લિનિકલ કોવિડ શરતોમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન અને ઉપયોગ માટેના પ્રમાણિતતા. વર્તમાન ચાલુ કોવિડ -19 રોગચાળા દરમિયાન વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) ની અછત એ ગંભીર ચિંતા છે, કારણ કે તે તેમની સલામતી અને મનોબળને વિપરીત અસર કરવા ઉપરાંત આરોગ્ય સંભાળ કામદારોની સુખાકારી અને ઉપલબ્ધતાને જોખમમાં મૂકે છે. મૂકે છે. પી.પી.ઇ.એ કડક પરીક્ષણ માપદંડને પહોંચી વળવું છે અને આ માટેના લઘુત્તમ ધોરણો આઇસીએમઆર અને આરોગ્ય અને…
અમદાવાદ, 7 મે 2020 અમદાવાદ શહેરમાં કોરોના ચેપને અટકાવવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાને રજા પર ઉતારી દીધા છે. મુખ્ય પ્રધાનની નિષ્ફળતા જાહેર થતાં કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે. રોગને અટકાવવા માટે 3 જાણીતા તબિબોને અમદાવાદની સ્થિતી સુધારવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. વહિવટ કરવામાં નિષ્ફળ રહ્યાં હોય અને કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરવી પડી હોય એવી લાંબા સમય પછી ઘટના બની છે. 2002માં જ્યારે ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે તંત્રની નિષ્ફળતા માટે વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈને ગુજરાત આવવું પડ્યું હતું. તેમણે રાજધર્મ બજાવવા માટે સરકારના તે સમયના વડાને કહેવું પડ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજયમાં કુલ ૧૭૪.૦૦ લાખ ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ પ્રાથમિક તબક્કે રાજ્યના મિલ્ક શેડ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી તા.૦૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બાકીના ૨૩ જિલ્લાઓમાં પણ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી આગામી તા.૧૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવશે એમ રાજ્ય પશુ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. પશુઓમાં વિષાણુથી થતાં ખરવા મોવાસાના આ રોગના કારણે નાની ઉંમરના પશુઓમાં મોટા પ્રમાણમાં મરણ થાય છે અને મોટા વયસ્ક પશુઓમાં દૂધ ઉત્પાદન અને કાર્યક્ષમતા…
અમદાવાદ, 7 મે 2020 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે. સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેની પાછળ જવાબદાર કારણો વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ…
આ બાબતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા મુજબ, ચીનથી બહાર જતા વ્યવસાયોને આકર્ષવા માટે 500,000 હેક્ટર કદનું લેન્ડ પૂલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ હેતુ માટે દેશભરમાં કુલ 461,589 હેક્ટર વિસ્તારની ઓળખ કરવામાં આવી છે, મીડિયા સાથે વાત કરવાનો અધિકાર ન હોવાથી અને ઓણખાણ ન કરવાની શરતે લોકોએ કહ્યું: ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં હાલની ઔદ્યોગિક જમીનોના 115,131 હેક્ટરનો સમાવેશ થાય છે, એમ તેઓએ જણાવ્યું હતું. સંપાદનના વિલંબથી હતાશ સાઉદી અરામકોથી પોસ્કો સુધીની યોજનાઓ ભારતમાં રોકાણ કરવા ઇચ્છતી કંપનીઓ માટે જમીન સૌથી મોટી અવરોધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વહીવટ રાજ્ય સરકારો સાથે તે બદલવા માટે કામ કરી રહ્યું…
રાજ્યના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સ કામે લાગી ગયો છે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવાઇ છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લા બંધી કરી દેવાઈ છે. શહેરની પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટરી સહિત કુલ ૩૮ કંપનીઓ કામ કરતી થઈ છે. વડોદરા ખાતે…
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા ૮ મે, ૨૦૨૦થી શરૂ થશે. રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પરથી થશે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે. 210 ગુજરાતીઓ દેશ આવે એવી ધારણા છે. પહેલી યાત્રામાં કુલ ૧ હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાયરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. ભારતીયોને કેરળના કોચિ ખાતે…
પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા બન્ને ડિઝાઈન કરાઈ હતી પાટણ, 5 મે 2020 સામાજીક અંતર જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો આગળ રાઉન્ડ માર્કિંગની પહેલ દેશભરમાં અપનાવવામાં આવી છે. રાઉન્ડ કરવાનું પાટણ પહેલું હતું. રાઉન્ડ માર્કિંગ સિસ્ટમના પાયોનિયર રહેલા પાટણ જિલ્લાની વધુ એક પહેલ દેશભરમાં લાગુ કરવામાં આવી છે. લોકડાઉનની શરૂઆત સાથે જ ભોજન વિતરણ અને જનજાગૃતિની જે વ્યવસ્થા શહેરમાં ઉભી કરવામાં આવી હતી. તે જ પ્રકારની વ્યવસ્થા દેશના દરેક જિલ્લામાં ઉભી કરવા કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા 8 એપ્રિલ 2020ના રોજ એડવાઈઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાટણ જિલ્લા કલેક્ટર…
લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે ગાંધીનગર, 5 મે 2020 ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય રોગ માટેના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોઇ પરસ્પર સંક્રમણની સંભાવના ટાળવા નજીકની મોટી ખાનગી હોસ્પિટલ જેવી કે ગોએન્કા, આશ્કા, એસ.એમ.વી.એસ ને કોવિડ- ૧19 હોસ્પિટલ તરીકે તબદીલ કરવામાં આવી છે. જો ગાંધીનગર કલેક્ટર આવું કરી શકતાં હોય તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યવ્યાપી નીતિ કેમ જાહેર કરી શકતાં નથી કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારાનું ખર્ચ રાજ્ય સરકાર આપશે. મુખ્ય પ્રધાને લોકો પાસેથી રાહત ફંડમાં નાણાં એટલા માટે તો…