કવિ: Karan Parmar

લુણાવાડા, 11 જૂન 2020 ગુજરાત સરકાર દ્વારા અનલૉક – 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. તે અનુસંધાને કોરોના સંદર્ભના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરવા માટે બાલાસિનોર મામલતદારશ્રી સાથે નગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા બાલાસિનોર નગરમાં કોરોના…

Read More

જામનગર, પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે. કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે. મોરારીબાપુનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પર કહી રહ્યાં છે કે શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે જન્મ લીધો હતો, પરંતુ તેઓ દ્વારકામાં ધર્મની સ્થાપના એટલા માટે ન કરી શક્યાં કે તેમના પુત્ર અને ભાઇ બલરામ દારૂનું સેવન કરતા…

Read More

આણંદ, વિશ્વની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા અમુલ દ્વારા ઇમ્યુનીટી બુસ્ટઅપ માટે  જીંજર દુધ (આદુ વાળુ દુધ) અને તુલસી દૂધ લોંચ કરવામાં આવ્યું છે. એક માસ પહેલા કોરોના સંક્રમણથી બચવા માટે હલ્દી દૂધ પણ લોંચ કર્યુ હતુ, આમ,  આ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે દૂધની રેંજ રજૂ કરનારી અમુલ વિશ્વની પ્રથમ સંસ્થા બની છે. આજે જીંજર દુધ અને તુલસી દૂધ લોંચ કરવાની જાહેરાત કરતા અમુલના એમ ડી આર.એસ.સોઢીએ જણાવ્યું કે અમુલે આજે વિશ્વમાં પ્રથમવાર ઇમ્યુનીટી બુસ્ટર દૂધ લોંચ કર્યું છે. કોવિડ-19માં ઇમ્યુનિટી વધારવા માટે આર્યુવેદિક જ સૌથી બેસ્ટ છે ત્યારે એક મહિના પહેલા હળદર દૂધ લોંચ કર્યુ હતુ. જેને ખુબ જ સારો…

Read More

દુનિયાના ઘણા પાડોશી દેશો વચ્ચે કોઈકને કોઈંક કારણો સર સબંધો બગાડતા જાય છે તેમાં હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ સામેલ થયી ગયા છે. છેલ્લા ઘણા સમય થી ભારત અને ચીન વચ્ચે બોર્ડર માલમે પરિસ્થિતિ તંગ છે તેમાં હવે ચીન નું મિત્ર દેશ ઉત્તર કોરિયા પણ નવા ધાંધિયા કરે છે. છેલ્લા ઘણા સમયથી દુનિયાથી છુપાઇને રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહે દુનિયા સામે આવ્યાં પછી મોટો નિર્ણય લીધો છે. તાનાશાહ કિમજોંગ અને તેની બહેનની હાજરીમાં દક્ષિણ કોરિયા સાથે કોમ્યુનિકેશન લાઇન બંધ કરી દેવામાં આવી છે, 2018માં બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતીને કારણે આ લાઇન શરૂ કરાઇ હતી, જેમાં બંને દેશોના વડાઓ…

Read More

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરીએ કાલે ​​મોટર વાહનના દસ્તાવેજોની માન્યતા તારીખ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં વધારવાની જાહેરાત કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરામર્શ જારી કરી છે. અગાઉ, મંત્રાલયે 30 માર્ચ, 2020 ના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરામર્શ જારી કરીને સલાહ આપી હતી કે માવજત, પરમિટ (તમામ પ્રકારના), ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી અથવા અન્ય સંબંધિત દસ્તાવેજો માન્ય હોવા જોઈએ. લોકડાઉનને કારણે આ એક્સ્ટેંશન થઈ શક્યું નથી જે થવાની સંભાવના નથી અને જેની માન્યતા 1 ફેબ્રુઆરી, 2020 થી સમાપ્ત થઈ ગઈ છે અથવા 31 મે, 2020 સુધી…

Read More

અમદાવાદ, 10 જૂન, 2020 ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એમ શિક્ષણ વિદ્દોએ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું 10 મી નું પરિણામ આવ્યું છે જેમાં 60.64% વિધ્યાર્થી પાસ થયા છે આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% ઓછી છે. આ વર્ષે A1 ગ્રેડમાં માત્ર 1671 વિધ્યાર્થી પાસ થયા છે. ગયા વર્ષે 4974…

Read More

થોડા દિવસો પહેલા સ્પેસએક્સ – યુએસએ સ્થિત એક ખાનગી અવકાશ ક્ષેત્રની કંપનીએ અંતરિક્ષમાં નાસાના બે અવકાશયાત્રીઓ લોન્ચ કર્યા હતા. સ્પેસમાં ખાનગી ક્ષેત્રની સફળતા જોયા પછી ઇસરો પણ એવું જ વિચારી રહ્યું છે. અણુ ઉર્જા અને અવકાશ મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે ખાનગી ક્ષેત્રને તેમની અવકાશ સુધારવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સુવિધાઓ અને અન્ય સંબંધિત સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ખાનગી કંપનીઓને ઉપગ્રહો, પ્રક્ષેપણ અને અવકાશ આધારિત સેવાઓમાં લેવલ પ્લેઇંગ ક્ષેત્ર પ્રદાન કરવામાં આવશે. ગ્રહોના સંશોધન, બાહ્ય અવકાશ યાત્રા માટેના ભાવિ પ્રોજેક્ટ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા રહેશે. ઇસરો દ્વારા હાથ ધરાયેલી ભારતની પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ વિશે માહિતી…

Read More

અમદાવાદ, 10 જૂન 2020 રાજસ્થાનના પાલી જિલ્લાના માંગીલાલ પુરોહિતને ટ્યૂમરના કારણે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેમની હાલત એવી હતી કે તેમને તેમના સગા દ્વારા ચમચી પાણી પીવડાવવું પડતું હતું. હવે પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.  માંગીલાલની ‘Suffer’થી છુટકારો મેળવવા ખેડેલી 380 કી.મી.ની ‘સફર’ છે. ટ્યૂમર એ મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે. માંગીલાલ લોકડાઉનની વચ્ચે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ જવું ખૂબ…

Read More

પ્રાંતિજ પોલીસ સ્‍ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી  હિંમતનગર  ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર-GJ 09 CK 5500 ઉપર માદક પદાર્થ ચરસના પેકેટ નંગ 16ના મળી કુલ જથ્‍થો ૮.૧૨૫ કિ.ગ્રા. કિ. રૂ ૧૨,૧૮,૭૧૫ નો હેરાફેરી કરી લઇ જતા પોલીસ પ્રેટ્રોલીંગ દરમ્યાન પકડાઇ ગયેલા હતા. ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરી આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રીના રીમાન્ડ પીરીયડ દરમ્યાન તેની પુછપરછ કરી …

Read More

ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે. છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડના રાપર તાલુકાના અનેક ગામોમાં એક થી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો જેમાં ગાગોદર, પલાંસવા, કિડીયાનગર, પ્રાગપર, વલ્લભપર, કાનમેર, આડેસર, ભીમાસર, રવ, બેલા, ડાવરી, નિલપર, સઈ સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા મથક રાપર ખાતે પણ અડધાથી…

Read More