કવિ: Karan Parmar

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકોની બિનજરૂરી અવર-જવર ચલાવી લેવાશે નહીં. બિનજરૂરી ફરતા વાહનોને લોકડાઉનનો ભંગ ગણી ડીટેઈન કરાશે તેથી નાગરિકોએ કારણ વગર ફરવું નહીં. લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે માત્ર ખાનગી વાહનોને જ છૂટછાટ આપવામાં આવી છે પેસેન્જર વાહનોને કોઇ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી ત્યારે લોકડાઉનના અમલ દરમિયાન જો રીક્ષા, ટેક્સી જેવા વાહનો જાહેરમાં ફરતા જોવા મળશે તો આ વાહનોને જપ્ત કરવામાં આવશે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ખાસ તકેદારી રાખીને સતત…

Read More

લોકડાઉન સમય દરમિયાન દવાના દુર ઉપયોગ કરતાં વ્યકિતઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી: રૂપિયા ૩ લાખની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આખા ગુજરાતમાં દારૂના નશાના સ્થાને આવી નાર્કો ડ્રગ્સ વાપરવામાં આવી રહી છે. રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા અન્ય નશાકારક ગોળીઓનો મોટો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવતાં ફુડ એન્ડ ડ્રગ્સની મહેસાણા અને પાટણ ઓફિસની સંયુકત ટીમે સદરહું જગ્ય્યાએ તા ૨૬-૦૪-૨૦૨૦ના રોજ પાટણ ખાતે રેડ કરતાં આ જગ્યાએથી (૧) કોડીન સિરપ, ૮૪૦ × ૧૦૦ એમ.એલ, (૨) ટ્રેમાડોલ કેપ્સુલ ૩૨૦૦ કેપ્સુલ તથા (૩)…

Read More

ગાંધીનગર, 26 એપ્રિલ 2020 રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓને રજૂઆત કરવામાં આવતાં ઓરિસ્સાની નવીન પટનાયક સરકાર દ્વારા 4 લાખ કારીગરોને વતને લઇ જવા આયોજન કરાયું છે. સુરતમાં જ ઓરિસ્સાવાસી કારીગરોની સંખ્યા 4 લાખથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં 7 લાખ જેટલી સંખ્યા એક જ રાજયની છે. જેને સુરત બહાર ધકેલી દેવા માટે સી આર પાટીલ રાજકીય રમત રમીને માત્ર પ્રસિદ્ધી મેળવી રહ્યાં છે. આ કારીગરોને સુરતમાં જ રાખવાના બદલે ઓરીસ્સા મોકલી દેવાનું રાજકારણ ચંદ્રકાંત પાટીલ રમી રહ્યાં છે. 1994ના સુરતના પ્લેગ વખતે ઓરિસ્સામાં વસતા કારીગરો હિજરત કરી જતાં નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં આ કારીગરોને પરત લાવવા માટે તે વખતના સુરતના સાંસદ અને ટેક્સટાઇલ…

Read More

ગુજરાત માટે ચિંતા 23 એપ્રિલે પ્રાપ્ય ડેટાના આધારે આઇઆઇટી દિલ્હીએ એક નવું ડેશબૉર્ડ પ્રકૃતિ તૈયાર કર્યું. આ ડેશબૉર્ડ બતાવે છે કે 19 રાજ્યો અને 10 જિલ્લાઓમાં ભારતના કુલ ચેપના 60% છે. ડેટા અનુસાર દેશમાં સૌથી વધુ ચેપનો દર (આરઓ) 3.3 ગુજરાતમાં છે. આરઓ એટલે કોઇ બીમાર માણસ એક ગ્રૂપમાં સરેરાશ કેટલા વ્યક્તિને બીમાર પાડી શકે એનો દર. એટલે ગુજરાતમાં દરેક ચેપી વ્યક્તિ સરેરાશ 3.3 લોકોને ચેપ લગાડી રહી છે. રાષ્ટ્રીય સરેરાશ દર 1.8 છે અને 100માંથી માત્ર 28 જિલ્લાઓમાં જ ટ્રાન્સમિશન દર એના કરતા વધારે છે. આ જિલ્લાઓ રાજસ્થાન, યુપી, એમપી, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને પંજાબમાં આવ્યા છે.…

Read More

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા વ્યાપ સામે આરોગ્યતંત્ર સંક્રમિત વ્યક્તિઓની સારવાર સુશ્રુષા માટે સંપૂર્ણ સજજ છે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કહ્યું કે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ 4000 બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરુ કરી છે. તેમણે કહ્યું કે આ મહાનગરોની કોવિડ હોસ્પિટલ ઉપરાંત રાજ્યમાં જિલ્લા મથકો ઉપર 25 સરકારી અને 31 ખાનગી હોસ્પિટલ જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેકટર દ્વારા કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી તેમજ 3 પ્રાયવેટ હોસ્પિટલ સાથે 10 હજાર બેડની કુલ ક્ષમતા કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટે ઊભી કરેલી છે.…

Read More

છોટાઉદેપુરના ગુનાતા ગામમાં શિલ્પકાર મેહુલ રાઠવાએ તળાવના કાદવમાંથી બિરસા મુંડાની પ્રતિમા કંડારી છે. છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે સહપરિવાર ગુણાતા ગામની મુલાકાત લીધી હતી અને બિરસા મુંડાની મૂર્તિ નિહાળીને ખુશ થયા હતાં. શિલ્પકાર મેહુલ રાઠવાને પાંચ હજાર રૂપિયાનું ઇનામ અને અભિનંદન પાઠવ્યા હતાં. બિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫માં ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. બ્રિટિશ શાસકોથી બુરી દશાથી અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે  નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં રોગચાળામાં બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે…

Read More

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અપીલ બાદ કોરોનાવાયરસના દર્દીઓ કે જેઓ તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના ઉપાય કરે છે. પ્લાઝ્મા દાન આપે છે.  જેથી ગંભીર દર્દીઓના જીવ બચાવી શકાય. કેજરીવાલે કહ્યું કે, “આગળ આવો અને પ્લાઝ્મા આપો. આપણે બધા પુન:પ્રાપ્ત થવા અને કોરોના સંકટમાંથી બહાર આવવા માંગીએ છીએ. જો કોઈ દર્દી આવતીકાલે હિન્દુ છે અને તે ગંભીર છે, તો કોણ જાણે કે મુસ્લિમ દર્દીના પ્લાઝ્માએ તેને બચાવી લીધો હોઈ શકે. એવું બની શકે કે કોઈ ગંભીર સ્થિતિમાં સંક્રમિત મુસ્લિમ માટે હિન્દુનું પ્લાઝ્મા બચાવવામાં કામ આપી શકે છે. ” કેજરીવાલે કહ્યું કે કોઈ પણને કોરોનાવાયરસથી ચેપ લાગી શકે છે, પછી ભલે…

Read More

કોરોનાના કારણે 3 મે માટે બંધ છે. જેના કારણે દેશમાં તમામ જાહેર પરિવહન, ટ્રેનો, વિમાન વગેરે બંધ છે. હવાઈ ​​અને રેલ્વે પેસેન્જર સેવાઓ સ્થગિત થવાને કારણે બે ન્યાયાધીશોએ દેશના જુદા જુદા ભાગોમાં ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળવા માટે બે હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરી હતી. આ ન્યાયાધીશોની તાજેતરમાં ઉચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી કરવામાં આવી છે.  કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ દિપાંકર દત્તા બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે. તે અને તેનો દીકરો લાંબા અંતરથી મુંબઇ જવા માટે એકાંતરે કાર ચલાવી રહ્યા છે. મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઈકોર્ટના જજ વિશ્વનાથ સમાધરની બઢતી થઈ છે. તે…

Read More

વોડાફોનનાં 5 સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને 28 જીબી ડેટા ફન સુધીની કિંમત 19 રૂપિયાથી શરૂ થાય છે. વોડાફોનની આ 5 યોજનાઓ એવી છે કે તે રિલાયંસને પછાડી શકે છે. વોડાફોન 19 યોજના પ્રથમ સસ્તી વોડાફોન પ્લાન 19 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 2 દિવસની છે, આ પ્લાનમાં 200 એમબી ડેટા અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામાં આવી છે. વોડાફોન 129 યોજના બીજી સસ્તી વોડાફોન યોજના 129 રૂપિયા છે. આ પ્રીપેડ યોજના સાથે 2 જીબી ડેટા ઉપલબ્ધ છે, તેની સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ આપવામાં આવે છે. આ યોજનાની માન્યતા 24 દિવસની છે. વોડાફોન 149 યોજના ત્રીજી…

Read More

કોરોના યુગમાં પણ ભાજપનું રાજકારણ ચાલુ છે, હવે મમતા સરકાર વિરુદ્ધ ઘરોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે પશ્ચિમ બંગાળ ભાજપે સીએમ મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકાર પર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ સાથેના વ્યવહારમાં ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. તેની સામે રવિવારે (26 એપ્રિલ, 2020) પક્ષના નેતાઓ અને સમર્થકો મમતા બેનર્જી સરકાર સામે તેમના ઘરેથી વિરોધ કરશે. પક્ષનો આરોપ છે કે રાજ્ય સરકાર કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા નિષ્ફળ થઈ રહી છે. શાસક ટીએમસી દ્વારા તેના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવો આરોપ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી રહ્યા…

Read More