કવિ: Karan Parmar

અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું કે, જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે. પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે. સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટી ને સેનેટઈઝ કરાવવાની જાણે હોડ લાગી હોય તેમ લાગી રહ્યું છે. તેઓ પોતાના ઘરને સેનેટાઈઝ કરાવવા માટે ફાયર બ્રિગેડને દબાણ કરે છે. લાગવગ કરે છે. ઉપરથી ફોન કરાવડાવે છે. શહેરના hotspot ગણાતા તેમજ અન્ય વિસ્તારોમાં બેથી ત્રણ વખત સેનેટાઇઝ ની…

Read More

અમદાવાદની ડેઝીગ્નેટેડ કોવીડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે માહિતી ખાતાએ કહ્યું કે દર્દીને ગુણવત્તાયુક્ત ભોજન પુરુ પાડવામાં આવે છે. હોસ્પિટલમાં થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન પુરુ પાડવામાં આવે છે. આ તેનું મેનુ છે. કોવીડ હોસ્પિટલમાં દર્દીને અપાતા ભોજનનું મેનુ સવારે 7- 00 ચા,દૂધ,કોફી,બિસ્કીટ સવારે 8-30 ફ્રૂટ્સ(મોસંબી,સંતરા,કેળા) સવારે 9-00 બટાકાપૌંઆ,કાંદાપૌંઆ,મસાલા ભાખરી સવારે 10-30 વેજિટેબલ સુપ બપોરે 12-00 લંચ (રોટલી,શાક,દાળ,ભાત,સલાડ,છાશ) બપોરે 3-00 ફ્રૂટ ડિશ (પપૈયા,તરબૂચ,કેળા) સાંજે – 5-00 ચા સાંજે 7-00 ડિનર( રોટલી,શાક,કઢી,ખીચડી) રાત્રે 9-30 ગરમ દૂધ અને બિસ્કીટ સિવિલ હૉસ્પિટલમાં ડાયેટિશ્યન તરીકે કાર્યરત રાજેશ્વરી કહે છે : “દર્દીઓને પ્રવાહી અને ગરમ ખોરાક આપવાથી…

Read More

ભૂજ, 25 એપ્રિલ 2020 2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં 500 લોકો અપંગ કે દર્દી બન્યા હતા. જેમાં હાલ 90 દર્દીઓ ખરાબ જીવન જીવી રહ્યાં છે. તેમની હાલત કોરોનામાં અતિ ખરાબ થઈ છે. ભચાઉમાં 7, આંબરડી-2, ચોબારી-4, વોંધ-7, બંધડી-2, મનફરા-2, દુધઇ-4, ચિરઇ-2, છાડવાડા-4 દર્દી જીવે છે. સરકાર દ્વારા આ દર્દીને મહિને રૂા. 2500 મળે છે. વ્હીલચેર, ઘોડી, દવા, સાધનો મળતાં હોય છે. બહાર દવા મળતી નથી. ઘણા દર્દીને પીઠ પાછળનો ભાગ ખરાબ હોય, ચાંદાં પડે. વિકલાંગો માટે સેવા કરતા ભોજાય ટ્રસ્ટ, બિદડા સર્વોદય ટ્રસ્ટ, નવજીવન વિકલાંગ સેવાશ્રમ  દ્વારા રાહત આપવામાં આવતી રહી છે.  આજના સમયે આ દર્દી માટે તંત્ર કંઇક ગોઠવે એવી…

Read More

અમદાવાદ, 25 એપ્રિલ 2020 લગ્ન માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે 7થી 8 હજાર લગ્ન થવાના હતા. કોરોના વાયસરના એક મહિનામાં બીજા એટલાં જ લગ્ન બંધ રહેતાં 15 હજાર કન્યા અને કુમાર બન્ને પક્ષે સપના રોળાયા છે. હવે ઓનલાઈન લગ્ન થઈ રહ્યાં છે. 2012માં અખાત્રીજના દિવસે 5 હજાર લગ્ન નોંધાયા હતા. હવે તે 8 વર્ષ પછી 8 હજાર આસપાસ થયા છે. રૂ.1 હજાર કરોડથી રૂ.3 હજાર કરોડનું લગ્નનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. કરેદ જિલ્લામાં સરેરાશ 200થી 400 જેટલાં લોકો લગ્નના ધંધા સાથે જોડાયેલા છે. જેમાં ગોર મહારાજ,  કેટરિંગ, સોની. કાપડ, પાર્ટી પ્લોટ, હોલ, સમાજવાડી, ઓરકેસ્ટ્રા, ફોટોગ્રાફર, બ્રાહ્મણ, ફૂલવાળા, કાપડ ઉદ્યોગ,…

Read More

કોવિડ-૧૯ વાયરસની સારવાર માટે અમદાવાદની સૌથી મોટી સિવિલ કેમ્પસમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. અહીં અત્રે ૬૭૪ દર્દીઓ દાખલ છે તે પૈકી ૫૫૩ દર્દીઓ પોઝીટીવ છે. ૧૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે, ૨૩ દર્દીઓ ઓક્સિજન પર છે. ૬૩૯ દર્દીઓ સ્થિર તબિયત ધરાવે છે. આજે સવાત્રે ૮ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૮ દર્દીઓને રજા અપાઈ છે જ્યારે ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. હોસ્પિટલમાં દર્દીઓને ગરમી ન લાગે તે માટે દરેક દર્દી એલ પેડલ સ્ટેન્ડ પંખાની સુવિધા કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી…

Read More

અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ અમદાવાદ 25 એપ્રિલ 2020 બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી બાળકોની કાળજી રાખવામાં આવી રહી છે. તમામ ૧૮ સંસ્થાઓમાં પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિયમીત બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવે છે. બાળકોને હાથ ધોવાની પદ્ધતિ શીખવી, ખાવા-પીવાની આદતો તથા આરોગ્યવર્ધક દૈનિક ક્રિયાઓમાં સુધારો લાવી કોવિડ-૧૯ના અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના તમામ બાળ-સંભાળગૃહમાં આયુર્વેદિક દવાઓ અને ઉકાળા આપવામાં આવ્યા છે. બાળ સંભાળની…

Read More

લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ થતાં ફેક્ટરી કે એકમો સુધી જવા- આવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ ૧૦,૭૦૦થી વધુ પાસ ઈસ્યૂ કર્યા છે. ૧૨૮૪ જેટલા પાસ બાંધકામ ઉદ્યોગ માટે આપવામાં આવ્યા છે. ૨૦ એપ્રિલ બાદ લોકડાઉનમાં અપાયેલી રાહત બાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૪૨ થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે, જેમાં ૪૪ જેટલા ઔદ્યોગિક એકમો આવશ્યક ચીજવસ્તુઓને…

Read More

ગાંધીનદર, 25 એપ્રિલ 2020 લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા. https://twitter.com/vijayrupanibjp/status/1252547089369911298 રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે. નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી હાથ ધરાશે નહિ. હોટસ્પોટ જાહેર થાય કે ત્યાં કરફયુ જાહેર થાય તો આવી કચેરી તુરત જ બંધ કરી દેવાની રહેશે. ઊદ્યોગ ર૦ એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ પૂન: શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અનુસાર આપેલી મંજુરી અંતર્ગત ૪૦ હજાર જેટલા ઊદ્યોગ-એકમો કાર્યરત થયા છે. પાંચ લાખ શ્રમિકો-કામદારોને…

Read More

https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976 કોરોના વોરિયર્સ’ ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને ‘પાસા’ હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા. જાહેરનામા ભંગ 23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 807 તથા 464 અન્ય ગુના (રાયોટિંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4547 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3261 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ સુધીમાં 6175 અને અત્યાર સુધીમાં 1,03,936 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કર્યા છે. પત્રકાર પરિષદને સંબોધતી વેળાએ 24 એપ્રિલ 2020ના દિવસે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું, કે, — કર્ફ્યુ નથી રાજ્યમાં લોકડાઉન…

Read More

ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો કરીને જિયોનું વેચાણ કર્યા બાદ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના ઉમેદવાર પરિમલ નથવાણીએ ભારતના અર્થતંત્ર અંગે જણાવ્યું છે. કોરોનાનો ફટકો અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને જી.ડી.પી. ઘટીને 1.9 ટકા કે 1.6 ટકા થઇ જશે તેવું નિષ્ણાંતો માને છે. જોકે કોરોના મહામારી આવી તે અગાઉથી અર્થતંત્ર નબળું તો પડી જ રહ્યું હતું. કોરોના મહામારી એ પડતા અર્થતંત્ર પર પાટુ કહી શકાય. કોરોનાને લીધે ચીન વિરુદ્ધ વૈશ્વિક મત ધીમે-ધીમે જોર પકડી રહ્યો છે. તેનો લાભ ભારતને…

Read More