રાજકોટ, 20 એપ્રિલ, 2020 જીવલેણ કોરોનાવાયરસને ખેતમ કરે એવો રાજકોટના ડોક્ટર રાજેશ દોશીએ ડોક્ટર નાકમાં સ્પ્રે કરીને લઈ શકાય એવી દવા શોધી છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ તે શોધ 8 એપ્રિલ 2020ના રોજ આપી છે. અનુનાસિક મિસ્ટ સ્પ્રેના શોધક રાજેશ દોશીએ સરકારને ખાતરી આપી છે કે આ સ્પ્રે નાક માટે સલામત છે. રૂપાણીએ તેમને ડ્રગ્ઝ કમીશ્નર સમક્ષ મોકલ્યા હતા. જ્યાંથી સ્પ્રેમાં વપરાતાં મીનરલ્સ નકસાન કરે તેમ નથી એવું મૌખીક રીતે જાણ કરી છે. સરકાર આ માટે ફુડસપ્લીમેન્ટ તરીકે લાયસંસ આપી શકે છે. ગુજરાત માટે આ નવી શોધ છે. જે દુનિયા સમક્ષ જઈ શકે છે. ડ્રગ્સ કમીશ્નર દ્વારા સ્પ્રેમાં વપરાયેલા મીનરલના…
કવિ: Karan Parmar
અમદાવાદ, 20 એપ્રિલ 2020 બુલેટિનમાં સંખ્યા, રાજ્યમાં કોઈ નમૂનાઓ બાકી નથી. જો કે, ફક્ત ત્રણ મહાનગરપાલિકાઓ અને ત્રણ જિલ્લાના ડેટા દર્શાવે છે કે પરીક્ષણ માટે મોકલેલા કુલ 3500 નમૂનાઓ હજુ પણ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, શુક્રવારે સવારે, COVID-19 બુલેટિનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,812 નમૂનાઓ એકત્રિત થયા છે, જેમાં 20,791 નકારાત્મક પરીક્ષણ થયા છે, જ્યારે બાકીના 1021 પરીક્ષણો સકારાત્મક છે. આ સૂચવે છે કે કોઈ બાકી નમૂનાઓ નથી અને અનડેસ્ટેડ વસ્તીમાં કોઈ પણ નવા સકારાત્મક કેસ જોવા મળશે. તેમ છતાં, તેમના મ્યુનિસિપલ કોર્પોરેશનોના ગુરુવારના આંકડા મુજબ, અમદાવાદ 2,151 નમૂનાઓ, સુરત, 1,083 નમૂનાઓ માટે અને 27,…
ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાંક ગંભીર મુ્દદાઓ ઊભા કરેલાં છે. જેમાં …. 1. કેટલીક ખાનગી હોસ્પિટલોને સરકાર હસ્તક કોરોનાની સારવાર માટે લઈ લેવી જોઈએ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 પોઝિટિવ દર્દીઓ રઝળી પડેલા તે ઉપરાંત એક પોલીસ કોન્સ્ટેબલે લેખિતમાં ફરિયાદ કરેલી કે તેને પથારી નથી મળી અને પંખાની સગવડ પણ નથી. 2. એક જ વોર્ડમાં મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવે છે. સંડાસ-બાથરૂમ માટે લાઈનો થાય છે. તે ઉપરાંત પીવાના પાણી માટેના જગ પણ ઓછા હોય છે. એટલે ત્યાં પણ લાઈન થાય છે. એટલે પોઝિટિવ દર્દીઓની વચ્ચે પણ lockdown જળવાતું નથી, આવા…
સોલર પેનલની સ્થાપનાના 16 પ્રોજેક્ટ્સમાંથી 14ની મંજૂરી આપીને રૂ.1.67 કરોડ આપી છે. રૂ.5.46 કરોડને સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ છે. સૂર્યથી ઠંડી પેદા કરવામાં આવી રહી છે. તમામ પ્રોજેક્ટ તકનીકી ચકાસણી સમિતિ તેમજ એમઆઇડીએચની માર્ગદર્શિકા મુજબ મળી મુખ્ય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કરવામાં આવી છે. જેમાં 4 કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અરવલી જિલ્લામાં બાયડ, મોડાસા, ધનસુરા બટાટા માટે બનાવાયા છે. વડોદરા, બનાસકાંઠા, ભાવનગર અને રાજકોટમાં એક એક પ્રોજેક્ટ થઈ ગયા છે. સાબરકાંઠામાં 3 પ્રોજેક્ટ છે. ભાવનગર અને રાજકોટમાં ડૂંગળી અને બીજી વસ્તુ માટે છે. 4 પ્રોજેક્ટ ગાંધીનગરમાં છે. એક કોલ્ડ સ્ટોરેજનું સૂર્ય ઊર્જા પેનલનું ખર્ચ…
ઉનાળું ઋતુના પાકમાં ગુજરાતમાં વાવેતરમાં બીજા નંબરનું સ્થાન ઉનાળુ ડાંગરનું આવે છે. જેનું વાવેતર 50 હજાર હેક્ટર છે. તેમાં સૌથી વધું 15 હજાર હેક્ટર વાવેતર અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે. ત્યારબાદ ખેડામાં 14 હજાર હેક્ટર વાવેતર ખેડૂતોએ કર્યું છે. રોગચાળાના કારણે અમદાવાદના સિંચાઈ વિસ્તારમાં ભેજના કારણે થતી ડાંગરમાં રોગ જોવા મળે છે. તેથી ઉત્પાદન ઘટતા બાવળાની ચોખા બજારને સારી એવી વિપરીત અસર થવાની ભીતિ ખેડૂતો બનાવી રહ્યાં છે. ઉનાળુ ડાંગરમાં ઘણી જીવાત જોવા મળી રહી છે. વોટર વીવીલ નામના કિટકો ડાંગરના પાન ઉપર જીવીને ભારે મોટું નુકસાન કરી રહ્યાં છે. કરમોડી, પાનનો સુકારો, આંજીયા, ભૂરા કંટીના રોગ હોવાની ખેડૂતોની ફરિયાદ…
મરીની ખેતી માટે સારી નિતારવાળી જમીન ની જરૂરી પડે છે. કલમી કે સાદા રોપાઓને 2 મહિના સુધી નર્સરીમાં ઉગાડવામાં આવે છે. ત્યારબાદ સીમેંટના થાંભલા ખેતરમાં નાંખીને મરીનો રોપ રોપવામાં આવે છે. વેલાને ટેકો આપવા માટે આ જરૂરી છે. 2થી 3 વર્ષમાં ઉત્પાદન મળે છે. નવી ટેકનોલોજી આવી હોવાથી ગ્રાફ્ટીંગ કે કલમથી ખેતી થઈ શકે છે. જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખેતીના પ્રયોગ ખેડૂતોએ શરૂ કર્યા છે. મરી ફળનું કદ 8 મીમીના ગુચ્છા થાય પછી લણણી કરીને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. કાળા મરીનો વેલો એ સદાબહાર વેલો છે. તેની વેલો બારમાસી છે. જ્યાં વધું વરસાદ થતો હોય ત્યાં થાય…
12 વર્ષમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતોએ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયનું પ્રવાહી જૈવિક ખાતર 2 લાખ લિટર જ ખેડૂતો દ્વારા ખરીદ કરાયું છે. 16,666 લીટર ખેડૂતે વર્ષે વાપરે છે. જે આણંદ તાલુકા જેટલો વપરાશ ગણી શકાય છે. આમ 45 લાખ ખેડૂતો દ્વારા નવું શોધાયેલું જૈવિક ખાતર અપનાવવામાં આવશે એવી અપેક્ષા તેની શોધ વેળાએ હતી. પણ ખેડૂતોએ ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધેલા આ મહત્વના ખાતરનો ઉપયોગ કરવામાં રસ બતાવ્યો નથી. 50 કરોડ સૂક્ષ્મજીવાણું પ્રતિ મિલિ લિટર હોય છે. પાંચ બેક્ટરીયાનો સમૂહ પ્રતિ હેક્ટરમાં કામ કરતો થાય છે. પાક દીઠ 30 ટકા નાઈટ્રોજન , 25% ફોસ્ફરસ અને 25% પોટાશ ખાતરની બચત કરે છે. છતાં…
અમદાવાદ : કરિયાતું ભારત તથા શ્રીલંકાની મૂળ નિવાસી છે. વ્યાપક રૂપમાં આ વનસ્પતિની ખેતી કરવામાં આવે છે. કરિયાતું નેપાળી લીમડાના રૂપમાં પણ જાણીતી છે. હીમાલયમાં ઉચાઈએ ઉગે છે. એક વર્ષીય છોડ છે. સ્વાદ કડવો હોય છે. ઊંચાઈ 2થી 3 ફૂટ છે. ફૂલનો રંગ ગુલાબી , ફળ સફેદ રંગના છે. ઔષધી માટે એના આખા છોડનો ઉપયોગ છે. કરિયાતું બીજ મે-જૂનમાં ધરુ અથવા સીધા ખેતરમાં વાવવામાં આવે છે. છાયામાં વધું થાય છે. છોડની લણણી ફૂલ આવે ત્યારે ઓગસ્ટ કે નવેમ્બરમાં થાય છે. બીંયા માટે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં છોડની કાપણી કરાય છે. છોડને અને ખાસ કરીને તેના પાંદડા કાપી, સૂવવી દેવામાં આવે છે. સરેરાશ…
અમદાવાદ, 18 એપ્રિલ 2020 અમદાવાદની પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થિઓને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવનાર લેફ્ટનન્ટ દુહિતા હવે અમદાવાદની યુવતિઓને રાષ્ટ્રસેવાના પાઠ ભાણાવી રહ્યા છે. મારા શહેરમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે હું ઘરે કેવી રીતે બેસી રહુ ? દેશની સેવા કરવા જ અમે એન.સી.સી.ની તાલીમ લીધી છે. ભૌતિક વિજ્ઞાનના લેક્ચરર અને એન.સી.સી. લેફ્ટનન્ટ એવા દુહિતા લખતરિયા કહે છે. અમદાવાદમાં કોરોના સામેની લડાઇમાં 145 કેડેટ્સ કાર્યરત છે. અમદાવાદની સરકારી પોલીટેકનીક ખાતે એન.સી.સી. ગર્લ્સ યુનિટની શરૂઆત તાજેતરમાં જ થઈ છે. આ યુનિટની આગેવાની લેફ્ટનન્ટ દુહિતા કરે છે. તેઓ ગત માર્ચ મહિનામાં જ ગ્વાલીયરના આર્મિ ટ્રેનિંગ અકેડમીથી તાલીમ મેળવી લેફ્ટનન્ટ બન્યા છે. અમદાવાદમાં લેફ્ટનન્ટ દુહિતા…
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂત વિજ્ઞાની શ્રી વલ્લભાઈ વશરામભાઈ મરવાણિયાએ ઊંચું બીટા-કેરોટિન અને આયર્ન ધરાવતા બાયોફોર્ટિફાઇડ ગાજરની વેરાઇટી મધુવન ગાજર વિકસાવ્યું છે, જેનો લાભ આ વિસ્તારનાં 150થી વધારે સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. આ ગાજરનું વાવેતર જૂનાગઢમાં 200 હેક્ટરથી વધારે વિસ્તારમાં થાય છે અને સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 40 થી 50 ટન છે, જે સ્થાનિક ખેડૂતોની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશમાં 1000 હેક્ટરથી વધારે જમીન પર આ વેરાઇટીનું વાવેતર થઈ રહ્યું છે. મધુવન ગાજર પોષક દ્રવ્યોનું ઊંચું પ્રમાણ ધરાવતું ગાજર છે, જેને બીટા-કેરોટિનનું ઊંચું પ્રમાણ (કિલોગ્રામદીઠ 277.75 મિલીગ્રામ) અને આયર્નનું પ્રમાણ…