જામનગરના નાઘેડી ગામમાં 123 હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન પરની 2 એકર જમીન મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરાએ સરકારી જમીન પચાવી પાડી હતી. નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં.187 પૈકી (નવા સર્વે નં. 287)ની આ જમીન છે. સરકારની માલીકીની જમીન બળજબરીથી જેસીબી મશીન ચલાવી ખેતી કરવાનું શરૂં કર્યું હતુંં. સરકારી જાહેર નોટીશ બોર્ડ તોડી નાંખ્યું હતું. મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાકેશ પરમારે પાંચેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. 22 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ જામનગર નજીક લાલપુર રોડ પર આવેલા ચંગા ગામમાં પરસોતમભાઇ વિરાણીની રૂ.22…
કવિ: Karan Parmar
ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગિફ્ટ સિટીના મલ્ટિ-સર્વિસીસ સેઝમાં 180 આઇટી-આઇટીઇઝ કંપનીઓ પોતાના યુનિટ સ્થાપિત કરી રહી છે. યુનિટ સ્થાપિત કરવા માટે મંજૂરી આપતી સમિતિની બેઠક 16 માર્ચ, 2020નાં રોજ યોજાઈ હતી. રેડી ટુ મુવ – પ્લગ એન્ડ પ્લે ઓફિસમાં સેઝ એકમો સ્થાપિત કરવા નવી 18 કંપીનઓએ અરજી કરી હતી. ફાસ્ટ ટ્રેક પર તમામ મંજૂરીઓ આપવા કામગીરી કરી રહ્યાં છે. આમ થતા 200 કંપનીઓ થઈ જશે. નવી અરજીઓ મુખ્યત્વે આઇટી-આઇટીઇઝ ક્ષેત્રની છે, જે આઇટી સોફ્ટવેર ડેવલપમેન્ટ, મોબાઇલ એપ ડેવલપમેન્ટ, ઓફશોર ડિઝાઇન, બિગ ડેટા એનાલીટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ કન્સલ્ટિંગ, બીપીઓ-કેપીઓ અને રિક્રુટમેન્ટ સેવાઓ જેવા સેગમેન્ટની છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)ની…
યુવતિના નમુના ફરી વખત ચકાસણી માટે પુના મોકલાયા અમદાવાદ: ગુજરાતમાં રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં કોરોનાના હોવાની શક્યતા છે. 19 માર્ચ 2020એ કોરોનાના બે કેસ નોંધાયા બાદ 20 માર્ચ 2020માં અમદાવાદમાં એક કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આનંદનગર વિસ્તારમાં રહેતી અને અમેરિકાથી પરત ફરેલી યુવતિમાં કોરોનાના લક્ષણ દેખાતા તેને એસવીપીના ખાસ વોર્ડમાં ખસેડવામાં આવી છે. તેનો અમદાવાદની લેબમાં પોઝેટીવ કેસ આવ્યો હતો. તેના નમુના ફરી વખત પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અમર પેલેસ બંગ્લોઝમાં રહેતી નીયોમી શાહ નામની 21 વર્ષની યુવતિ 21 મી જાન્યુઆરીએ ન્યુયોર્ક ભણવા માટે ગઈ હતી અને ત્યારબાદ 13 મીના રોજ તે ન્યુયોર્કથી અમદાવાદ પરત ફરી હતી…
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત રાજયમાં અદાલતોમાં તા. ૩૧.૧૨.૧૮ની સ્થિતિએ કુલ ૧૬,૫૩,૯૯૬ પડતર કેસો હતા. તેમ જ ૨૦૧૯ના વર્ષ દરમિયાન કુલ ૧૦,૮૪,૨૦૦ કેસો દાખલ થયા હતા. મતલબ કે કુલ નવા અને જુના મળીને 27.30 લાખ ખટલા ચાલી રહ્યાં છે. 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ ન્યાય માટે અદાલતના ધક્કા કાઈ રહ્યાં છે. તેમને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપની સરકારે એક વર્ષથી એક પણ ખટલો પડતર ન રહે એવા વચનો નરેન્દ્ર મોદીએ આપ્યા હતા. જે સાકાર થયા નથી. ભાજપની સરકારો ગુજરાતના લોકોને ઝડપી ન્યાય આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદા વિભાગનો હવાલો સંભાળતા પ્રદીપ જાડેજા લોકોને ઝડપી ન્યાય આપવામાં સફળ થયા નથી.…
18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે. ક્રમ પ્રોજેક્ટ જમીન 1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103.3 લાખ ચો.મી. 2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ 8.09 લાખ ચો.મી. 3. ડીસેલીનેશન પ્લાન્ટ 9.23 લાખ ચો.મી. 4. વડોદરા રેલ્વે યુનિવર્સિટી 3.13 લાખ ચો.મી. 5. આવાસ યોજનાઓ માટે 4.26 લાખ ચો.મી. 6. નેશનલ મેરીટાઈમ હેરીટેઝ કોમ્પ્લેક્ષ-લોથલ 15.12 લાખ ચો.મી. 7. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ 80.93 હજાર ચો.મી. આમ 40 લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે એક વર્ષમાં 7 સંસ્થાઓને સરકારી…
2019 એ ભારતના પ્રથમ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (એનસીએપી) ના પ્રારંભને ચિહ્નિત કર્યુ, જે હવાના પ્રદૂષણ સામે લડવાની ભારતની પ્રતિબદ્ધતામાં ફેરફાર કરશે. એનસીએપીનું લક્ષ્ય છે કે, વધુ કસ્ટમાઇઝ્ડ રેગ્યુલેશન્સ અને લક્ષ્યો (ભારત સરકાર, 2019) બનાવવા માટે સ્થાનિક સરકારો સાથે સીધા કામ કરીને, 2017 ના સ્તરની તુલનામાં, 102 શહેરોમાં પીએમ 2.5 અને પીએમ 10 વાયુ પ્રદૂષણને ઘટાડવાનો છે. જુલાઈ 2019 માં, ભારત વાયુ પ્રદૂષણ ઉકેલો પર વૈશ્વિક નેતાઓ સાથે સહયોગ કરવા માટે 65 મી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્રની આબોહવા અને સ્વચ્છ હવા જોડાણ (સીસીએસી) માં જોડાયો. આ પ્રવૃત્તિઓના લાંબા ગાળાના પ્રભાવો હજુ સુધી જોવામાં આવ્યાં નથી, ભારતે આર્થિક મંદી, સાનુકૂળ હવામાનશાસ્ત્રની…
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત સરકારને પોતાની 16 ટીવી ચેનલો છે. પણ હવે ગુજરાતી ભાષાની 10 ટીવી ચેનલો પર શિક્ષણના ટ્યૂશન ક્લાસ ઊંચી ફી ચૂકવીને રૂપાણી સરકારે 19 માર્ચ 2020થી શરૂં કર્યા છે. જે 28 માર્ચ સુધી બતાવાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ટીવી ચેનલ પર ભણાવવાનો નિર્ણય કરીને ગુજરાતની તમામ ટીવી ચેનલોને 10 દિવસ રોજ 1 કલાક ઓનલાઇન શિક્ષણ – ટ્યૂશન આપવા માટે આદેશ કર્યો છે. 19 માર્ચ 2020થી તમામ 10 ગુજરાતી ટીવી ચેનલોમાં બતાવાશે. જેમાં કેટલીક સેટેલાઈટ છે અને કેટલીક સેટેલાઈટ નહીં પણ કેબલથી ગુજરાતમાં ચાલે છે. કયા વિષયો ધોરણ 7 થી 9 અને ધોરણ 11ના…
સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીનેચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆરી 2020એ નગરપાલિકાની ચૂંટણી છે. પહેલા વ્યક્તિ ખેડા કલેક્ટર આઈ કે પટેલ સમક્ષ જ્યારે માંગણી કરવામાં આવી ત્યારે કલેક્ટરે મહિપતસિંહને કહ્યું કે મારી સમક્ષ આવી રજૂઆત કરનારા તમે પહેલા છો. ચૂંટણીમાં દારૂં અને ચવાણું ન વેચાવા જોઈએ. તમે દારૂ ચવાણા સામે જુબેશ શરૂં કરો…
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાતમાં કરોડો વાયરસથી તો એક પણ વ્યક્તિનું મોત થયું નથી, છતાં તે અંગે ભારે ઉહાપોહ થઈ રહ્યો છે. ગુજરાતમાં ટીબી, કેન્સર, એઈડ્સઝથી 7 હજાર લોકો એક વર્ષમાં મોતને ભેટે છે છતાં સરકાર તમાકુ, પ્રદુષણ અને વૈશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતી નથી. છેલ્લાં 2 વર્ષમાં આ ત્રણ રોગના કારણે 13927 લોકોના મોત થયા છે અને 2,78,036 (2.78 લાખ) લોકોને રોગ બે વર્ષમાં થયો છે. આમ કોરોના કરતાં વધું ઘાતકી રોગ તો કેન્સર, ટીબી અને એઈડ્સ છે. રોજ 19થી 20 લોકો મરે છે. છતાં સરકાર કે લોકોને બહું દરકાર નથી.
ગાંધીનગર, 18 માર્ચ 2020 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ માલ ભરી RTO ચેક પોસ્ટ પરથી પસાર કરી દેવાયા બાદ પોલીસને રતનપુર પાસે ટ્રકને જોતાં શંકા જતાં ફરીથી કાંટા પર વજન તપાસતાં તેમાં નક્કી કરેલાં 16 ટન વજન ભરવાની ક્ષમતા કરતાં 21 ટન માલ ભરેલો હતો. વજન કરતાં 5 ટન વધારે વજન મળી આવ્યું…