Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

24nt04preg 1614129007

રંગોની સાથે રમવામાં જેટલી મજા આવે છે તમારે તેટલી જ પોતાની કેર પણ કરવી પડે છે. ખાસ કરીને જો તમે ગર્ભવતી છો અને હોળી સેલિબ્રેશન દરમિયાન કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવો છો ત્યારે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર પડે જ છે, સાથે જ પોતાના ગર્ભસ્થ શિશુને પણ તમારી બેદરકારીની કીંમત ચુકવવી પડે છે. ગર્ભવતી મહિલાઓના મનમાં હોળી સેલિબ્રેશનને લઇને કેટલાય પ્રકારની શંકાઓ થાય છે. કેટલીક મહિલાઓ તો મન મારીને હોળીને સેલિબ્રેટ કરવાનું જ ટાળતી હોય છે. જો કે તમારે હોળી સેલિબ્રેશન ટાળવાની કોઇ જરૂર નથી. જો તમે કેટલાક સેફ્ટી ટિપ્સનું ધ્યાન રાખો છો તો ખૂબ જ સરળતાથી હોળીની…

Read More
shani 2

વ્યક્તિને શનિવારે ઘણી સાવધાની સાથે સદાચારમાં વિતાવવો જોઈએ. આ દિવસે પાંચ ચીજવસ્તુઓનું દેખાવું તે શુભ માનવામાં આવી રહ્યું છે. 1: ગરીબ વ્યક્તિ : શનિવારની સવારે જો તમને કોઈ ગરીબ વ્યક્તિ કે ભિખારી મળે છે તે શુભ સંકેત છે. તેવામાં તમે તેને જરૂરથી દાન કરો. તેનાથી શનિદેવ ખુશ થાય છે. આ દિવસે ભિખારી કે ગરીબનો અનાદર કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. 2: સફાઈ કર્મચારી : શનિવારની સવારે જો તમને કોઈ સફાઈ કર્મચારી દેખાય તો તમે તેને કેટલાક પૈા અને કાળા રંગના કપડાનું દાન કરો. આવુ કરવાથી શનિદેવની કૃપા સદા તમારા ઉપર બનેલી રહેશે. 3: કાળો શ્વાન : શનિવારના દિવસે જો તમને…

Read More
SENIOR CITIZEN 03 1024x683 1

કોરોના કાળમાં સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. એવામાં વરિષ્ઠ નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા માટે દેશના દિગ્ગજ બેંકોની કેટલીક ખાસ યોજનાઓ ઉપલબ્ધ છે. વરિષ્ઠ નાગરિકોના ઘટતા વ્યાજ દરોથી બચાવવા માટે બેંકોએ તેઓને ગિફ્ટ આપી છે. વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ફિક્સ ડિપોઝિટ (FD) યોજના ઉપલબ્ધ છે, જેથી ઉંમરના અંતિમ પડાવમાં તેઓ વગર કોઇ પરેશાનીએ પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે. વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓમાં અન્ય બચત યોજનાઓની તુલનામાં વધારે વ્યાજ મળે છે.આ યોજનાઓ મે 2020માં લોન્ચ થઇ હતી. પરંતુ બેંકો દ્વારા આપવામાં આવેલી આ સ્પેશિયલ સ્કીમ માત્ર આ જ મહીને એટલે કે, 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે. એટલાં માટે…

Read More
unnamed 1 1

સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીકથી જમીનમાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. મૃતક યુવક ડીંડોલીનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલા તેના ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. ડીંડોલી પોલીસ મથકમાં યુવકના ગુમ થયા અંગેની મિસિંગ રિપોર્ટ પણ નોંધાઈ હતી. આ યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાયો હતો. આ હત્યા પ્રેમ સંબંધમાં કરાઈ છે જે દિવસે યુવક ગુમ થયો તે પહેલાના સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકની હત્યા કર્યાં બાદ લાશને સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો અને બાદમાં જમીનમાં દાટી દેવાઈ હતી.

Read More
hospital green

અમદાવાદ શહેરમાં ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે કે NOC વગર ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ સામે મંગળવારથી કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં અનેક હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતામાં હોસ્પિટલથી લઈને વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો ફાયર એનઓસી વગર ધમધમતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં કુલ 1 હજાર 852 હોસ્પિટલ પૈકી ફક્ત બારસો હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી છે. જ્યારે કે 450થી વધુ હોસ્પિટલો પાસે ફાયર ઓનઓસી નથી. ત્યારે હવે ફાયર વિભાગે શહેરની કુલ 150 જેટલી હોસ્પિટલને નોટિસ…

Read More
maharashtra 1613139071

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં કોવિડને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તદનુસાર, કોવિડ ચેપને રોકવા માટે નીચેના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા આજે આદેશો કરવામાં આવ્યા છે અને મિશન સ્ટાર્ટ અગેઇનના આ આદેશો 15 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે. રાતના 8થી સવારના 7 વાગ્યે (કર્ફ્યુ) સમયે 5 કે તેથી વધુ લોકોને એકત્રિત થવાની મંજૂરી નથી. તેનો અમલ આજે મધ્યરાત્રિ બાદ એટલે કે આવતી કાલે રવિવારથી કરવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ દીઠ 1000 રૂપિયા દંડ થશે.દરિયાકિનારા અને ઉદ્યાનો, બગીચા જેવા જાહેર સ્થળો સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લંઘન…

Read More
iam gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 હજાર 276 નવા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે, સુરતના મેયર પણ કોરોના સંક્રમિત થયા છે. મળતી માહિતી મુજબ સુરતના મેયર હેમાલી બોઘાવાલા કોરોના સંક્રમિત થયા છે.રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 હજાર 276 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1 હજાર 534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. પરંતુ, સુરતમાં બે જ્યારે અમદાવાદ-ભરૂચ અને ભાવનગરમાં 1-1 દર્દીનું મોત થયું.રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા કોરોનાનું એપી સેન્ટર બની રહ્યાં છે. સુરતમાં નવા 760 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં…

Read More
Maternity Leave 300x300 1

પ્રેગ્નન્સીમાં ઘણીવાર શોષણનો શિકાર બને છે, આથી દરેક વર્કિંગ પ્રેગ્નન્ટ મહિલાઓને આ જાણવું જરૂરી છે. તે મહિલા કર્મચારીઓને રોજગારની ગેરન્ટી આપવાની સાથે તેમને મેટરનિટી બેનિફિટના અધિકારી બનાવે છે, જેથી બાળકની સારી રીતે દેખભાળ કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, નવજાતને શરૂઆતના 6 મહિના સુધી દૂધ પિવડાવવું અનિવાર્ય હોય છે, જેને લીધે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થાય, આથી વર્કિંગ વુમનને રજા આપવામાં આવે છે. આ દરમિયાન મહિલા કર્મચારીને આખી સેલરી આપવામાં આવે છે. આ કાયદો સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ પર લાગુ થાય છે, જ્યાં 10 કે એનાથી વધારે કર્મચારી કાર્યરત છે. માતૃત્વ લાભ અધિનિયમ 1961 હેઠળ પ્રથમ 24 અઠવાડિયાં રજા આપવામાં આવતી હતી,…

Read More
freepressjournal 2020 09 e7a7ec65 a4b4 44e8 8a36 68ebe0be961b Rape

બળાત્કાર કેસમાં પીડિત મહિલાએ શું કરવું જોઈએ પીડિત મહિલા કે બાળકીએ પોતાના પરિવાર કે ઓળખીતા લોકોને આ વાતની તરત જાણ કરવી. મેડિકલ ટેસ્ટ થાય ત્યાં સુધી પીડિતાએ નાહવું ન જોઈએ અને કપડાં પણ ન બદલવાં જોઈએ મહિલાએ મેડિકલ ટેસ્ટ થાય ત્યાં સુધી વૉશરૂમનો ઉપયોગ પણ ન કરવો. પોલીસ સ્ટેશન નજીકમાં ન હોય તો પીડિતાનો મેડિકલ ટેસ્ટ તાત્કાલિક કરાવી લેવો જોઈએ. પોતાના કોઈ સ્વજનને જાણ કર્યા પછી પોલીસ પાસે FIR નોંધાવવાની હોય છે. FIR નોંધાવવા માટે મહિલા પોતાની સાથે સ્વજનને પણ લઈ જઈ શકે છે. સામાન્ય રીતે, જ્યાં ઘટના બની હોય એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવે છે. એવું પણ બની…

Read More
1 holi 1616833283

હોળી ભારતના મુખ્ય તહેવારો માંથી એક છે. રંગ, ગુલાલ, સ્નેહ અને ભક્તિના આ તહેવારને મનાવવાની પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ઘણા ગામડા એવા પણ છે, જ્યાં ઘણા વર્ષોથી હોળી મનાવવાનો રિવાજ નથી. આજે અમે તમને ભારતના કેટલાક એવા ગામડાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં હોળી મનાવવામાં નથી આવતી. ઉત્તરાંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કુરંજા અને ક્વીલી નામના બે ગામ છે, જ્યાં લગભગ 150 વર્ષથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં નથી આવતી. અહીંના સ્થાનિક રહેવાસીઓની માન્યતા છે કે વિસ્તારી મુખ્ય દેવી ત્રિપુર સુંદરીને અવાજ-ઘોંઘાટ પસંદ નથી. તેથી આ ગામમાં લોકો હોળીની ઉજવણી કરવાનું ટાળે છે.ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ તે…

Read More