કાચી કેરીનો પના પીવામાં આવે તો એ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. લૂથી બચાવે છે અને સ્કિનનો ગ્લો પણ વધારે છે. કેરીની ગોટલી પણ ત્વચા પર એ રીતે કામ કરે છે. આ સ્કીનમાં નવી ચમક લાવવા, સ્કિનને સ્મૂધ બનાવવા અને ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. પહેલાના સમયમાં ઘરમાં કેરીની ગોટલીઓની ઉકાળી ઉપયોગ કરવામાં આવતો હતો.જો તમે મેંગો બટર સાંભળી વિચારી રહ્યા છો કે આ કોઈ કેરીના પલ્સથી તૈયાર થયેલ સ્વાદિષ્ટ વસ્તુ છે, જેને તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો તો એવું બિલકુલ નથી. આ બટર કેરીના બીથી બનેલ છે અને તમારી સ્કિન માટે ખુબ પ્રભાવી છે. ગરમીના…
Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ
એક યુવકને પોતાની નારાજ પત્નીને મનાવવા માટે સાસરે જવાનું ખૂબ જ મોંઘુ પડી ગયું છે. ઉશ્કેરાયેલી પત્નીએ રાતે પતિ પર હુમલો કરી દીધો હતો અને બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ફરાર થઈ ગઈ હતી.આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આવેલા રામપુર ચાર રસ્તા હરબંશ પટ્ટી ખાતેની છે. પીડિત યુવકનું નામ ગોવિંદા કુમાર છે અને તે ગોપાલગંજના ઉચકાગામ થાણાક્ષેત્રમાં આવેલા જમસડી ગામનો રહેવાસી છે. પ્રાઈવેટ પાર્ટ કપાવાના કારણે ઘાયલ થયેલા યુવકને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આઠ મહિના પહેલા પીડિત ગોવિંદા કુમારના લગ્ન વિભા કુમારી સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેની પત્ની સાસરામાં મળેલા ઘરેણા લઈને…
IVF ટ્રીટમેન્ટની સફળતા પણ માણસના રંગ પર નિર્ભર કરે છે. આ દાવો નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રાયોલોજી ઓથોરિટીના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ગોરા લોકોની સરખામણીએ અશ્વેત લોકોમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સફળ થવાની સંભાવના ઓછી હોય છે. રિસર્ચના અનુસાર, IVF દ્વારા 30થી 34 વર્ષના અશ્વેત દર્દીઓનો સરેરાશ બર્થ રેટ 23 ટકા હતો, જ્યારે શ્વેત દર્દીઓમાં આ આંકડો 30 ટકા હતો. સાઉથ એશિયાઈ દર્દીઓનો બર્થ રેટ 25 ટકા હતો. સંશોધકોએ 2014થી 2018 સુધી રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, 31 ટકા અશ્વેતોમાં પ્રજનન સાથે સંબંધિત સમસ્યા છે. તેનું કારણ ફેલોપિયન ટ્યુબમાં સમસ્યા હોઈ શકે છે. ગોરા અને અશ્વેતની વચ્ચે આટલો તફાવત કેમ…
ઇમરજન્સી દરમિયાન આ નાણાં ખૂબ ઉપયોગી છે. પરંતુ, તે ઘણી વખત એવુ થાય છે કે જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે પૈસા ઉપાડી શકતા નથી અને કોઈ કારણોસર પૈસા અટવાઈ જાય છે.જો તમને ઇમરજન્સી દરમિયાન આ નાણાં ન મળે તો ઘણી સમસ્યા થાય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કઈ ભૂલ અથવા બેદરકારીના કારણે પીએફના પૈસા અટવાઈ જાય છે. અથવા માહિતીના અભાવે પણ તમે પૈસા પાછા મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, તમને જણાવીએ કે કયા કારણો છે, જેના કારણે પૈસા અટકે છે અને તમે પૈસાનો લાભ લઈ શકતા નથી. આજે અમે તમને તે બધા કારણો જણાવી રહ્યા છીએ કે…
આવકવેરા વિભાગે તમામ PAN-CARDને આધાર સાથે લીંક કરવું અનિવાર્ય કરી દીધું છે. એ માટે જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લીંક નથી કર્યું તો એલર્ટ થઈ જાઓ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પાન અને આધાર લિંકિંગની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 નક્કી કરી છે. હવે તેમાં માત્ર થોડા જ દિવસો રહ્યાં છે. જો તમે 31 માર્ચ પહેલા આ કામ નહીં કરો તો તમારૂ પાન કાર્ડ બેકાર થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આવકવેરાની અધિનિયમની કલમ 272 બી હેઠળ 10, 000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તે માટે તમામ પાનકાર્ડ ધારકો સ્ટેટસની તપાસ કરીને આધાર સાથે જલ્દી લીંક…
જર્મનીમાં પ્રસિદ્ધ અને ઐતિહાસિક ફ્યુશેન બ્રુઅરી લોકડાઉનમાં લાંબા સમયથી બંધ રહી અને તેના કારણે તેની એક ખૂબ જાણીતી અને તાંબા(કોપર) રંગની બીઅર પ્રોડક્ટ ‘અલ્ટબીઅર’ વધી પડ્યો. 6000 લિટર જેટલો આ બીઅર વેચાયા વિના પડી રહ્યો અને તેની એક્સપાયરી ડેટ પણ નજીક આવી ગઈ. આથી બીઅરનો મોટો જથ્થો વેડફાઈ ન જાય એ માટે આ કંપનીએ જર્મનીની કોએલ્વેન બેકરી સાથે સંપર્ક કર્યો. આમ કરવાનું કારણ એ કે કોએલ્વેન બેકરી બ્રેડ બનાવવા માટે બીઅરનો ઉપયોગ કરે છે. ફ્યુશેન બ્રુઅરીએ ‘Altbier’ બીઅરનો વધી પડેલો જથ્થો આ બેકરીને આપી દીધો. બસ આ કોપર કલર્ડ ‘Altbier’માંથી જ બનેલી આ તાંબાની હોય એવી આ બ્રેડની તસવીર છે.…
હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં હોળીની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. હોળીના ખાસ અવસરે કેટલાંક લોકો ભાંગનું સેવન પણ કરે છે. જો કે તેનું સેવન નુકસાનકારક હોય છે. પરંતુ તહેવારના ખાસ અવસરને જોતા કેટલાંક લોકો તેનું સેવન કરી લે છે. ભાંગનું સેવન કરવાથી માથામાં દુખાવો અને અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. ભાંગ તમને એક હેંગઓવર આપી શકે છે. જો તમે તેના હેંગઓવરથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ.લીંબુ પાણી એન્ટી-ઓક્સીડેંટ અને વિટામિન સીનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. જો તમે ભાંગના હેંગઓવરથી બચવા માંગતા હોય તો લીંબુ પાણીનું સેવન કરો.જો…
સુરતમાં જીવલેણ કોરોના વાયરસના કહેર વધ્યો છે. ત્યારે આ ઘાતક કોરોનાના હાહાકાર વચ્ચે પોલીસની દાદાગીરી સામે આવી છે. જેમાં પોલીસ સુપરમેન બનીને ચાલુ રિક્ષમાંથી બહાર કુદી પડે છે. .પોલીસે રીક્ષામાંથી કુદીને બાઇક ચાલકને રોક્યો હતો. અને બાઇક ચાલક કઇ પણ સમજે તે પહેલા એક લાફો ઝીંકી દીધો હતો. ચાલકે માસ્ક ન પહેર્યો હોવાથી લાફો ઝીંક્યો હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. CCTV સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.જો કે ઘટના બનતા જ લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા..સુરતના લિંબાયતના ઓમ નગરનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. પોલીસ ખુદ વાહન ચાલકનો જીવ જોખમમાં મુકતો સ્પષ્ટ દેખાઈ છે. સુરત સિટીમાં ભેસ્તાનના 78…
હોળી-ધૂળેટીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે. આ સમય દરમિયાન મિશ્ર વાતાવરણને કારણે બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તો વૈશ્વિક મહામારી સમો કોરોના વાયરસ કે જે આખી દુનિયા પર હાવી થયો છે. બીજી તરફ હોળી-ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં કામધેનુ આયોગ દ્વારા વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના ગોબર, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રણ કરી શકાય છે તેવું માનવામાં આવી રહ્યું છે. કામધેનુ આયોગના મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશ અને વિશ્વમાં…
ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના કેસના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કોરોનાના વધતા કેસને લઈને મોટું નિવેદન સામે આપ્યું છે.ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસના નવા રેકોર્ડ બની રહ્યાં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં હાલ મૃત્યુઆંક ઓછો છે. સીએમે કહ્યું કે હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ પણ એક અઠવાડિયુ કેસ વધશે અને પછીથી તેમાં ઘટાડો થશે. તેમણે કહ્યું…