વ્યાજના નાણા વસૂલવા માટે 33 કરોડની સંપત્તિ અને 55 લાખના સોનાના દાગીના પડાવી લેનારા દમણના ભાજપના કાઉન્સીલર, બિલ્ડર સલીમ મેમણ ઉર્ફે સલીમ ઢીંગલીની વલસાડ પોલીસે ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. વ્યવસાયે બિલ્ડર સલીમ મેમણ પાસેથી ઉપેન્દ્ર રાય નામની વ્યક્તિએ 10 ટકાના વ્યાજે 2.30 કરોડ રૂપિયા લીધા હતા. આ રૂપિયા પર સલીમ દ્વારા ચક્રવૃદ્વિ વ્યાજની વસૂલાત કરવામાં આવી રહી હતી. સલીમે અત્યાર સુધી ઉપેન્દ્ર પાસેથી 33 કરોડની મિલ્કત અને 55 લાખની દાગીના પડાવી લીધા હતા. ઉપેન્દ્ર રાયે વલસાડ પોલીસમાં ફરીયાદ આપી હતી કે બંદુકના નાળચે સલીમે તેમની પાસેથી 2.30 કરોડની અવેજીમાં 33 કરોડની સંપત્તિ અને 55 લાખની દાગીના પડાવી…
Author: Satya Day News
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ ૨૦૧૯-૨૦માં સમાજના દરેક હિસ્સા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ ઘોષણાઓમાં વન નેશન વન ગ્રીડ, જ્ઞાન સ્કીમ, નવી એજ્યુકેશન પોલિસી, પ્રધાનમંત્રી કર્મયોગી માનધન અને સ્ટડી ઇન ઈન્ડિયા જેવી યોજનાઓ પ્રમુખ છે. જોકે, સામાન્ય લોકોનું ધ્યાન એ વાત પર હોય છે કે આ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું. શું મોંઘું થયું? પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ૧ રૂપિયા વધારી દેવામાં આવી છે, જેનાથી બંનેના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થઈ શકે છે., સોના પર કસ્ટમ ડ્યૂટી ૧૦થી વધારીને ૧૨.૫ ટકા કરી દેવામાં આવી છે., એટીએમથી પૈસા ઉપાડવા,પેમેન્ટ એપ ઉપયોગ કરવી મોંઘી થશે, મેક…
સુરત વર્સેટાઈલ માઈનોરીટી ફોરમના ઉપક્રમે મોબ લિન્કીંગના વિરુદ્ધમાં આજ રોજ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મક્કાઈ પુલ ખાતે ભારે ધમાલ મચવા પામી હતી. રેલી નિકળ્યા બાદ કલેક્ટર કચેરી જR રહી હતી ત્યારે તેને પોલીસ દ્વારા અધવચ્ચે રોકી દેવામાં આવી હતી અને પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હાલ ચોક જવા માટેના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસનું કહેલું છે કે રેલીની પરમિશન માત્ર મક્કાઈ પુલ સુધીની જ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. અડધા કલાક સુધી ચાલેલા અફરા-તફરીના માહોલ બાદ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે. કેટલાક ટીખળખોરોએ બસના કાચ તોડી નાંખતા મોબ લીંચીંગ…
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે 1,2,5,10 અને 20ના નવા સિક્કા બજારમાં આવશે. આ સિક્કાને પ્રજ્ઞાચક્ષુઓ પણ આસાનીથી ઓળખી શકશે એવા હશે. આ સિક્કા સાત માર્ત-2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા. સિક્કાઓ ટૂંક સમયમાં માર્કેટમાં મળતા થઈ જશે. નાણા મંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20 રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્વિને લઈ લોકોએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. ભારતીય અર્થ વ્યવસ્થા ત્રણ હજાર અબજ ડોલર સુધી પહોંચી જશે. પાંચ વર્ષ પહેલાં અર્થવ્યવસ્થાનું કદ 1,850 અબજ ડોલર હતું. હવે આ કદ 2,700 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આવનાર કેટલાક વર્ષોમાં અર્થ વ્યવસ્થાનું કદ પાંચ હજા ડોલર સુધી…
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે ક્રુડ ઓઈલ અને સોના પરની એક્સાઈઝ ડ્યુટી વધારવામાં આવી હોવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સોના પરની એક્સાઈઝ ડ્યુટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાનો પ્રસ્તાવ છે. આના કારણે સોનાની કિંમતમાં વધારો થશે. સોનાની સાથે જ પેટ્રોલ-ડીઝલ પણ એક રૂપિયો મોંધું થશે. નાણામંત્રીએ જણાવ્યું કે સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયા પ્રતિ લીટરના હિસાબે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઈન્ફાસ્ટ્રકચર સેસ વધાર્યો છે. આ સેસના કારણે પેટ્રોલ અને ડીઝલ એક રૂપિયા પ્રતિ લીટરના હિસાબે મોંધા થઈ જશે. પાંચમી જુલાઈએ દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 34,300 પ્રતિ 10 ગ્રામ છે પણ એક્સાઈઝ ડ્યુટી…
કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં 12 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પંડ્યાની 2003માં હત્યા કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે 12 આરોપીઓને દોષમૂક્ત જાહેર કરવાના ચૂકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઈલ કરી હતી. જોકે, કોર્ટે એનજીઓની અરજી ફગાવી દીધી હતી. એનજીઓની અરજીમા હરેન પંડ્યા હત્યા કેસની તપાસ નવેસરથી કરવા માટે દાદ માંગી હતી. કોર્ટે એનજીઓને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને કહ્યું હતુ કે હવે આ મામલે અન્ય કોઈ અરજી પર વિચાર કરવામાં આવશે નહીં. તમામને જન્મટીપની સજા સંભળાવવામાં આવી છે. હરેન પંડ્યા નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં ગુજરાતના ગૃહમંત્રી હતા. 26મી માર્ચ-2003માં અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં…
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2019નું સામાન્ય બજેટ રજૂ ક્યું હતું. બજેટ રજૂ કરતા તેમણે કહ્યું કે નાના દુકાનદારોને એટલે દોઢ કરોડ રૂપિયા સુધીનું વેપાર કરતા દેશના ત્રણ કરોડ દુકાનદારોને પ્રધાનમંત્રી કર્મયોગી માનધન પેન્શનની યોજના લાવવામાં આવશે. હવે દુકાનદારોને પેન્શન પણ આપવામાં આવશે. નાણા મંત્રીએ એલાન કરતાં કહ્યું કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. માત્ર 59 મીનીટમીં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આનો લાભે ત્રણ કરોડ દુકાનદારોને મળશે. નાણા મંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20 રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્વિને લઈ લોકોએ સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. ભારતીય અર્થ વ્યવસ્થા ત્રણ હજાર અબજ ડોલર સુધી પહોંચી જશે. પાંચ…
નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારની બીજી ટર્મ માટેનું પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું. બજેટમાં તેમણે આવનારા દસ વર્ષ માટેની બ્લ્યૂ પ્રિન્ટ દેશની સમક્ષ મૂકી હતી. તેમણે કહ્યું કે આવનાર કેટલાક વર્ષોમાં અર્થવ્યવસ્થા પાંચ ટ્રીલિયન ડોલર સુધી પહોંચી જશે. નાણામંત્રીએ પ્રદુષણ મૂક્ત ભારત, આરોગ્ય, પાણી, અતરિક્ષ કાર્યક્રમ, ચંદ્રયાન, ગગનયાસ જેના વિકાસના 10 પોઈન્ટ ગણાવ્યા હતા. આ રહ્યા 10 પોઈન્ટ 1-નાણા મંત્રીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું છે. સરકારનું લક્ષ્ય દરિયાઈ માર્ગોને વધારવાનું છે. આ ઉપરાંત વન નેશન, વરન ગ્રીન માટે પણ સરકાર આગળ વધી રહી છે. 2-સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારી પર ભાર મૂકી રહી છે. રેલવેના વિકાસ…
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે ફેંસલો આવી શકે છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદો સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવનાર છે. ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપીઓને બા-ઈઝ્ઝત છોડી મૂક્યા હતા. ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાનો સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હરેન પંડ્યાની હત્યા 26 માર્ચ-2008માં અમદાવાદ ખાતેના લો-ગાર્ડન વિસ્તારમાં કરવામાં આવી હતી. હરેન પંડ્યાની હત્યા શોહરાબુદ્દીને કરી હતી અને બાદમાં શોહરાબુદ્દીનને એનકાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યો હતો. શોહરાબની સાથે આઝમ ખાન પણ હતો અને હરેન પંડ્યાની હત્યા માટે શોહરાબે સોપારી લીધી હોવાની આઝમ ખાને કોર્ટમાં જૂબાની આપી હતી. હરેન પંડ્યાની હત્યામાં પાકિસ્તાન સ્થિત…
સંયુકત અરબ અમીરાતના જાણીતા અખબાર અનુસાર દુબઇના તમામ એરપોર્ટ પર ભારતીય રૂપિયામાં લેવડદેવડ કરી શકાશે.ભારતીય મુદ્વાને લેવડદેવડ માટે સ્વીકાર કરવી ભારતથી આવનારા પર્યટકો માટે સારી અહેવાલ છે કારણ કે તેમને રૂપિયાને બીજી મુદ્વામાં પરિવર્તિત કરવાને કારણે મોટી રકમ ગુમાવવી પડતી હતી. ગલ્ફ ન્યૂઝ સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર ભારતીય મુદ્રા દુબઇ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના તમામ ત્રણેય ટર્મિનલ અને અલ મખ્તુમ હવાઇ અડ્ડા પર સ્વીકાર્ય છે હવાઇ મથક પર ડયુટી ફ્રી દુકાનના એક કર્મચારીએ સમાચાર પત્રને જણાવ્યું હું કે અમે ભારતીય રૂપિયા લેવાનું શરૂ કરી દીધુ છે. અહેવાલમાં જણાવાયુ છે કે ગત વર્ષ દુબઇ હવાઇ મથકથી લગભગ ૯ કરોડ યાત્રી પસાર થયા…