અંકલેશ્વર ની યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 ના એમસીપી પ્લાન્ટ માં રસાયણીક પ્રક્રિયા દરમ્યાન પ્રેસર વધી જતા ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી,ઘટનાની જાણ થતાંજ 10 જેટલા ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
યુ પી એલ કંપની માં બનેલી આગની ઘટનાને પગલે 6 જેટલા કામદારો દાઝી જતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક એક કામદાર ની હાલત ગંભીર જણાતા મુંબઈ ખાતે ખસેડવા ની તજવીજ હાથ ધરી છે.
અંકલેશ્વર ની યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 ના એમસીપી પ્લાન્ટ માં રાસાયણીક પ્રક્રિયા દરમ્યાન અચાનક તાપમાન વધવા ના કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળતા કામદારો માં નાસભાગ મચી જવા પામી હતી, આગ ના પગલે ધુમાડા ના ગોટેગોટા આકાશ માં ઉડયા હતા અને કંપની સંચાલકો એ તાત્કાલીક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર ટેન્ડર સાથે ફાયટરો દોડી આવ્યા હતા જો કે આગ વધુ વિકરાળ બનતા 10 જેટલા ફાયર બ્રિગેડ આવી પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના માં 6 જેટલા કામદારો દાઝી ગયા હતા જેઓને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં એક કામદાર ની હાલત ગંભીર જણાતા કંપની સંચાલકો દ્વારા મુંબઈ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે આ આગ ના પગલે ભરૂચ કલેકટર તુષાર સુમેરા. એસપી ડો,લીના પાટીલ અંકલેશ્વર ના નાયબ કલેકટર નૈતિકાબેનપટેલ ,મામલતદાર ,જીપીસીબીનાઅધિકારીઓ ,ડીવાયએસપી સહિતનો પોલીસકાફલો કંપની ખાતે દોડી આવ્યો હતો ,અને કલેકટર તુષાર સુમેરા. એસપી ડો,લીના પાટીલ નાયબ કલેકટર નૈતિકાબેન પટેલે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્ત કામદારો ની મુલાકાત લઇ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.