રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને વિરોધ પ્રદર્શન સાથે ગૃહરાજય મંત્રીના રાજીનામાની માંગણી કરી રહયા છે ત્યારે વાગરા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
આ તકે કોંગી અગ્રણી સુલેમાન ભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આખા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને સાથે સાથે દારૂમાં કેમિકલ મેળવીને લોકોનો જીવ લેવા માટેનો જે પ્રયાસ થયેલો છે તેના વિરોધમાં વાગરા તાલુકા યુથ કોંગ્રેસના પ્રેસિડન્ટ તરફથી આજે એક વિરોધ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ ઠેરઠેર ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે.
ભાજપ સરકાર દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવતા તેઓ એ ઉમેર્યુ કે કોઈ એનજીઓ કે વિપક્ષ રેડ પાડે ત્યારે દારૂ પકડાવાના કિસ્સા બને છે.
ઝેરીમાં કેમિકલ ભેળવીને દારૂ પીતા લોકોના જીવ જાય છે આ માટે ગૃહમંત્રી એ પોતાના પદ પરથી રાજીનામુ આપવું જોઈએ.
દારૂના વેપલા ની પાછળ કોનો કોનો હાથ છે એના માટે જવાબદાર કોણ વગરે સવાલો તેઓએ ઉઠાવ્યા હતા.