ભરૂચના દહેજ સ્થિત ભારત રસાયણ લિમિટેડ કંપનીમાં થયેલ દુર્ઘટનામાં યોગ્ય તપાસ કરવા સમસ્ત ભરુચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ કમલેશભાઈ મઢીવાલાએ માંગણી કરી છે.
વિગતો મુજબ તા 17-5-2022 ના રોજ બપોરે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ભારત રસાયણ લિમિટેડ કંપનીમાં થયેલ ગંભીર અકસ્માતને લીધે 2 કામદારો મૃત્યુ પામેલ છે અને 10 જેટલા કર્મચારીઓ ગંભીરરીતે દાઝી ગયા હતા. આ અકસ્માતની તપાસ DISH ભરૂચ અને જીપીસીબી દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં તપાસ હાથ ધરવા અને ગુજરાત સરકાર આવી ઔધોગિક દુર્ઘટનાઓ કાબૂમાં રાખવા માંગ કરવામા આવી છે અને અધિકારીઓના ભ્રષ્ટાચાર અને
ઓડિટરોની પોલંપોલ બંધ કરાવવા પગલાં ભરે એ જરૂરી હોવાનું જણાવાયુ છે.
સમસ્ત ભરુચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ કમલેશભાઈ મઢીવાલાએ આ મુજબ માંગણીઓ કરી છે.
1. સદર અકસ્માત કંપનીના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓની બેદરકારીને લીધે તાલીમ વગરના કર્મચારી કે
કોન્ટ્રાકટ માં કામ કરતાં કામદારોની બેદરકારીને લીધે થયેલ હોઈ શકે છે. સદર કંપનીના મેનેજમેન્ટના ઉચ્ચ
અધિકારીઓએ કુશળ કામદારો અને આઇટીઆઇ કરેલ કામદારો નહીં રાખેલ હોવાની અમારી ફરિયાદ છે. જેથી
તમામ મૃત્યુ પામેલ કર્મચારીઓ કુશળ અને આઇટીઆઇ કરેલ હતા કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવે. સદર
કંપની ના અન્ય કામદારો કે અકસ્માતનો ભોગ નથી બેલ તે કામદારો પણ કુશળ અને આઇટીઆઇ કરેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવે.
2. સલામતી નિયમ મુજબ સદર પ્લાન્ટ પાસે સેફટી ના સાધનો હતા કે કેમ ? જો હતા તો આટલી મોટી દુર્ઘટના કેવી
રીતે થઈ તેની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે.
3. સલામતી નિયમ મુજબ સદર પ્લાન્ટ પાસે દબાણ યુક્ત વેસલ સાથે રપચર ડિસ્ક હતી તેઓ તે કેમ ના ફાટી ?
આ સિસ્ટમની ચકાસણી કરનાર ઓડિટર તેમજ તેને પ્રમાણિત કરનાર એજન્સી ની તપાસ કરવામાં આવે. DISH દ્વારા છેલ્લી 3 વખત કરવામાં આવેલ ચકાસણીઑ માં શું ધ્યાન આપવામાં આવ્યું હતું ?
4. સલામતી નિયમ મુજબ સદર પ્લાન્ટમાં સેફટી નિયમ પછી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ હોવી જોઈએ તે હતી કે કેમ? ના હતી તો DISH દ્વારા શું પગલાં ભરવામાં આવ્યા ?
5. સલામતી નિયમ મુજબ આ પ્લાન્ટ નો લે આઉટ મંજૂર કરવામાં આવેલ હતો કે કેમ ? તેમાં કોઈ ખામી હતી કે
કેમ ? મંજૂરી કાયદા વિરુધ્ધ કે સલામતી નિયમો વિરુધ્ધ આપવામાં આવેલ હતી કે કેમ તેની તપાસ હાથ ધરવામાં
આવે.
6. સલામતી નિયમ મુજબના સાધનો તેમજ સલામતી અધિકારીની નિમણૂક હતી કે કેમ તેની કુશળતા હતી કે કેમ ?
તેની પાસે યોગ્ય અભ્યાસ અને સર્ટિફિકેટ હતું કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવે.
7. સદર બ્લાસ્ટમાં અગાઉ મહેરબાન એનજીટી એ યશસ્વી રસાયણ દહેજના કેસ માં આપેલ ચુકાદાનું અને એલ જી
પોલીમર ના કેસ માં આપેલ ચુકાદાનું કેટલું પાલન કરવામાં આવેલ હતું ? તેની તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે.
8. અગાઉ યશસ્વી રસાયણના કેસ માં આપવામાં આવેલ ચુકાદા મુજબ સેફટી ઓડિટરની પેનલ કે ટીમ બનાવવામાં
આવેલ છે કે કેમ ? તે કામગીરી કરે છે કે કેમ ? તે દુર્ઘટના પછી શું બોધપાઠ DISH અને જિલ્લા વહીવટી તંત્રે લીધેલ છે તેની તપાસ કરવામાં આવે.
9. સદર કેસ માં મૃત્યુ પામનાર કર્મચારીઓને 20 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિની સહાય તાત્કાલિક આપવાના
આદેશો DISH દ્વારા કરવામાં આવે.
10. દહેજ- ભરૂચ જિલ્લાની તમામ સળગે તેવા કે જોખમી રસાયણ વપરાશ કરનાર કંપનીઓમાં કામ કરનાર અભણ
અને પર પ્રાંતિય કામદારોની તપાસ હાથ ધરવામાં આવે. અને તેઓને બદલીને કુશળ અને આઇટીઆઇ કરેલ જ સ્થાનિક યુવાઓને નોકરી પર રાખવામાં આવે. લેબર તરીકે કામ કરનાર કામદારોને અન્ય પ્લાન્ટ નું કામ
સોંપવાથી આવી દુર્ઘટનાઓ થઈ રહી છે અને તે અટકી રહી નથી.
11.રપચર ડિસ્ક સર્ટિફાય કરનાર ઓડિટર સામે તપાસ હાથ ધરવામાં આવે.
12. શું આ કંપની મંજૂર કરવામાં આવેલ રસાયણો સિવાયના ભૂતિયા રસાયણો બનાવતી હતી કે કેમ ? તેની પોલીસ તપાસ કરવામાં આવે કે જેનાથી આ દુર્ઘટના થયેલ છે.
13. આ કંપની માં આગ લાગવાથી જે કોઈ પર્યાવરણ પ્રદૂષણ થયેલ હોય તેની ભરપાઈ કરવા EDC ની ગણતરી કરી હવા પાણી જમીન અને પર્યાવરણ નુકશાનનો જંગી દંડ ફટકારવામાં આવે.
14. મૃતક તમામ લોકોના વીમા હતા કે કેમ ? કેટલા હતા ? જો હતા તો તે જલ્દી વરસદારોને મળે એવી કાર્યવાહીકરવા માંગ છે.
15. મૃતકો સિવાયના કેટલા કર્મચારીઓના વીમા છે ? તપાસ હાથ ધરવામાં આવે.
16. અકસ્માત માં મરણ જનાર કેટલા કર્મચારીઓ કંપની ના ચોપડે નોંધાયેલ છે? કેટલા કોન્ટ્રાકટ માં છે ? લેબર
કોન્ટ્રાકટર નિયમો મુજબ હતો કે કેમ ? તેની પણ તપાસ કરવામાં આવે.
આ કેસની તપાસ જિલ્લા કલેકટર ભરૂચ એક સમિતિ બનાવીને કરે અને કડક પગલાં ભરે એવી અમારી માંગ છે. DISH અને GPCB આ
અકસ્માત બાબતે એનજીટીના ચુકાદા પાલનમાં થયેલ લાપરવાહી અને બેદરકારી બાબતે કંપનીના સંચાલકો સામે ગુન્હો નોંધાવે અને તટસ્થ
કાર્યવાહી કરવાના પ્રયત્નો કરે એવી પણ અમારી માંગ છે.
સદર દુર્ઘટનાઓ કંપનીઓની બેદરકારી અને લાપરવાહી તેમજ નિયમ ભંગ કરવાથી થાય છે અને સરકારે તેમાં માનવીય અભિગમ દાખવી
અસરગ્રસ્ત કે મૃતકોને સહાય આપવી પડે છે જે ખૂબ દુખદ બાબત છે. કંપનીઓના ગુન્હાઓ અને લપરવાહીઓ સરકાર કેવી રીતે છાવરી શકે
અને કેવી રીતે વળતર આપી શકે ? કંપની ધારા હેઠળ નોંધાયેલ કંપનીના ખાનગી પ્રીમાઇસીસમાં કામ કરતાં તમામ કામદારોનો વીમો ફરજિયાત
છે તો તે વીમો કેમ તેમને 24 કલાક માં મળી જાય એવું સરકાર કરતી નથી? કેમ તેમને સરકારી ભંડોળ/સહાય આપવી પડે છે??? જે સહાય
પણ સહાયના નિયમો હેઠળ ગેરકાયદેસર કહેવાય. જેથી ખાનગી કંપનીઓ માટે અમારો સરકારી ભંડોળ વપરાશ સામે વાંધો છે.
અમારી આપ સાહેબને નમ્ર અરજ છે કે સદર દહેજ વિસ્તાર અને ભરૂચ જિલ્લો નોંધપાત્ર રસાયણ ઉધોગ ધરાવતો જિલ્લો છે અને વારંવાર
આવી ઔધોગિક દુર્ઘટનાઓ બની રહી છે અને સલામતી નિયમોનું પાલન દેખાઈ આવતું નથી. આવી દુર્ઘટનાઓ કયારેક ગંભીર રૂપ ધારણ કરે
તો ભારે જાનહાનિ અને તબાહી અને ભોપાલ જેવી દુર્ઘટના સર્જી શકે એમ છે. તેથી આવી જીવલેણ દુર્ઘટનાઓની તપાસ કડકાઇથી હાથ ધરી
નશયત રૂપ પગલાં ભરી ઉધોગોને કાબુમાં રાખવાની તંત્રની ફરજ છે. જે નિભાવવી જોઈએ. તપાસ અંતે જરૂરી ફોજદારી પગલાં ભરવાની પણ
અમારી માંગ છે. દરેક મહિને લગભગ આવી દુર્ઘટના સામાન્ય થતી જાય છે.
વધુમાં ઔધોગિક સલામતી વિભાગના અધિકારીઓની જવાબદારી તેમજ ઓડિટરોની જવાબદારી નક્કી કરવા શ્રમ વિભાગ ગુજરાત સરકાર
કક્ષાએથી કાર્યવાહી કરે એવી મારી માંગ છે. અમોને અગાઉ કરેલ અમારી ફરિયાદો પર જવાબ આપવાનો સમય ઔધોગિક સલામતી
વિભાગના અધિકારીઓને મળતો નથી અને વારંવાર દુર્ઘટનાઓનું પુનરાવર્તન થઇ રહ્યું છે. વિભાગ દ્વારા કોર્ટ ના ચુકાદા મુજબ શું કામગીરી કરી
અને કોર્ટના ચુકાદાનું કેટલું પાલન થાય છે તે સુનિશ્ચિત કરવા માંગ છે. જો આ બાબતે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો અમો ગુજરાત
સરકાર વિરુધ્ધ જાહેર સલામતી બાબતે દુર્લક્ષ્ય સેવવવા અને કોર્ટના ચુકાદાનું પાલન નહીં કરવા બદલ આગળની કાર્યવાહી કરવા જણાવાયુ છે.