ભારત સરકાર તથા રાજય સરકાર દ્રારા તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લાવહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી હોય છે. બ્રિજ ઉપર વાહનોની અવર-જવર ઉપર આજથી પ્રતિબંધ ફરમાવ્યો છે.
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ઉપર યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો તેમજ નાગરિકો ભાગ લેનાર હોય આજે તા. 20જૂનના રોજ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે બપોરના 12 વાગ્યાથી તા. 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી પૂર્ણ થતાં સુધી બપોરના 12 વાગ્યા સુધી ગોલ્ડન બ્રિજ ઉપરથી દક્ષિણ તથા ઉત્તર તરફથી પ્રવેશતાં તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જોકે,વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે વહીવટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા થઈ છે જેમાં ‘નર્મદા મૈયા’ બ્રિજ પરથી વાહનો અવર- જવર કરી શકશે.