ઉત્તરાયણના દિવસે કાતિલ પતંગની દોરી ગળામાં આવી જતા અનેક લોકોને ગંભીર ઇજાઓ થતી હોય છે ત્યારે ટુ વ્હિલર ચાલકો સામે જોખમ ઉભું થાય છે આવી સ્થિતિમાં લોકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણના દિવસે તા.14મી જાન્યુઆરીના રોજ ભરૂચમાં સિટી બસમાં શહેરીજનો માટે મફત અને સલામત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથીજ ભરૂચ શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં નાગરિકો માટે મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે.
ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવામાં આવ્યો છે.