રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની તૈયારીઓ શરૂ થઈ છે અને ઠેરઠેર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે દરમિયાન અંકલેશ્વર શહેરમાં તિરંગા સાથે પોલીસની જાહેર પરેડ માર્ગો ઉપરથી પસાર થઈ હતી.
અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં સ્વતંત્ર પર્વ પૂર્વે અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરાયું હતું. જેમાં મહાવીર ટર્નીંગથી પ્રતિન પોલીસ ચોકી સુધી પોલીસ તિરંગા પરેડ યોજાઈ હતી. જેમાં 4 પોલીસ પ્લાન્ટુન, 1 હોમગાર્ડ પ્લાન્ટુન, અને 1 જીઆરડી પ્લાન્ટુન જોડાયા હતા અને પોલીસ બેન્ડ સાથે દેશભક્તિના ગીતોની સુરાવલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ભરૂચ ડી.વાય.એસ.પી જે.પી નાયકની અધ્યક્ષતામાં યોજાયેલ આ તિરંગા પરેડ યાત્રામાં અંકલેશ્વર શહેર પી.આઈ.આર.આર.વાળા, જીઆઇડીસી પી.આઈ. આર.એન કર્મથીયા તેમજ પી.એસ.આઈ અને પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.