ભરૂચના દહેજ ખાતેની મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ગેરકાયદેરીતે કેમિકલનો નિકાલ કરાતો હોવા મુદ્દે હવે સ્થાનિક લોકોમાં આક્રોશ ચરમસીમા એ પહોંચી ગયો છે. મેઘમણી કંપનીમાંથી નીકળતો કેમીકલનો કચરો જમીનમાં દાટવામાં આવતો હોવા અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યા બાદ હવે ચુપચાપ કચરો હઠાવવાની કામગીરી શરૂ થઈ હોવા અંગેની વાતને લઈ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રકોમાં કેમીકલ કચરો માટી સાથે મિક્સ કરી બારોબાર નિકાલ કરવામાં આવી રહ્યો છે જે મામલે ગ્રામજનોની રજુઆત છે કે તેઓને અંદર જવા દેવામાં આવે પરંતુ લોકોને જવા દેવામાં આવતા નથી અને ઉપરથી કેટલાક લોકો સામે થયેલી ફરિયાદ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
લોકોનું કહેવું છે કે મેઘમણી કંપની પ્રદૂષણ ફેલાવી રહી છે તે સાંભળવા કોઈ તૈયાર નથી અને ઉપરથી વિરોધ કરનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહયા હોવાનું લોકો જણાવી રહયા છે.
માનવ જીવન અને સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો કરનાર કેમિકલ મામલે તપાસ શરૂ થતાંજ જવાબદારો જાણે સગેવગે કરવામાં પડ્યા હોય તેવું લોકમુખે ચર્ચાતું હતું.
આ કેમિકલને કારણે આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી છે તેવે સમયે દહેજમાં આવેલ મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા ડ્રમમાં કેમિકલ ભરી જમીનમાં ઉતારવાની વાતને લઈ ગ્રામજનોએ આક્ષેપ લગાવી અહીં જીપીસીબીની ઉદ્યોગ ચલાવવાની શરતોના ઉલ્લંઘન સહિતના મુદ્દે પર્યાવરણને લગતા નોંધપાત્ર પ્રશ્ન ઊભા થઈ રહયા હોવાછતાં કોઈ સાંભળવા તૈયાર નહિ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે,મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝ દ્વારા પ્રદુષણનો મામલો સામે આવતા કેમીકલ કચરો હવે સગેવગે કરવામાં આવી રહયાની વાતને લઈ હોબાળો મચી જતા સ્થળ ઉપર પહોંચેલા સત્યડે એ લોકોની સમસ્યાને વાચા આપી હતી જેમાં તેઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા.