ભરૂચના દહેજ ખાતેની મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ગેરકાયદેરીતે કેમિકલનો નિકાલ કરાતો હોવાના ચોંકાવનારા આક્ષેપો વચ્ચે સત્યડેમાં અહેવાલો આવ્યા બાદ મેઘમણી કંપનીની બે ટ્રક અમોદ પોલીસે ઝડપી લઈ ઓવરલોડ મુદ્દે તપાસ કર્યા બાદ કેમિકલ વેસ્ટ મામલે આગળની તપાસ માટે GPCBને જાણ કરવામાં આવી હોવા છતાં તપાસ નહિ કરવામાં આવતા અને ટ્રકો ત્યાંથી રવાના થઈ જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે,
મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝ કેમિકલ ફેલાવતી હોવાના ગ્રામજનોના આક્ષેપ વચ્ચે સબંધિત વિભાગના અધિકારી મોદીએ જો ત્વરિત તપાસ કરી હોતતો દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ શક્યું હોત તેમ ગ્રામજનોમાં ચર્ચાતું હતું. બીજી તરફ મિડિયામાં આવેલ અહેવાલો બાદ જ્યારે પુરાવા સાથે કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકો પોલીસે ભલે ઓવરલોડ કેસમાં ઝડપી પરંતુ કેમિકલ વેસ્ટ અંગે GPCBને જાણ કરવામાં આવી હોવા છતાં સત્ય સામે નહિ આવતા હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે.
મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ગેરકાયદેરીતે કેમિકલ કચરાના નિકાલ મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ટ્રકોમાં કેમીકલ કચરો ભરી ત્યાંથી લઈ જવામાં આવતો હોવા અંગે તટસ્થ તપાસ કરવા લોકો માંગ કરી રહ્યા છે તેવા સમયેજ કેમિકલ સગેવગે કરવાની વાતો વચ્ચે મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝનો વેસ્ટ ભરેલી ટ્રકો ઝડપાતા આ વેસ્ટની તપાસ થઈ હોતતો કેમિકલ જમીનમાં ખાડા ખોદીને દાટી દેવાની વાતો અને હોબાળો થતા કેમિકલ ખાડા માંથી કાઢી લઈ જવાતું હોવાના સ્થાનિક લોકો અંગેના સ્થાનિક લોકોના આક્ષેપ મામલે તપાસ થઈ શકી હોત.
મેઘમણી ઇન્ડ્રસ્ટ્રીઝનો કેમિકલ વેસ્ટ ભરેલી બે ટ્રકો અમોદ પોલીસે ઝડપી GPCBને જાણ કર્યા બાદ આ મામલે તપાસ નહિ થતા ટ્રકો ત્યાંથી રવાના થઈ જતા ભીનું સંકેલી લેવામાં આવ્યું હોવાની વાતો લોકોમાં જોરશોરથી ચર્ચાઈ રહી છે, તેવે સમયે હવે ઉપરના લેવલથી તટસ્થ તપાસ કરવામાં આવે લોક માંગણી ઉઠવા પામી છે.