ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાચવેલ ગામમાં ગેરકાયદે થઈ રહેલા માટીખનન મામલે ગ્રામજનોએ જોરદાર વિરોધ કરી તટસ્થ તપાસની માંગણી કરી છે અને સરકારી રોયલ્ટીને નુકશાન કરવાના આખા મામલામાં આખરે ગ્રામજનોએ મામલતદારને કરેલી રજૂઆત બાદ સર્કલ અને તેમની ટીમ સ્થળ તપાસ માટે આવીતો ખરી પણ માત્ર દેખાડો કરી રવાના થઈ જતા ગ્રામજનોએ આ મામલે સવાલો કર્યા છે ગ્રામજનો નું કહેવું છે કે રેડ કે સ્થળ ચકાસણી દરમિયાન ત્યાં પડેલા વાહનો જપ્ત કરવાની કોઇ તકેદારી લેવામાં આવી ન હતી અને સ્થળ ઉપર માટીખનન માટે વપરાતા ટ્રેક્ટર અને જેસીબી ડિટેઇન કરવામાં આવ્યા ન હતા.
ભરૂચના વાગરા તાલુકાના ચાચવેલ ગામના તલાટી પરવીન વસ્યા અને સરપંચ સિકંદર મુસા બાપુ છે અને આ ગામમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જરૂરી નિયમોનુસાર પરવાનગી વગરજ નિયમ વિરૂદ્ધ તળાવ નું ખોદ કામ ચાલુ કરી દીધું હોવા અંગે રજુઆત કરવામાં આવી છે.
જોકે,માટીખનનનો આ મામલો ભારે ચર્ચાસ્પદ બનતા સત્યડેની ટીમ ચાચવેલ ગામે પહોંચી હતી અને ગામના જાગૃત નાગરિકોના અભિપ્રાય લીધા હતા જેઓનું કહેવું હતું કે ગામમાં નિયમ વિરુદ્ધ માટીનું ખોદકામ થઈ રહ્યું છે અને તે અંગે મામલેદારને લેખિત રજુઆત કરતા સર્કલ અને તેઓની ટીમ સ્થળ તપાસ માટે આવી હતી અને ખોદકામવાળી જગ્યાએ જઇ તપાસ કરી હતી જોકે, ત્યારબાદ તપાસનો માહોલ ઉભો કરી ત્યાં ચાર થી વધુ ટ્રેક્ટર અને એક જેસીબી પડ્યા હોવાછતાં તે વાહનો ડિટેઇન કર્યા વગરજ ત્યાંથી રવાના થઈ જતા આખો મામલો ગ્રામજનોને શંકાસ્પદ લાગી રહયો છે.
ગ્રામજનોનું કહેવું છે કે સરપંચ અને તલાટીના કોઈ પણ ઠરાવ વગર માટીચોરીનું રેકેટ ચાલી રહ્યાનું જણાઈ રહ્યુ છે અને આ આખા પ્રકરણમાં સર્કલ અને મામલતદારની ભૂમિકા સામે સવાલો ઉઠાવી તપાસની માંગ કરી રહયા છે. કારણ કે માપણી કર્યા પછી પણ દંડના કરતા ગ્રામ જનોમાં ખાન ખનીજના અધિકારીઓ વિરૂદ્ધ આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ગામમાં સ્થળ તપાસ અને તે સમયે ત્યાં હાજર વાહનોના ફૂટેજ સત્યડેના કેમેરામાં કેદ થયા છે અને ગ્રામજનોના આક્ષેપ મામલે નિષ્પક્ષ તપાસ થશે તો સરકારી તિજોરીને નુકશાન કરવામાં કોણ કોણ સામેલ છે તે બહાર આવવાની શક્યતા છે.
બીજી તરફ જિલ્લામાં માટી ખનન પ્રવૃત્તિ વધી હોવાછતાં ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નહિ હોવાનું જણાય રહ્યું છે અને ખાણ ખનીજના અધિકારી રાજપરા ને દંડ કરવામાં રસ નહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.