ભરૂચ જિલ્લાનાના અમોદ તાલુકામાં આવેલ સરભાણ ગામે થયેલા માટી કૌભાંડ મામલે સત્યડેમાં અહેવાલો આવતાંજ તંત્ર દોડતું થઈ ગયું હતું અને ત્વરિત હાથ ધરાયેલી તપાસમાં કૌભાંડ થયું હોવાનું જણાતા આખરે જૂની બોડીના જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.
સરભાણ ગામના સર્વે નં.૮ તળાવ તથા સર્વે નં.૮૩૭ તલાવડીમાં થયેલ સાદીમાટી ખનીજના ખોદકામ અંગે હાથ ધરાયેલી તપાસ દરમ્યાન સર્વે નં.૮ તળાવ તથા સર્વે નં.૮૩૭ માં માપણી કરવામાં આવેલ હતી જેમાં ઉત્તમભાઈ છોટુભાઈ પટેલને દંડકીય નોટીસ પાઠવવામાં આવેલ હતી. ગામમાં થયેલા માટી કૌભાંડ મામલે નાયબ જીલ્લા વિકાસ અધિકારી, ભરૂચ, તાલુકા વિકાસ અધિકારી, આમોદ તથા અત્રેની કચેરીની તપાસ ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવેલ હતી.
જે તપાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, કમ મંત્રીશ્રી ની જવાબદારી બનતી હોઈ
આ બિન-અધિકૃત ખોદકામ બાબતે તેઓને પણ નોટીસ પાઠવવામાં આવી છે.
જેની વિગત મુજબ સર્વે નં.૮ તળાવ તથા સર્વે
નં.૮૩૭ માંથી ૨,૪૦,૫૬૦ મે.ટન સાદીમાટી ખનીજનું બિન-અધિકૃત ખોદકામ સબબ રૂ.૫,૯૩,૫૮,૧૮૦/- ની દંડકીય રકમ વસુલાત
કરવા માટે નોટીસ પાઠવવામાં આવેલ હતી. તેમજ સર્વે નં.૬૬૫ (જુનો સર્વે નં.૧૬૬૪) વાળી ગૌચર જમીનમાં થયેલ સાદીમાટી
ખનીજના ખોદકામ બાબતે અત્રેથી તલાટી કમ મંત્રી, સરભાણને આગળની કાર્યવાહી અર્થે પત્ર લખેલ છે. જેથી થયેલ ખોદકામ
અંગે પત્ર મળ્યેથી દિન-૭ માં ખુલાસો કરવા જણાવ્યુ હતુ.
આમ, સત્યડે માં આવેલ અહેવાલો બાદ સરભાણ ગામે તપાસનો ધમધમાટ શરૂ થતાં જવાબદારો દોડતા થઈ ગયા છે.