ભરૂચઃ મંગળવાર :-કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૦ રોજ ૦૬ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૯૮ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ ૯૩ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૯૮ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૦૫ દર્દીના મરણ થયેલ છે તથા ૪૮ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૪૫ વ્યક્તિઓ સારવાર હેઠળ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.