- આમોદ – જંબુસર વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટની શરૂઆત કરવામાં આવ્યો..
Bharuch: ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક જીતવા માટે દિવસે-દિવસે ટોચના નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નજરે પડે છે. આજરોજ આમોદ શહેર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર ભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડો.બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આમોદ ખાતે આવેલ ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવાયું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે યુવાનોને રોજગારી આપીશું, મોંઘવારી ઘટાડીશું, ખેડૂતનુ દેવુ માફ કરીશું, અબ અચ્છે દિન આયેંગે જેવા ખોટા વચનો આપી પછી કંઈજ કામગીરી કરતા નથી. અને આ વખતે મારું પરિવાર શબ્દ લઈને આવેલ છે. પરંતુ આ વખતે મતદારો તેમની તાનાસાહી ચલાવી લેશે નહીં તેમ જણાવ્યું હતું.
જ્યારે છેલ્લા 5 ટર્મથી ભરૂચ જિલ્લાની લોકસભામા વિજેતા થતા મનસુખભાઈ વસાવા ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મનસુખભાઈ પોતાની ગ્રાન્ટ વાપરી શકતા નથી તથા લોકોના પ્રશ્નો ઉકેલી શકતા નથી અને હવે એમની ઉંમર થઈ ગયેલ છે માટે એમને હવે આરામની જરૂર છે. ચૈતર વસાવા દ્વારા ઉપસ્થિત કાર્યકરોને ઘેર- ઘેર મહોલ્લે -મોહલ્લે જઈ મતદાન કરાવવાજણાવેલ હતું. જ્યારે ડેડીયાપાડા-ઝઘડિયા વિસ્તારના 70 થી 80 ટકા વસાવા સમાજનું મતદાન ઝાડુના નિશાન પરજ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.