Bharuch: ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસો માં ચૂંટણી યોજાવવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારો ને રીજવવા માટે પ્રચાર અભિયાન માં જોતરાયા છૅ, તેવામાં આજે ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માં ઇન્ડિયા ગઠ બંધન ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ચૈતર વસાવા પણ નીકળ્યા હતા,
ચૈતર વસાવા જયારે પ્રચાર અભિયાન માં નીકળ્યા હતા તે દરમ્યાન એક રસપ્રદ ઘટનાનું નિર્માણ થયું હતું,
જ્યાં જુના ભરૂચ વિસ્તારના વતની હેમલ વીણ નામના એક બ્રાહ્મણ દ્વારા ચૈતર વસાવાના કપાર ઉપર રક્ત તિલક કરી તેઓની જીત ના આશીર્વાદ આપ્યા હતા.