ભરુચના મનુબર ગામના યુવાન સાજીદ કેસવાણવાલાનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભરૂચમાં ભારે ચકચાર મચી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોની હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતા નથી. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. ભરુચના મનુબર ગામના યુવાન સાજીદ કેસવાણવાલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સાજીદને કાર સાથે નિગ્રો ગુંડાઓએ સળગાવી દીધો હોવાની જાણકારી મળી રહી છે.
સાજીદ એક દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારે બીજા દિવસે હત્યા કરાયેલો સાજીદનો મૃતદેહ મળી આવ્યો છે. જ્હોનિસબર્ગથી 75 કિં.મી દૂર ફોકવીલ ગામ પાસેથી સાજીદની લાશ મળી આવી છે.
દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા અંકલેશ્વરના રવિન્દ્રા ગામના યુવાનની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવક સાજીદ સીદાતની પણ હત્યા કરવામાં આવી હતી.