વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે અને રાજકીય ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે તો સાથે સાથે પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ ગુજરાત આમ આદમી પાર્ટી પણ હવે વધુ સક્રિય થઇ હોય એવું દેખાઈ રહ્યું છે તેવામાં આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા સામ-દામ-દંડ-ભેદ નીતિ અપનાવીને કામ શરૂ કરવામાં આવ્યું છે વિવિધ પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને પણ આ ચૂંટણીમાં સારામાં સારું પ્રદર્શન થાય એ બાબતે આમ આદમી પાર્ટી સક્રિય થઇ હોય તેવું જણાઈ રહ્યું છે
ભરૂચ જિલ્લામાં સ્થિત રાષ્ટ્રીય પાર્ટી એવી BTP ની ટીમ સાથે પણ આમ આદમીના કાર્યકર્તાઓ થોડા દિવસ અગાઉ દેખાયા હતા આદિવાસી મસીહા તરીકે જાણીતા છોટુભાઈ વસાવા સાથે ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી એ મુલાકાત કરી હતી જ્યાં બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં BTP સાથે ગઠબંધન કરીને આમ આદમી પાર્ટી ચૂંટણી લડી શકે એવી વાત રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે એનું એક ઉદાહરણ છે કે આમ આદમી પાર્ટી ના ઈશુદાન ભાઈ ગઢવી સાથે BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અરવિંદ કેજરીવાલની મુલાકાતે ગયા હતા અને દિલ્હીમાં બનાવેલ સરકારી શાળાઓની મુલાકાત લઇ તેમની કાર્યપદ્ધતિ થી વાકેફ થયા હતા શાળાઓની મુલાકાત બાદ મહેશભાઈ વસાવાએ દિલ્હીની શાળાઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું આદિવાસી વિસ્તારોમાં આવી શાળાઓ બની જાય તો આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવી શકાશે તેઓ અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ઘણાં જ ખુશ દેખાઈ રહ્યા હતા.
આગામી વિધાનસભામાં BTP આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે કે કેમ..? એની લોકો કાગડોળે વાટ જોઈ રહ્યા છે.