કેવડીયા ખાતે વડાપ્રધાન મોદીના સી-પ્લેનના પ્રોજેક્ટનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે નર્મદા ડેમ પાસેના તળાવ નં ૩માં સી પ્લેન ઉતારવાનું આયોજન કરાયું છે. પણ આ તળાવમાં 300 જેટલા મગર આવેલા હોવાનો અંદાજ છે જે પ્રવાસીઓ માટે જોખમી હોય તેમનું સ્થળાંતર કરવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, અગાઉ ગયા સપ્તાહે બે મગરને રેસ્ક્યુ કરીને સરદાર સરોવરમા છોડી મુકવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં માત્ર ચાર જ મગરોને પકડવામાં આવ્યા છે.
તળાવમાં ૩૦૦ જેટલા મગરો હોવાનો અંદાજ છે આટલા મગરોને રેસ્ક્યુ કરવાનું કામ અઘરું તો છે જ, જોકે વન અધિકારીઓના જણાવ્યા અનુસાર મગરને સહેજ પણ તકલીફ આપ્યા વિના કે ખલેલ પહોંચાડ્યા વિના તળાવના કિનારે પાંજરા મૂકીને તેમા સારી જાતનુ માસ ખોરાક તરીકે મુકવામાં આવે છે જેવા મગર ખોરાક માટે પાંજરામાં અંદર પ્રવેશે છે કે તરત જ પાંજરુ બંધ થઈ જાય છે, આમ પાંજરામાં પુરાયેલ મગરને પછી સરદાર સરોવર લઈ જઈ ત્યા છોડી મુકવામાં આવે છે.
જોકે હાલ ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી તળાવ કિનારે ગરમી મેળવવા સનબાથ(બસ્કીગ)માટે સવારે 9 થી 11ના ગાળામાં મગરો સનબાથ માટે બહાર આવે છે ત્યારે 10 થી 12 મગરો જોવા મળે છે, જોકે ક્રમશઃ એકથી દોઢ મહીનામાં મગરોને પકડીને સરદાર સરોવરમા છોડવાનો અંદાજ છે, જોકે આટલી મોટી સંખ્યામાં મગરોને રેસ્ક્યુ કરીને પકડીને સ્થળાંતર કામગીરી જોખમી અને કપરી પણ છે.
હાલ આ તળાવને સુરક્ષિત કરવાનું હોઈ વનવિભાગે અત્યાર સુધીમાં માત્ર ચાર જ મગરો પકડાયા છે. પણ વન વિભાગના ઝાંબાઝ જવાનો આ કામગીરી પૂર્ણ કરી લેવા કટિબદ્વ બન્યા છે.