નવનિર્મિત શ્રી સદ્ ગુરુ કબીર સાહેબ મંદિરની અનાવરણ વિધિ અને એકોત્રી આરતી મહાયજ્ઞ માં સર્જાયો કોમી એકતાનો માહોલ
ભારત દેશ એ વિવિધતા માં એકતા ધરાવતો દેશ છે. જેમાં તમામ ધર્મના લોકો હળી મળીને એકતા અને ભાઇચારાથી રહે છે. જેમાં ખરચી ગામે નવનિર્મિત શ્રી સદ્ ગુરુ કબીર સાહેબ મંદિરની અનાવરણ વિધિ અને એકોત્રી આરતી મહાયજ્ઞમાં તમામ ધર્મોના લોકોએ હાજરી આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને હિન્દુ મંદિરના પ્રસંગમાં મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મોના સામાજિક આગેવાનો હાજર રહીને તમામ સમાજને એકતા અને ભાઈ ચારા નો સુંદર સંદેશ આપ્યો હતો. સંત કબીર સાહેબનો માનવતા વાદી સંદેશ કે આપણે બધા એકજ છીએ. એક ડાળના પંખી ની જેમ તમામ માણસો પણ એકજ છે. કોઈ અલગ નથી એ સંદેશ આજે જોવા મળેલ. આ પ્રસંગે મૌલાના ઇમરાન સાહેબ, સંત કબીર દાસ રામ દાસ, મુફતી સાદીક સાહેબ, સોહેલ નાનાબાવા સહિતના તમામ ધર્મના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.