(દિલીપ પટેલ દ્વારા): નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટર ફૂટ ઘટી જતાં બંધ ખાલી રહે છે. ત્રણ વર્ષથી બંધ પૂરો થઈ ગયો પણ તે ભરાયો નથી અને જ્યારથી વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ બંધને રાષ્ટ્રને અર્પણ કર્યો છે ત્યારથી તે ભરાયો નથી અને તેથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાયું છે અને વીજળી પેદા કરવાનું પણ બંધ કરાયું છે. હવે બંધથી નીચેની નર્મદા નદીમાં પાણી ન આવતાં દરિયાના પાણી 80 કિમી સુધી આવી ગયા છે અને હવે નદીનું પાણી કાળું પડી ગયું છે. વિશ્વની પ્રથમ 8 નદી પૈકીની નર્મદા નદી હવે સુકાઈ ગઈ છે.
પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના કામો પુરા ન થયા છતાં 138 મીટર ઊંચો બંધ બાંધી દેવાયો. નર્મદા નદીનું જંગલ કાપવાના કારણે કુદરતી ચક્ર વેરવિખેર થયું છે. ચોમાસામાં અતિવર્ષા અને પુરનો પ્રકોપ – ઉનાળામાં પાણી ઘટી જાય છે.
મધ્ય પ્રદેશ સરકારે 2016માં નર્મદા સેવા યાત્રા કાઢી. નવા વૃક્ષો વાવી જંગલ વિસ્તાર વધારવાની વાત કરી હતી. જંગલોનું રક્ષણ કરતાં તે તો હવે નર્મદાની ખીણ છોડી વસાહતોમાં રહેવા મજબૂર થયા છે. નદીના પાણીના જળગ્રહણ ક્ષેત્રોમાં મોટા મોટા બંધોને કારણે પશ્ચિમી મધ્ય પ્રદેશના ૪૩૦૦૦ હે વિસ્તારમાં જંગલો ડૂબી ગયા હતા. વૃક્ષોથી ઉજ્જડ થયેલા વિસ્તારનો કાંપ હવે બંધમાં ઠલવાવા લાગ્યો છે. બંધમાં અગાઉ કરતાં વધું માટી ભરાઈ રહી છે.
નર્મદાનો 280 લાખ એકર ફિટનો પ્રવાહ ઘટીને હવે 230 એકરફીટ થઈ ગયો છે. 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે. તેથી હવે નર્મદા બંધ છલકાતો નથી કે પાણી ભરાતું નથી. જે આ છેલ્લાં ત્રણ વર્ષથી નર્મદા બંધમાં પાણી ન રહેતાં, પાવર હાઉસ બંધ રહેતા અને નર્મદા નદી સુકાઈને ખારી તથા પ્રદુષિત થતાં નર્મદાનાં પાણી માટે વિવાદ કરતાં ચાર રાજ્યોને એ વાત સમજાણી છે. નદીમાં એટલું પાણી નથી બચ્યું જેટલાંના ભરોસે આખી યોજના બનાવી હતી. નદીઓનો પાણીનો પ્રવાહ ઘટવાના કારણે ઊંચા બંધ ભરાતા નથી.
નર્મદા નદી માટે ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ – એકેય રાજ્યની સરકારે પર્યાવરણ સુરક્ષા ના પગલા ભરવાની દરકાર કરી નથી. સ્રાવ ક્ષેત્ર વિકાસના કામ ગુજરાતે જેવા તેવા પુરા કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેના ભાગે આવતું કામ 68% પૂર્ણ કર્યું હતું. મધ્ય પ્રદેશની ભાજપની શિવરાજ સરકારે 4.29 લાખ હેક્ટરમાંથી માત્ર 1.61 લાખ હેક્ટર જે માત્ર 38 ટકા જ કામ કર્યું છે. આના કારણે નદીનો પાણીનો પ્રવાહ ઘટવા લાગ્યો છે.
10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો તેના પહેલા વરસથી જ ખેડૂતોની અવદશા શરૂ થઇ છે.
1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ ઘટી ગઈ હતી. પણ ગુજરાતની ભાજપની નરેન્દ્ર મોદી સરકારે એ વાત 13 વર્ષ છુપાવી છે.
માટી અને કાંપને વીજ ઉત્પાદન ઉપર થઈ છે, નજરે ન ચડે એવી સૌથી મોટી અને ગંભીર સમસ્યા પુરના કારણે ઊંચા જતા જળસ્તર( બેકવોટર)ની બની છે. નર્મદામાં ભળતી નાની નદીઓ પોતાનો કિનારો તોડી આસપાસના ખેતરો, રહેઠાણો અને રસ્તાઓ પર વિનાશ વેરી રહ્યા છે. કારણ કે નર્મદાની ખીણ બંને તરફથી પહાડોથી ઘેરાએલી છે અને સાંકડી છે. એમાં ઠેર ઠેર ભળતી સહાયક નદીઓના પાણીના સ્તરમાં થતો વધારો ડરાવનારો છે.
બંધનું આયુષ્ય વધારવું હોય તો બંધ બાંધતા પહેલા ડૂબતાં વિસ્તારને હરિયાળો બનાવવો પડે તેમ હતો અને તેની પાછળનું ખર્ચ રૂ.1400 કરોડ આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે તે સમયે માત્ર રૂ.20 કરોડ ફાળવેલા હતા. નર્મદા યોજનાની મંજૂરી માટે એ શરત હતી. પણ ચારેય રાજ્યોએ તેનો અમલ જ ન કર્યો તેથી વરસાદ ઘટી ગયો અને કાંપ વધી ગયો. ગુજરાત સરકારે તો મંજુરી મળતા વેંત જ બંધ બાંધવાનું બારોબાર કામ શરુ કરી દીધું હતું. જેના માઠા પરિણામ હવે આવી રહ્યાં છે.
સરદાર સરોવર ડેમ ની ઉપરવાસની દુરસ્તી અને વિકાસનો ઘટના ક્રમ તપાસવા જેવો છે. તેમ નવી દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પર્યાવરણ કક્ષમાં જણાવાયું હતું. તેમ ભરતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.