કોરોના ના કેસો ઘટતા હવે લોક લાગણી ને ધ્યાને લઇ આજે તા.12 મી જૂન શનિવાર થી ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંદર-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન પુનઃ ચાલુ કરાઈ છે.
કોરોના ના કેસ વધતા સંક્રમણ વધે નહિ તે માટે રેલવે દ્વારા લોકલ ટ્રેનો વ્યવહાર બંધ કરાયો હતો પણ હવે કોરોના કેસો માં ઘટાડો થતા ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર મંડળ દ્વારા આજે તા.૧૨-૬ને શનિવારથી ભાવનગર-સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર-ભાવનગર અને પોરબંદર-રાજકોટ, રાજકોટ-પોરબંદર વચ્ચે ડેઈલી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવશે.
ભાવનગરથી સવારે પાંચ કલાકે ટ્રેન ઉપડી ૯ કલાકે સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગરથી ૯-૪૦ કલાકે ટ્રેન ઉપડી ભાવનગર ટર્મિનસ પર બપોરે ૧-૩૦ કલાકે ટ્રેન પહોંચશે. આ ઉપરાંત રાજકોટ-પોરબંદર વચ્ચે સવારે ૭ કલાકે, પોરબંદર-રાજકોટ વચ્ચે બપોરે ૨-૩૦ કલાકે દૈનિક વિશેષ ટ્રેન ચાલશે. આ બન્ને ટ્રેન આગળની સુચના ન મળે ત્યાં સુધી વિશેષ ટ્રેન તરીકે દોડશે તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું છે. જોકે, લોકલ ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવી ભાડા વધારી દેવામાં આવ્યા હોવાથી મુસાફરી મોંઘી રહેતા મુસાફરોના ખિસ્સા વધુ હળવા થશે. ત્યારે જૂના ટિકિટ દર મુજબ ભાડું લેવા જનતા માં માંગ ઉઠવા પામી છે કારણ કે કોરોના માં નોકરી-ધંધા માં લોકો બેહાલ થઈ ગયા હોય રાહત આપવા માંગણી ઉઠવા પામી છે.