પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે સ્મશાનમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા અને કથા શ્રવણ સહિત દર્શનનો લાભ લીધો હતો.
પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે આવેલા સ્મશાનમાં યોજાયેલી ભગવાન સત્યનારાયણની કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.
ગામના યુવાનો દ્વારા અહીં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને સ્મશાનમાં રમતોનું પણ આયોજન કરવામાં આવે છે ,સ્મશાનમાં વહેલી સવારે યોગ અને પ્રાણાયામના વર્ગો ચાલુ કરી નવો ચીલો ચિતરવામાં આવ્યો છે.
સ્મશાનમાં ભગવાન સત્યનારાયણની યોજાયેલી કથામાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહેનોએ ભાગ લીધો હતો.ગામડામાં મોટાભાગે બહેનો સ્મશાને જતા નથી હોતા એ પરંપરાને પણ અહીં બહેનોએ તોડી છે. લોકોમાં
સ્મશાન પ્રત્યેનો ડર ઓછો કરવા આ પ્રકારના આયોજન કરવામાં આવે છે
મોટી રાજસ્થળી ગામમાં લોકોમાં સ્મશાન પ્રત્યેનો ડર ઓછો થાય, તેમજ સ્મશાન રળિયામણું બને, એવા પ્રયત્નો અમે ઘણા સમયથી થઈ રહયા છે. સ્મશાન માં લોકો આવે બેસે અને શાંતિ ની અનુભૂતિ કરે એવું રળિયામણું સ્મશાન બને તેવા ગ્રામજનો ના પ્રયાસોને લઈ આ ગામે અલગ ચીલો ચિતર્યો છે.