ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે,શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
ભાવનગરના શિહોરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ઢાળ પાસે ઘટના બની છે, આંગડિયા પેઢીની કર્મચારીને આંતરી લૂંટ ચલાવાઈ છે.
આર. મહેન્દ્રકુમાર એન્ડ કુ. ના કર્મચારી ને 4 થી વધુ લૂંટારાઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી છે.
આજે વહેલી સવારે બનેલી ચકચારી ઘટના, ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ઢસાથી બાઇક લઈને આર.મહેન્દ્ર નામની આંગડિયા પેઢીના બે કર્મીઓ શિહોર આવી રહ્યા હતા.
શિહોર બસ સ્ટેન્ડ નજીક લૂંટારૂઓએ એક કર્મીનું અપહરણ કરીને કર્મીઓનું બાઇક લઇને ફરાર થયા હતા.
ફરાર થયેલી બાઇક ચોગઠ નજીકથી મળી આવી છે.