ભાવનગર માં આવેલ જશોનાથ મહાદેવ નાં મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર અત્યંત પ્રાચીન અને શિલ્પોથી અલંકૃત મંદિર છે.પ્રાચીન મહત્વ ધરાવતા ભગવાન શિવના આ ભવ્ય મંદિરમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવિકો સવારથીજ દર્શન માટે આવી રહયા છે.
આ મંદિર ની રચના ઇ.સ. 1850 માં મહારાજા જશવંતસિંહજી નાં રાજ્યકાળ દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જશોનાથ મંદિર ની આસપાસનો વિસ્તાર આઝાદી પછી વિકસિત થયો હતો. આ પહેલા આખા વિસ્તારમાં સુંદર વનરાજી હતી. શહેરના મધ્યમાં સ્થિત મહાદેવની સારસંભાળ અત્યારે પૂજારી અને તેમના પરિવાર દ્વારા રાખવામાં આવે છે.
ભાવનગરની મુલાકાતે આવતા સાધુઓ અહીં આશ્રય લેતા હતા કારણકે આ વિસ્તારનું વાતાવરણ એકદમ શાંત રહેતું હતું. ભાવનગરનું સ્ટેટ બેન્ડ અહીં વિશિષ્ઠ પ્રસંગો દરમિયાન વાગતું હતું. મંદિરના નિર્માણ માટેનું સ્થાન તે વિસ્તારના ભૂગોળ શાસ્ત્ર ને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યું હતું. આ આવતા વર્ષોમાં પણ મંદિરના સકારાત્મક ઊર્જા ઉમેરશે. આઝાદી પછી સરકારમાં રસ્તા અને વિકાસ માટે કામ કરતા લોકો માટે લાકડાની કોતરણીવાળા આવાસો બનાવવામાં આવ્યા હતા. આ કોતરણીવાળા મકાનો પરંપરાગત શૈલીમાં બનાવવામાં આવ્યા હતા અત્યારે તે મંદિર માટે સુંદર રક્ષણાત્મક દીવાલ નું કામ કરે છે.
મંદિરની સ્થાપત્ય કલા ખુબજ અદભૂત છે,
મંદિરની કોતરણી માં શક્તિ, હિંમત, શાંતિ, અને સમૃદ્ધિનું પ્રદર્શન કરતા વિવિધ પ્રાણીઓના સુંદર દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. જૂના સમયમાં મંદિરો ખૂબ વ્યૂહાત્મક રીતે બંધાવવામાં આવ્યા હતા. મંદિરની પ્રવેશ હંમેશા સૂર્યની પૂર્વ અથવા ઉત્તર તરફ હોય છે. અહી મંદિરનો પ્રવેશ ઉત્તર તરફ છે અને શિવલિંગની દિશા પૂર્વ તરફ છે. મંદિરના સ્થાપત્ય ઇતિહાસમાં હિન્દુ વૈદિક મંદિરોના બધા તત્વો છે. મંડપ મંદિરનાં પ્રવેશદ્વાર પર બનાવવામાં આવ્યો છે.