ભાવનગરમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 24*7 કાર્યરત : તમામ તાલુકાના ટોલ ફ્રી નંબર જાહેર ,જો તમે ભાવનગર જિલ્લાના હોય તો નોંધીલો નીચેના નંબર
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંકટને પગલે દરિયા કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને લોકોને આફત સમયે સંપર્કમાં રહેવા જણાવાયુ છે.
ભાવનગર જિલ્લા કંટ્રોલરૂમ નંબર-૦૨૭૮-૨૫૨૧૫૫૪, ૦૨૭૮-૨૫૨૧૫૫૫ અને જિલ્લા કંટ્રોલરૂમના ટોલ ફ્રી નંબર ૧૦૭૭ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના કન્ટ્રોલ રૂમના નંબરો જાહેર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
–ભાવનગર શહેર 0278-2430245 0278-2424816 9879206320
-ઘોઘા- 0278-2882323
-સિહોર- 02846-222009
-ઉમરાળા -02843-235230 9173820720
-વલ્લભીપુર- 02841-222435
-પાલીતાણા -02848-243326
-ગારિયાઘાર -02843-252922
-મહુવા- 02844-223042 7862046147
-જેસર -02845-281400
-તળાજા- 02842-222042 રહેશે.
ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરૂરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના નજીકના તાલુકાઓમાં આવેલ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે.
નીચાણવાળા વિસ્તારો અને સંભવિત વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે