ભાવનગરમાં આષાઢી બીજ ના રોજ નીકળનાર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 10 જિલ્લાની પોલીસ ટુકડીઓ ફરજ બજાવશે.
પોલીસ કર્મચારીઓને નોકરીના પોઇન્ટ તેમજ રહેવાની વ્યવસ્થા ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત SRPની ટુકડીઓ તેમજ CISFના જવાનો ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગર પોલીસ દ્વારા બહારથી આવેલા પોલીસ જવાનોને તેમની નોકરીઓની વહેંચણી તેમજ પોઈન્ટની જવાબદારી આપી દેવામાં આવી છે.
ભાવનગર શહેરમાં રથયાત્રાના બંદોબસ્ત માટે અમરેલી, બોટાદ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ તેમજ પીટીસી જુનાગઢ સહિત 10 જિલ્લાની પોલીસ ફરજ બજાવશે.
ભાવ નગરમાં નિકળનાર 38મી રથયાત્રા દરમિયાન પેરામિલિટરી, સીઆરપીએફ, સીઆઇએસએફ, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે.