ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર અને ઘોઘામાં બે કલાકમાં અઢી ઈંચ અને મહુવા પંથકમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ઘોઘા, તળાજા, સિહોર સહિત જેસર, ગારિયાધાર, વલભીપુર અને પાલીતાણા પંથકમાં પણ વરસાદ થતાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે.
મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો.
ભાવનગર પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી શરૂ થઈ છે અને કેટલીક જગ્યાએ વાવણી થયા બાદ વરસાદ થતાં તેઓને ફાયદો થશે.
વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે.