ભાવનગર દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરિણામે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ છે.
ભાવનગરના દરિયામાં 40થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 24 અને 25 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મૂળ દ્વારકા, વેળાવદર, જાફરાબાદ, પીપાવાવ, દહેજના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના તેમજ દરિયાના તોફાની મોજા ઉછળી શકે છે, અને પવનની ઝડપ વધીને 60 કિલોમીટર સુધી પહોંચી શકે તેમ હોય આ દિવસો દરમિયાન માછીમારો દરિયાકાંઠે ન જવા તંત્ર દ્રારા સૂચના આપવામાં આવી છે.