રાજ્ય માં કોરોના એ ભયાનક રૂપ ધારણ કરી લીધું છે અને ઓક્સિજન નહિ મળતા દર્દીઓ ના મોત થઈ રહ્યા છે ત્યારે બિનસત્તાવાર મળી રહેલા અહેવાલો મુજબ ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ગતરોજ બપોરે ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ ના ટપોટપ મોત થઈ જતા ચકચાર મચી ગઇ છે. જો કે આ બાબતને સત્તાવાર સમર્થન મળ્યું નથી. સર ટી.ના ટ્રોમા સેન્ટરમાં ધડાધડ એક પછી એક અંતિમ શ્વાસ લેતા હાહાકાર મચી ગયો હતો.કોરોનાનો પરિસ્થિતિ સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ સતત વણસી રહી છે. સારવાર-સગવડ-સંકલનના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે.
રાજકીય પક્ષના નેતાઓ, કાર્યકરો મોતનો તમાશો નિહાળી રહ્યા છે. કોઈ કોઈનું રહ્યું નથી. સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓ સાજા પણ થઇને બહાર આવી રહ્યા છે, પરંતુ તેનાથી વધુ આ વોર્ડના દર્દીઓને ભાગે જે યાતનાઓ આવે છે તેના વડે તેઓ જીવતાં મોત ભાળી જાય છે. કોવિડ વોર્ડમાં સોમવારે બપોરના સુમારે ઓક્સિજન પ્રેશર લો થઇ થતાં 13 દર્દી તડફડિયાં મારવા લાગ્યા હતા અને તે પૈકી 8નાં મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે બાયો મેડિકલ એન્જિનિયર દ્વારા ઓક્સિજન સપ્લાઇ અંગેનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું મતલબ કે કંઈક ફોલ્ટ ઉભો થયો અને દર્દીઓ ના જીવ જોખમ માં મુકાઈ ગયા હોવાનું જણાય રહ્યું છે.
Friday, May 17